ન્યુ ગુજરાત ઇન્ટરવ્યૂ: કર્નલ જોશી

ન્યુ ગુજરાત ઇન્ટરવ્યૂ:કર્નલ જોશી : ફાઈટર પ્લેનના નાઇટ વિઝન ડિવાઇસ મીણબતી જેવા પ્રકાશ પણ પકડી લે છે…સાયબર એટેકથી બચવા કોઈ પણ લિંકને ક્લિક કરવી નહીં
Email :

મહેસાણા | સ્ફોટક હુમલો કરી શકે છે. એટલે બ્લેક આઉટ જાહેર થાય માટે ત્યારે સંપૂર્ણ બ્લેકઆઉટ કરવું નાગરિકોને ખૂબ જરૂરી છે. કોઈએ ભૂલથી પણ પ્રકાશ કરવો જોઈએ નહિ.બારીઓ ઉપરસ્ફોટક હુમલો કરી શકે છે. ક હુમલો કરી શકે છે. એટલે બ્લેક આઉટ જાહેર થાય માટે ત્યારે સંપૂર્ણ બ્લેકઆઉટ કરવું નાગરિકોને ખૂબૂ પણ પ્રકાશ કરવો જોઈએ... ન્યુ ગુજરાત : યુદ્ધના માહોલમાં નાગરિકોએ શું કરવું જોઈએ ? જવાબ : દેશના નાગરિકોએ અફવાથી દૂર રહેવું , ખોટા

મેસેજ ફોરવર્ડ કરવા નહીં અને ગભરાયા વગર રક્ષા મંત્રાલય અને તંત્ર દ્વારા મળતા સાયરન સહિતના તમામ નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરી પૂરતો સહયોગ આપવો, જીવન જરૂરિયાત સામગ્રીનો જરિયાત પૂરતો જ સંગ્રહ કરવો, કામ સિવાય બહાર જવાનું ટાળવું અને સાવચેત રહેવું.જેથી તંત્ર અને સરકાર યોગ્ય રીતે કામગીરી કરી શકશે ન્યુ ગુજરાત : બ્લેક આઉટનું સંપૂર્ણ પાલન કેમ જરૂરી છે ? જવાબ : સંપૂર્ણ બ્લેક આઉટ કરવું જરૂરી છે કારણ કે આકાશમાં દુશ્મનના હુમલા માટે આવતા

ફાઈટર પ્લેનમાં નાઈટ વિઝન ડિવાઇઝ હોય છે.જે દૂરબીન થી જમીન ઉપર અંધારપટ વચ્ચે સામાન્ય મીણબત્તી પણ સળગતી હોય તો તે પ્રકાશને પકડી પાડે છે. પ્રકાશ દેખાતા રહેણાંક વિસ્તાર હોવાનું જાણ થતા વિસ્ફોટક હુમલો કરી શકે છે. એટલે બ્લેક આઉટ જાહેર થાય માટે ત્યારે સંપૂર્ણ બ્લેકઆઉટ કરવું નાગરિકોને ખૂબ જરૂરી છે. કોઈએ ભૂલથી પણ પ્રકાશ કરવો જોઈએ નહિ.બારીઓ ઉપર કાળું કપડું ઢાંકી રાખવું જોઈએ. આંગણામાં ચમકેલી વસ્તુ જૉ અંદર ના લઈ શકાય તો

ઢાંકી દેવું જેથી ચમકે નહી. ન્યુ ગુજરાત : યુદ્ધની સ્થિતિ દરમ્યાન દેશને મદદરૂપ બનવા નાગરિકોએ શું કરવું જોઈએ ? જવાબ : સમગ્ર દેશની તાકાત નાગરિકોનું મનોબળ હોય છે.યુદ્ધ સમયે નાગરિકો પાસેથી શ્રમદાન અને રક્તદાનની જરૂરિયાત ઊભી થઈ શકે છે.યુવાનોએ શારીરિક રીતે અભ્યાસ કરી સક્ષમ બનવું અને ભવિષ્યમાં જરૂર પડે તો દેશ સેવા કાજે અગ્રેસર રહેવું.કટોકટીની ક્ષણે નાગરિકોનો સંયમ અને સહયોગ એજ સૈન્યનું મનોબળ હોય છે. ન્યુ ગુજરાત : હાલના તબક્કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિકોએ

સૌથી વધું શું ધ્યાન રાખવું ? જવાબ : હાલના પરિસ્થિતિમાં સાયબર વોર પણ એક દુશ્મનનું પ્રબળ શસ્ત્ર બની શકે છે.જેથી તે પ્રજામાં અફવાઓ, ભય અને કોમી એકતામાં ખલેલ પહોંચાડી શકે છે.જેથી દરેક નાગરિકોએ સદૈવ સાવધાન રહી બિનજરૂરી કોઇપણ અજાણી લિંકને ખોલવી નહી.OTP આપવો નહી કે મેસેજો આદાનપ્રદાન કરવું નહિ. અધિકૃત છાપા કે રેડિયો ટીવી પર સમાચાર જોઇ પરિસ્થિતિથી અવગત રહેવું. રહેણાંક વિસ્તારો કે જાહેર સ્થળો ઉપર કોઈ બિનવારસી સામાન જોવા મળે છે તો

તેને અડકવું નહીં અને તરત જ પોલીસ તંત્રને તાત્કાલિક જાણ કરવી. ન્યુ ગુજરાત : સંભવિત હુમલો થાય તો નાગરિકોએ શું કરવું ? જવાબ : અચાનક જ્યારે પણ કોઈ સ્થળે હુમલો થાય તો નાગરિકોએ ભાગદોડ કરવી નહીં.ઘટના સ્થળે દોડીને જવું નહીં , મજબૂત મનોબળ રાખીને સુરક્ષિત સ્થળે છુપાઈ રહેવું , તંત્રને કામમાં ખલેલ પડે નહિ માટે તેમની સૂચના નું ચુસ્તપણે પાલન કરવું અને બની શકે તો તંત્રને બચાવ કામગીરીમાં મદદરૂપ બનવું. (તેજસ રાવળ સાથેની વાતચીતના આધારે)

Leave a Reply

Related Post