Vitamin B12ની ઉણપ દૂર કરવા દૂધ સાથે આ વસ્તુઓનું સેવન, સ્વાસ્થયમાં ફાયદાકારક:

Vitamin B12ની ઉણપ દૂર કરવા દૂધ સાથે આ વસ્તુઓનું સેવન, સ્વાસ્થયમાં ફાયદાકારક
Email :

આજે વ્યસ્ત જીવનશૈલી અને ખાનપાનના કારણે લોકો ગંભીર બીમારીનો ભોગ બનવા લાગ્યા છે. આખરે અબજોપતિ કે પછી અમીર લોકો જેઓ વધુ સારી ક્વોલિટીનો આહાર લેતા હોય છે છતાં કેમ આવી ગંભીર બિમારીના લોકો શિકાર થઈ રહ્યા છે. લોકોમાં ગંભીર બીમારી થવાનું એક કારણ શરીરમાં જોઈતા પ્રમાણમાં વિટામિનની ઉણપ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને એસી ઓફિસમાં બેસતા અને બેઠાડું જીવન જીવનારા લોકોમાં વિટામિન B12 ઉણપ જોવા મળે છે. આવી ઘરેલુ ઉપચાર દ્વારા વિટામિન B12ની ઉણપ દૂર કરી શકાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન હોવા જરૂરી છે.

વિટામિન B12 ની ઉણપ આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. શરીર માટે વિટામિન B12 વધુ જરૂરી માનવામાં આવે છે. આપણા આહારમાં સામાન્ય ફેરફાર કરી વિટામિન B12ની ઉણપને દૂર કરવામાં મદદ મળે છે. દૂધ સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી તમે વિટામિન B12ની ઉણપથી છુટકારો મેળવી શકો છો. 

દૂધ સાથે ખજૂર ખાવાથી ફાયદો થશે

સામાન્ય રીતે બાળકો અને યુવાનો દૂધ સાથે ખજૂર ખાવાનું પસંદ કરતા નથી. પરંતુ જો વિટામિન B12 ની ઉણપ દૂર કરવી હોય તો રાત્રે સૂતા પહેલા બે થી ચાર ખજૂર હૂંફાળા દૂધ સાથે ખાવાથી ચોક્કસ લાભ થશે. ખજૂર અને દૂધનું સાથે સેવન કરવાથી વિટામિન B12 ની ઉણપ ઝડપથી દૂર થઈ શકે છે. ખજૂરનું સેવન હિમોગ્લોબિનની માત્રામાં સુધારા કરવા સાથે ઊંઘની ગુણવત્તામાં પણ ઘણી હદ સુધી સુધારો કરી શકો છો. સામાન્ય રીતે નબળાઈ દૂર કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા લોકો ખજૂરનું સેવન કરતા હોય છે.

દૂધ સાથે પનીર ખાવાથી થશે લાભ

બાળકોને પનીર સૌથી વધુ પસંદ છે. તેઓ મોટાભાગે બહાર જાય તો પનીરનું શાક અને ફ્રાઈડ પનીર ખાવાનું પસંદ કરે છે. પનીરમાં વિટામિન B12 સારી માત્રામાં જોવા મળે છે. હૂંફાળા દૂધ સાથે પનીર ખાવાથી વિટામિન B12 ની ઉણપ દૂર કરવામાં મદદ મળે છે. આ સાથે તમે દૂધ સાથે બાફેલા ઈંડા પણ ખાઈ શકો છો. દૂધ સાથે પનીર અથવા ઈંડાનું સેવન કરીને તમે તમારા એકંદર સ્વાસ્થ્યમાં ઘણી હદ સુધી સુધારો કરી શકો છો. હા, એ જરૂર કે તમે ઇંડા ખાતા હોવા તો જ આ પ્રયોગ અજમાવજો.

મેથીના દાણા ફાયદાકારક સાબિત થશે

વિટામિન B12 માટે મેથી વધુ ઉપયોગી હશે તેવું બહુ ઓછા લોકો જાણે છે. મેથીના દાણામાં અનેક પોષક તત્વો સારી માત્રામાં જોવા મળે છે. મેથીનું સેવન કબજીયાત ઉપરાંત ઘૂંટણના દુઃખાવામાં રાહત આપે છે. એક ચમચી મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળી રાખ્યા બાદ સવારે હૂંફાળા ગરમી પાણી સાથે લોકો તેનું સેવન કરતા હોય છે. વિટામિન B12 ઉણપ દૂર કરવા તમે રાત્રે સૂતા પહેલા હુંફાળા દૂધ સાથે મેથીના દાણા અથવા મેથીના દાણાનો પાવડર ભેળવીને તેનું સેવન કરી શકો છો. 

Leave a Reply

Related Post