ન્યુ ગુજરાત વિશેષ: નખત્રાણા પંથકમાં કરોડોની કચ્છી કેસર બજારમાં ઠલવાશે, એકરે 50 હજારથી સાડા ત્રણ લાખ રૂપિયાના સોદા થયા

ન્યુ ગુજરાત વિશેષ:નખત્રાણા પંથકમાં કરોડોની કચ્છી કેસર બજારમાં ઠલવાશે, એકરે 50 હજારથી સાડા ત્રણ લાખ રૂપિયાના સોદા થયા
Email :

નખત્રાણા પંથકમાં કરોડોની કચ્છી કેસર બજારમાં ઠલવાશે અને પ્રતિ એકરના 50 હજારથી માંડીને સાડા ત્રણ લાખ રૂપિયા સુધીમાં સોદા થઇ રહ્યા છે. જો જૂન માસમાં કેરીના ભાવ ઊંચકાય તો છૂટકમાં ઓર્ગેનિક કેસર કેરીના ભાવ પ્રતિ કિલોના 125થી 150 રૂપિયા રહેવાની સંભાવના છે. જે ફળ માટે ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે, તેવી કુદરતી રીતે પાકેલ, કચ્છની કેસર કેરીનું

આવતા પખવાડિયે બજારમાં વિધિવત આગમન થશે. આ અંગે નાના ધાવડા ગામના ખેડૂત અગ્રણી મહાવીરસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મે મહિનાના અંતમાં અથવા જૂન માસના પ્રથમ અઠવાડિયામાં ઝાડ પર પાકેલી કેરી બજારમાં વેચાણ માટે આવતી હોય છે, જે જુલાઈ માસ સુધી બજારમાં મળતી હોય છે. ખાસ કરીને માંગરોળ તેમજ અન્ય વિસ્તારના જથ્થાબંધ વેપારીઓ, નખત્રાણા આસપાસની તમામ વિસ્તારોમાં

જાત મુલાકાત લઈને કેરીઓના સોદા કરતા હોય છે. સામાન્ય રીતે ફળ પ્રમાણે ઝાડની સંખ્યાના હિસાબે ભાવ નક્કી થતાં હોય છે. જેમાં જથ્થાબંધ વેપારી ખેડૂતોની વાડીએથી પોતાના સ્થળે લઈ જતા હોય છે. ધાવડા વિસ્તારમાં દસ એકરના સામાન્ય રીતે 30થી 35 લાખ રૂપિયાની આસપાસ સોદા થયા હોવાનું જણાવી સારો ફાલ હોય તો દસ એકરમાં 80 ટન જેટલી કેરીનો ઉતાર મળતો હોય

છે. નખત્રાણા-મોથાળા રોડ પર બેરુ ગામે કેરીનો બગીચો ધરાવતા યશવંતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, આ વખતે હજુ સુધી કેરીનો બમ્પર ફાલ છે અને આગામી દિવસોમાં કેરીના સોદા થશે. કોઈ કુદરતી આપતિ ન આવે તો, ખેડૂતો માટે સારામાં સારો આર્થિક લાભ મળશે. તલાલાની કેરી પૂર્ણ થયા બાદ કચ્છની કેરી આવતી હોય છે. અને જૂન માસમાં કેરીના ભાવ ઊંચકાય તો

છૂટકમાં ઓર્ગેનિક કેસર કેરી 125 થી 150 રૂપિયે પ્રતિ કિલો રહેવાની સંભાવના છે. કુદરતી રીતે પાકેલી કેરી બજારમાં આવતા 15 દિવસ લાગશે હાલમાં બજારમાં જે કેસર કેરી વેચાય છે, તે તલાલા વિસ્તારની છે. માવઠા અને ભારે પવનના કારણે ખેડૂતોએ આગોતરી ઉતારી લીધી છે તે છે. હવે ઝાડ પર કુદરતી રીતે પાકેલી કચ્છી કેસર કેરીઓ આવવાને હજુ પંદર દિવસ જેટલો સમય

છે અને જૂન માસની શરૂઆત બાદ નખત્રાણા પંથકની કેસર કેરીનું બજારમાં આગમન થશે. તો અમુક વિસ્તારમાં રોગ, ફૂગ હોય તો તેના પર સાતથી આઠ વખત સ્પ્રે છાંટવો પડતો હોય છે અને બહુ ઓછો ફાલ હોય તો 50 હજારથી એક લાખ રૂપિયામાં સોદા થતા હોય છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર માવઠાની આગાહી કરાતાં કેરી રસિયાઓમાં ચિંતા છવાઇ છે.

Leave a Reply

Related Post