મંડે પોઝિટિવ: ઘરોના ભીના કચરામાંથી CNG બનાવી સિટી બસો દોડાવાશે

મંડે પોઝિટિવ:ઘરોના ભીના કચરામાંથી CNG બનાવી સિટી બસો દોડાવાશે
Email :

શહેરમાંથી રોજ સરેરાશ 2250 મેટ્રિક ટન ભીનો કચરો ઉત્પન્ન થાય છે. આ કચરામાંથી જ રોજનો 64 હજાર કિલો સીએનજી તૈયાર કરાશે અને એએમટીએસ-બીઆરટીએસની બસો આ સીએનજીથી ચલાવાશે. આ વર્ષના બજેટમાં પણ ભીના કચરામાંથી સીએનજી પ્લાન્ટ માટે અંદાજે 50 કરોડ ફાળવાયા છે. પીરાણા ખાતે સીએનજી પ્લાન્ટની યોજના છે. આ પ્લાન્ટમાંથી પેદા થનારા

સીએનજીથી સિટી બસોને ફ્યૂઅલ અપાશે. હાલમાં એએમટીએસ માટે રોજ 30 હજાર કિલો સીએનજી ગેસની જરૂર પડે છે. અધિકારીઓના મતે, શહેરમાં પ્લાન્ટ શરૂ થયા બાદ એએમટીએસ માટે સીએનજી ગેસ બહારથી ખરીદવો નહીં પડે. વિવિધ ડમ્પિંગ સાઇટ પરથી કચરાનો યોગ્ય નિકાલ થતો ન હોવાથી રિસાઇકલ કરી શકાતો નથી. મ્યુનિ.એ કચરામાંથી ખાતરનો પ્રોજેક્ટ

પણ તૈયાર કર્યો છે. કચરામાંથી સીએનજી માટે ખાનગી કંપનીનો સંયોગ લેવાશે. ખાનગી કંપનીએ આ માટે રિસર્ચ પણ ચાલુ કરી દીધું છે. આગામી 8 મહિનામાં સીએનજીનું ઉત્પાદન કરતો પ્લાન્ટ શરૂ થઈ જશે. મ્યુનિ. સાથે જોડાણ કરી ખાનગી કંપનીએ રિસર્ચ શરૂ કર્યું, 8 માસમાં પ્લાન્ટ શરૂ થશે દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ 499 ટન

ભીનો કચરો આવે છે ઝોનવજન (મેટ્રિક ટન) પૂર્વ ઝોન 317.06 પશ્ચિમ ઝોન313.57 ઉત્તર ઝોન326.9 દક્ષિણ ઝોન498.9 મધ્ય ઝોન280.37 ઉત્તર-પશ્ચિમ ઝોન279.36 દક્ષિણ-પશ્ચિમ ઝોન232.9 સીએનજી પ્લાન્ટના વધેલા કચરામાંથી ખાતર બનાવાશે ભીના કચરામાંથી જ હવે સીએનજી ઉત્પન્ન કરાશે. જેનો ઉપયોગ એએમટીએસ બસ માટે કરાશે. જેથી શહેરના લોકોના કચરાનો ઉપયોગ શહેરમાંજ થશે. 8 મહિનામાં પ્લાન્ટ

શરૂ થશે. આ માટે ખાનગી કંપની સાથે જોડાણ કરાયું છે. ભીના કચરામાંથી ગેસ અને બાકીના વેસ્ટમાંથી લોકોના ઉપયોગ માટે ખાતર બનશે. - દેવાંગ દાણી, ચેરમેન- સ્ટેન્ડિંગ જમાલપુરમાં ફ્યૂઅલ સ્ટેશન બનશે, દૂર જવું પડશે નહીં મ્યુનિ.ની તમામ બસો માટે જમાલપુરમાં સીએનજી સ્ટેશન તૈયાર કરવાનું આયોજન છે. જેથી સ્થાનિક બસોમાં ફ્યુલ માટે દૂરના

સ્થળે અથવા પીરાણા સુધી જવું ન પડે. હાલમાં કોર્પોરેશન દ્વારા સ્થળ વિકાસ અને સુરક્ષા સંબંધિત ચકાસણી કરવામાં આવી રહી છે. જેના નિર્ણય બાદ સ્થળ પર સ્ટેશન તૈયાર કરવાને આખરી મંજૂરી અપાશે. એએમટીએસની બસો માટે રોજ 30 હજાર કિલો સીએનજીની જરૂર પડે છે, આ પ્લાન્ટ રોજ 64 હજાર કિલો સીએનજીનું ઉત્પાદન કરશે

Leave a Reply

Related Post