Chandra Gochar: ચંદ્રએ કર્યો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિને મળશે બેવડો લાભ

Chandra Gochar: ચંદ્રએ કર્યો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિને મળશે બેવડો લાભ
Email :

ચંદ્ર એટલે કે ચંદ્રમાં જે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં ખુબજ ખાસ છે. ચંદ્રને મનનો કારક કહેવામાં આવે છે. ચંદ્ર ખુબજ ઝડપથી રાશિ પરિવર્તન કરે છે. ચંદ્ર જ્યારે પણ નક્ષત્ર કે રાશિ પિરવર્તન કરે છે તેની સમગ્ર દુનિયા પર અસર જોવા મળે છે. મન, માતા અને સંબંધો માટે જવાબદાર આ ગ્રહે પુષ્ય નક્ષત્રમાથી નીકળીને હવે આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. ચંદ્રના આ નક્ષત્ર પરિવર્તનની ખાસ આ રાશિ પર અસર જોવા મળશે.

27 નક્ષત્રમાં 9માં સ્થાને આવતા આ નક્ષત્રના જાતકો ખુબજ રચનાત્મક 

બુદ્ધિ, વેપાર, પ્રગત્તિ અને વાણીના દાતા બુધને આશ્લેષા નક્ષત્રનો સ્વામી માનવામાં આવે છે. જ્યારે આ નક્ષત્ર કર્ક રાશિમાં આવે છે. 27 નક્ષત્રમાં 9માં સ્થાને આવતા આ નક્ષત્રના જાતકો ખુબજ રચનાત્મક બુદ્ધિશાળી અને હોશિયાર હોય છે.

કર્ક રાશિ

આ રાશિમાં આશ્લેષા નક્ષત્ર આવતુ હોવાથી ચંદ્ર દેવની વિશેષ કૃપા રહે છે. આ ગોચર સકારાત્મક પ્રભાવ પાડશે. જો કોઇ મામલો કોર્ટમાં ફસાયેલો હશે તો તેનો હલ મળી જશે. અટવાયેલા પૈસા પરત મળશે. માનસીક રાહત અનુભવશો. રોકાણથી લાભ થશે. અટકેલા કામ થવા લાગશે. પિતૃઓની સંપત્તિમાંથી પૈસા મળવાના યોગ છે. વેપારથી લાભ થશે. નોકરીમાં પ્રમોશન મળશે. અધુરા સપના પૂર્ણ કરવાનો સમય પાકી ગયો છે.

કન્યા રાશિ

ચંદ્રની કૃપાથી કન્યા રાશિવાળાના જીવનમાં ખુશીઓ મહેકશે. કળાક્ષેત્રે આગળ વધી શકશો. જે પણ નિર્ણય લો ખુહ સમજી વિચારીને લેજો કેમકે આવનારો સમય તમારા એક નિર્ણય પર આધારીત રહેશે. તમે વિચાર્યુ પણ નહી હોય એટલા ફાયદા થશે.

મીન રાશિ

ચંદ્રના નક્ષત્ર પરિવર્તનથી સંબંધોમા મધુરતા આવશે. તમારા શબ્દોનો પાવર વધશે. જે કામ ગમતુ હશે તે કરવાનો અવસર આવશે. સારા પ્રસંગ ઉકેલાશે. સમાજમાં માન સન્માન વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. નાણાભીડ દૂર થશે. કોઇને મદદ કરવાનો સંકલ્પ સિદ્ધ થશે. જીવનમાં તકલીફો ઓછી થશે. રસ્તાઓ ખુલશે. જે પણ નિર્ણય કરશો તેમા સાથ મળશે. મહેનતનું પરિણામ મળશે. જીવનમાં શાંતિ અને કામમા ઉમંગ રહેશે. 

Leave a Reply

Related Post