ઝાયડસ લાઇફસાયન્સ ચેરમેન પંકજ પટેલ પદ્મ ભૂષણથી સન્માનિત: હોકી ખેલાડી શ્રીજેશ પદ્મ ભૂષણથી સન્માનિત; 96 વર્ષનાં ભીમાવ્વા ડોડ્ડાબલપ્પા શિલેક્યાથારા પદ્મશ્રીથી સન્માનિત કર્યાં

ઝાયડસ લાઇફસાયન્સ ચેરમેન પંકજ પટેલ પદ્મ ભૂષણથી સન્માનિત:હોકી ખેલાડી શ્રીજેશ પદ્મ ભૂષણથી સન્માનિત; 96 વર્ષનાં ભીમાવ્વા ડોડ્ડાબલપ્પા શિલેક્યાથારા પદ્મશ્રીથી સન્માનિત કર્યાં
Email :

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં 2025 માટે પદ્મ પુરસ્કારો એનાયત કર્યા. વર્ષના પહેલા પદ્મ સમારોહમાં, 71 હસ્તીઓને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સન્માનિત કર્યા હતા. જ્યારે બાકીના સેલિબ્રિટીઓનું ટૂંક સમયમાં એક અલગ સમારોહમાં સન્માન કરવામાં આવશે. સોમવારે યોજાયેલા સમારોહમાં 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો આપવામાં આવ્યા હતા. કલાના ક્ષેત્રમાં, દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા અજિત અને ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂરને પદ્મ ભૂષણથી નવાજવામાં

આવ્યા હતા. જ્યારે ગઝલ ગાયક પંકજ ઉધાસને મરણોત્તર પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમના પત્ની ફરીદાએ સ્વીકાર્યો હતો. ક્રિકેટર આર અશ્વિનને પદ્મશ્રી અને હોકી ખેલાડી શ્રીજેશને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. કુવૈતના યોગ શિક્ષક શેખા અલીને પણ તબીબી ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. સરકારે પ્રજાસત્તાક દિવસ પહેલા 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આમાં શારદા સિંહા, ઓસામુ સુઝુકી સહિત ૧૩ હસ્તીઓને મરણોત્તર પુરસ્કારો આપવામાં આવી રહ્યા

છે. પદ્મ ભૂષણ માટે 19 હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. આ વખતે 113 હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 23 મહિલાઓનો સમાવેશ થાય છે. આમાં વિદેશી/NRI/PIO/OCI કેટેગરીના 10 લોકોનો પણ સમાવેશ થાય છે. ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ પટેલ પદ્મ ભૂષણથી સન્માનિત ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સોમવારે ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડના ચેરમેન શ્રી પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગમાં તેમના અનુકરણીય યોગદાન બદલ પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. પ્રેરણાદાયી

ઉદ્યોગસાહસિક દ્રષ્ટિકોણ અને નવીનતાના અવિરત પ્રયાસ સાથે, શ્રી પટેલ જીવન વિજ્ઞાનમાં ભારતની ક્ષમતાઓને પાથરોહક સંશોધન દ્વારા આગળ વધારી રહ્યા છે જે લોકોને સ્વસ્થ અને વધુ પરિપૂર્ણ જીવન જીવવા માટે સશક્ત બનાવે છે. કઠપૂતળી આર્ટિસ્ટ ભીમાવ્વાને પદ્મશ્રી સન્માન 96 વર્ષનાં કઠપૂતળી આર્ટિસ્ટ ભીમાવ્વા ડોડ્ડાબલપ્પા શિલેક્યાથારાને કલા ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં. ભીમાવ્વા ચામડાની કઠપૂતળી કલા ટોગલુ ગોંબેયાટાના કલાકાર છે. તેઓ 70 વર્ષથી રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો કઠપૂતળીના

માધ્યમથી પ્રદર્શિત કરી રહ્યાં છે. સામાજિક કાર્યકર્તા સુરેશ હરિલાલ સોનીને પદ્મશ્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સામાજિક કાર્યકર્તા સુરેશ હરિલાલ સોનીને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ મુર્મુ, હરિલાલને એવોર્ડ આપવા માટે પોતે ડાઇસ પરથી નીચે ઉતર્યા. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડને પદ્મશ્રી વૈદિક સ્કોલર ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મ શ્રીથી સન્માનિત કર્યા. તેમણે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના ભૂમિ પૂજન અને પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ સમય નક્કી કર્યો હતો. હોકી

ખેલાડી પીઆર શ્રીજેશને પદ્મ ભૂષણ એવોર્ડ પૂર્વ ભારતીય હોકી ખેલાડી પીઆર શ્રીજેશને રમતગમત ક્ષેત્રમાં તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મ ભૂષણ એવોર્ડ આપ્યો. ક્રિકેટર આર અશ્વિનને પદ્મશ્રી સન્માન ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને રમતગમત ક્ષેત્રમાં તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત થયો. કુવૈતના શેખા અલી અલ-સબાને તબીબી ક્ષેત્રમાં પદ્મશ્રી યોગ શિક્ષણમાં અગ્રેસર, કુવૈતના શેખા શેખા અલી અલ-જબર અલ-સબાને તબીબી ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો.

Related Post