Summerની સિઝનમાં છાશનું સેવન આ લોકો માટે નુકસાનકારક, જાણો કારણો:

Summerની સિઝનમાં છાશનું સેવન આ લોકો માટે નુકસાનકારક, જાણો કારણો
Email :

અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે. લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા ઠંડા પીણાનું સેવન કરે છે તો ઘર અને ઓફિસમાં એસીનો વપરાશ કરે છે. ખાસ કરીને ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા પ્રદેશમાં છાશનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ગરમીના સમયગાળામાં આ પ્રદેશમાં રહેતા લોકોના ઘરમાં ખાસ કરીને બપોરના સમયે છાશ વગર ભોજન થતું નથી. ગરમીમાં બજારમાં મળતા કોલ્ડ ડ્રીંકના બદલે ઘરમાં બનતી છાશનું સેવન વધુ લાભકારક છે. પરંતુ નિષ્ણાત કહે છે કે આજે સમય બદલાયો છે અને તમામ લોકોને છાશનું સેવન અનૂકૂળ બનતું નથી. એટલે કે તેમના શરીર માટે છાશનું સેવન નુકસાનકારક બને છે.

ગરમીમાં ચક્કર અને બેભાન થવા જેવી સ્થિતિ ટાળવા આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ. અને આહારમાં છાશ જેવા પીણાને સામેલ કરીએ છીએ. પરંતુ આ લોકો માટે છાશનું સેવન તેમના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થાય છે.

એસિડિટી અથવા એલર્જી: જો તમને છાશ પીવાથી એસિડિટી વધી જાય કે કોઈ જાતની એલર્જી થાય (જેમ કે ચામડી પર ખંજવાળ, પીંઢ હોય) તો તેનો પરિહાર કરવો. છાશમાં રહેલા એસિડ અને અન્ય તત્વો ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારી શકે છે.  ત્વચા સંબંધિત રોગમાં ખટાશવાળી વસ્તુનું સેવન ટાળવાનું કહેવાય છે.

કફવાળું શરદી જવું: છાશ થંડું હોય છે, જેથી જો તમે શરદી-ખાંસી કે કફથી પીડાતા હોવ તો છાશ વધુ સમસ્યા ઊભી કરી શકે છે. છાશમાં સાધારણ ગળપણનો પદાર્થ રહેલો છે એટલે જ્યારે કફવાળા દર્દીઓ સાંજે છાશનું સેવન કરે છે ત્યારે શ્વાસનળીમાં ધીરેધીરે કફ જમા થવા લાગે છે અને આગળ જતાં શ્વાસનળી પર સોજો થવા જેવી સમસ્યા ઉદભવી શકે છે.

અતિશય પાચનતંત્રની નબળાઈ: જો તમારી પાચનશક્તિ નબળી હોય, ગેસ અથવા અપચા એટલે અજીર્ણ જેવી સમસ્યાઓ રહેતી હોય તો છાશનું સેવન સાંજ બાદ ટાળવું.

પેટ સંબંધિત બીમારીઓ: જેમ કે લ્યુઅન ડિસીઝ (IBS), અલ્સર, કે આંતરડાની બળતરા જેવી સમસ્યાઓ હોય તો ડોક્ટરની સલાહ વગર છાશ ન લેવી. આ લોકો જ્યારે ખાટી છાશનું સેવન કરે છે ત્યારે આંતરડાને અસર થાય છે.  છાશમાં રહેલા એસિડ અને અન્ય તત્વો આંતરડાને અસર કરતા અલ્સરની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

ડાયાબિટીસ: જો છાશમાં મીઠું અથવા ખાંડ જેવી અન્ય વસ્તુ ઉમેરી છાશનું સેવન કરતા હોવ તો ના કરવું જોઈએ. કારણ કે છાશમાં રહેલા એસિડિક એસિડ ગુણધર્મના કારણે ડાયાબિટીસના દર્દીઓને પેટમાં બળતરા થવા લાગે છે. અને તેઓ બળતરા શાંત કરવા કોઈ ગળપણ ધરાવતી વસ્તુનું સેવન કરવા લાગે છે. એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ગરમીમાં છાશનું સેવન કરવા માટે સાદી અને તાજી છાશ પસંદ કરવી અને શક્ય બને ત્યાં સુધી સવારે જ લેવી.

છાશમાં ઘણા જરૂરી વિટામિન અને ખનિજો જોવા મળે છે. આ ઉપરાંત, તેમાં હાજર કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ તમારા સ્વાસ્થ્ય માટે જબરદસ્ત ફાયદા પૂરા પાડે છે. જોકે, ઘણી વખત, માહિતીના અભાવે, લોકો ફાયદાની શોધમાં પોતાને નુકસાન પહોંચાડે છે. 

Leave a Reply

Related Post