રાજકોટમાં વધુ 7 કોરોનાના કેસ નોંધાયા: કુલ આંક 44 થયો, વધુ 2 દર્દીઓ સ્વસ્થ થતા 38 હોમ આઇસોલેશનમાં

રાજકોટમાં વધુ 7 કોરોનાના કેસ નોંધાયા:કુલ આંક 44 થયો, વધુ 2 દર્દીઓ સ્વસ્થ થતા 38 હોમ આઇસોલેશનમાં
Email :

રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય બન્યો છે. આજે (2 જૂન) વધુ 7 નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજકોટમાં કુલ કોરોના કેસની સંખ્યા 44 પર પહોંચી ગઈ છે. આજના કેસમાં 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. જો કે, રાહતની વાત એ છે કે આજે વધુ 2 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે. જેને લઈને અત્યાર સુધીમાં કુલ 6 દર્દી હોમ આઇસોલેશન બાદ

કોરોનામુક્ત થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે, હાલમાં એક દર્દી માત્ર ઘરથી દૂર રહેવા ખાનગી હોસ્પિટલમાં છે. અને બાકી 37 દર્દીઓ હોમ આઇસોલેટેડ છે. તેમજ તમામ દર્દીઓની તબિયત સ્થિર છે. જુદા-જુદા વિસ્તારમાં 7 નવા કેસ નોંધાયા આજે નોંધાયેલા 7 નવા કેસમાં જુદા જુદા વિસ્તારોના નાગરિકોનો સમાવેશ થાય છે. જેમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક રહેતા 51 વર્ષીય મહિલા, રામકૃષ્ણ નગરમાં 91 વર્ષીય મહિલા અને 49 વર્ષીય પુરુષ,

સાધુ વાસવાણી રોડ નજીક 73 વર્ષીય મહિલા, ચંદ્રેશનગરમાં 53 વર્ષીય મહિલા, અયોધ્યા ચોક નજીક 40 વર્ષીય પુરુષ અને હનુમાન મઢી નજીક 43 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ દર્દીઓને તેમના નિવાસસ્થાને જ હોમ આઇસોલેટેડ કરવામાં આવ્યા છે. એક દર્દી ઘરથી દૂર ખાનગી હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેમની તબિયત પણ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે, તમામ દર્દીઓની તબિયત સ્થિર

અને નિયંત્રણ હેઠળ છે. આજ સુધી નોંધાયેલા કેસ 19 મે: રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ મવડી વિસ્તારમાંથી નોંધાયો હતો. આ 53 વર્ષીય પુરુષ વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા હતા. સારી વાત એ હતી કે, તેઓ હોમ આઇસોલેશનમાં સારવાર લીધા બાદ સંપૂર્ણપણે કોરોનામુક્ત થઈ ગયા, અને આ વિસ્તારમાંથી અન્ય કોઈ કેસ બહાર આવ્યો નથી. આ કેસ રાજકોટ માટે સકારાત્મક શરૂઆત સાબિત થયો હતો. 23 મે: શહેરનો બીજો કેસ શિવ પાર્ક વિસ્તારમાં

રહેતા 39 વર્ષના એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નોંધાયો. 24 મે: શહેરમાં વધુ 2 નવા કેસ સામે આવ્યા, જેમાં ગોવિંદનગરના 74 વર્ષના એક પુરુષ અને સિલ્વર સોસાયટીમાં રહેતા 52 વર્ષના એક પુરુષનો સમાવેશ થાય છે. 26 મે: રૈયા રોડ પર આવેલા શિવાજી પાર્ક વિસ્તારમાં વધુ 1 નવો કેસ નોંધાયો, જે દર્દીની તબિયત પણ સ્થિર હોવાનું જણાવાયું. 27 મે: આ દિવસ રાજકોટ માટે સૌથી વધુ ચિંતાજનક રહ્યો, કારણ

કે શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી એક દિવસમાં 6 નવા કેસ નોંધાયા. આ કેસો નોંધાતાની સાથે જ આરોગ્ય તંત્ર વધુ સક્રિય બન્યું. જોકે, આ તમામ 6 દર્દીઓની તબિયત પણ સ્થિર હતી. 28 મે: 28 મેની રાત સુધી રાજકોટમાં વધુ 5 કેસ નોંધાયા. આ કેસો બિગબજાર, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી હતા અને તેમાં 1 મહિલા, 1 સગીર અને 3 પુરુષોનો સમાવેશ થતો હતો. 30 મે: આ દિવસે રાજકોટમાં વધુ

8 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 2 મહિલા અને 6 પુરુષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 31 મે: રાજકોટમાં 4 મહિલા અને 4 પુરુષો સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે 4 દર્દીઓ સ્વસ્થ થયા હતા, જે રાહતની વાત છે. 1 જૂન: રાજકોટના જુદા જુદા વિસ્તારોમાંથી 2 મહિલા અને 3 પુરુષ સહિત કુલ 5 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જેને લઈને કુલ દર્દીઓની સંખ્યા

37 પર પહોંચી હતી. જિલ્લામાંથી પણ વધુ 1 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2 થઈ હતી. 2 જૂન: આજે રાજકોટના રામકૃષ્ણ નગરમાંથી મહિલા અને પુરુષ સહિત 2 કેસ મળીને કુલ 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે તમામ દર્દીઓની તબિયત સ્ટેબલ હોવાથી હોમ આઇસોલેટેડ છે. આરોગ્ય વિભાગની સાવચેત રહેવા અપીલ ઉલ્લેખનીય છે કે, હાલ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના નાગરિકોને કોરોનાથી બચવા માટે સાવચેતીના તમામ પગલાં લેવા, જેમ કે માસ્ક

પહેરવું, સામાજિક અંતર જાળવવું, અને વારંવાર હાથ ધોવા, જેવી સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જોકે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અત્યાર સુધી પોઝિટિવ આવેલા તમામ દર્દીઓ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. તેમજ તેના પરિવારજનોનાં પણ રિપોર્ટ કરવામાં આવી ચૂક્યા છે. અત્યાર સુધી 6 દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જે ખરેખર સારી બાબત છે. છતાં લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

Leave a Reply

Related Post