Corona વાયરસનો ફરી કહેર, કેમ વાયરસ નથી મરતા આ છે વૈજ્ઞાનિક કારણ:

Corona વાયરસનો ફરી કહેર, કેમ વાયરસ નથી મરતા આ છે વૈજ્ઞાનિક કારણ
Email :

દુનિયામાં કોરોના ફરી પાછો કહેર મચાવી રહ્યો છે. એશિયામાં હોંગકોંગ અને સિંગાપોર બાદ થાઈલેન્ડ અને હવે ભારતમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. વર્ષ 2019 અને 2020માં દુનિયાને હચમચાવનાર કોરોના વાયરસ ફરી પાછો આતંક મચાવતા લોકો ચિંતિત થઈ રહ્યા છે કે આખરે વાયરસ કેમ મરતા નથી ? કેમ વારંવાર વાયરસ પાછા આવે છે ? વાયરસને લઈને વૈજ્ઞાનિક કારણ સમજીએ.

વાયરસ મરતા નથી

વૈજ્ઞાનિક કારણ મુજબ કયારે પણ વાયરસ મરતા નથી, તે જીવંત પ્રાણી છે. વાયરસ સૂક્ષ્મ બની જાય છે અને તે મનુષ્ય અને પ્રાણીઓના કોષોની અંદર રહે છે. જ્યારે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી બને છે ત્યારે વાયરસ પ્રભાવિત થાય છે અને તે બુસ્ટ થાય છે. જો વાયરસને હોસ્ટ ન મળે, તો તે નિષ્ક્રિય થઈ શકે છે. અથવા તે સમાપ્ત થઈ શકે છે. પરંતુ વાયરસ કોષોમાં ગયા બાદ અન્ય પ્રભાવિત બેકટેરિયા સાથે સંક્રમિત થતા નવું વેરિઅન્ટ બને છે. આમ, વાયરસ સંપૂર્ણપણે મરતા નથી અને ના તો સમાપ્ત થાય છે. ખાસ કરીને જ્યારે મનુષ્યમાં ફેલાતા વાયરસ હોય તો તે મરતા નથી પરંતુ સૂક્ષ્મ બન્યા બાદ થોડા બદલાવ આવતા ફરી પાછા જીવંત થાય છે.

એશિયાના દેશોમાં વાયરસનો કહેર

દુનિયામાં કોરોના વાયરસ ઉપરાંત પહેલા પણ ઇન્ફ્લુએન્ઝા, સાર્સ, ઝીંકા અને ચિકનગુનિયા જેવા વાયરસે કહેર મચાવ્યો હતો. આ ગંભીર વાયરસના કારણે અનેક લોકોના મોત થયા હતા. અત્યારે કોરના વાયરસનું નવું વેરિએન્ટ એશિયાના દેશોમાં કહેર મચાવી રહ્યું છે. કોરોના-19 બાદ સતત આ વાયરસમાં પરીવર્તન બાદ NB.1.8.1 અને LF.7 અને JN.1 જેવા નવા સ્વરૂપો જોવા મળ્યા. ભારતમાં કોરોના વાયરસનો JN.1 વેરિએન્ટના 53 જેટલા કેસ જોવા મળ્યા છે.

રોગપ્રતિકારક શક્તિ નબળી પડતા વાયરસ કેસ વધ્યા

કોરોનાના સતત વધતા કેસને લઈને આરોગ્ય નિષ્ણાતનું કહેવું છે કે બદલાયેલી જીવનશૈલીના કારણે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે. ખાસ કરીને કોરોના-19માં અનેક લોકોએ બુસ્ટર ડોઝ લીધો નથી. તેમજ વૃદ્ધોમાં અત્યારે રોગ સામે લડવાની ઓછી ક્ષમતાના કારણે હાલમાં કોરોના કેસ વધી રહ્યા હોવાનું અનુમાન છે. આ ઉપરાંત કોરોનામાં બુસ્ટર ડોઝ લીધા બાદ અત્યારે લોકો થોડા બેદરકારણ પણ બન્યા હોવાનું આરોગ્ય અધિકારીનું માનવું છે.

Leave a Reply

Related Post