કુદરતી પરિબળોની અવગણાથી કરોડો વેડફાયા: દહેજ જેટી ફિઝિબિલિટ નહોતી છતાં 290 કરોડ ખર્ચી બનાવી

કુદરતી પરિબળોની અવગણાથી કરોડો વેડફાયા:દહેજ જેટી ફિઝિબિલિટ નહોતી છતાં 290 કરોડ ખર્ચી બનાવી
Email :

ગૌરવ તિવારી

રાજ્ય સરકાર દ્વારા અંદાજે 290 કરોડના ખર્ચે દહેજને ઘોઘા સાથે જોડવા માટે દહેજ રો-રો ફેરી જેટી(ટર્મિનલ) બનાવવામાં આવી હતી. આ ટર્મિનલ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા બનાવવામાં આવ્યું હતું. પરંતુ અહીં પ્રાકૃતિક સમસ્યાના કારણે વારંવાર માટી-કાંપ જમા થઇ જાય છે. જેથી રો-રો ફેરી માટે લઘુત્તમ 5 મીટરની ઊંડાઇ મળી રહેતી નથી. સરકાર દ્વારા પીપાવાવ, દહેજ, ઘોઘા, સુરતને ફેરી સર્વિસ સાથે જોડવા 2001માં રિસર્ચ કરાવવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ થયું હતું કે દહેજ નર્મદા નદીના મુખ પર અને ખંભાતના અખાતને સીધું અડીને આવેલું છે. જેના કારણે પાણીનો પ્રવાહ ઝડપી છે અને ત્યાં માટી-કાંપ એકઠો થઇ જવો કુદરતી ઘટના છે. તેને થોડા સમય માટે રોકી શકાય પરંતુ કાયમી ધોરણે નહીં. જેથી દહેજથી ફેરી સર્વિસ શરૂ કરવી યોગ્ય નથી. 615 કરોડના પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે માટી-કાંપ દૂર કરવા માટેની ડ્રેજિંગ પ્રક્રિયા પાછળ 117 કરોડ ખર્ચ્યા છે. 2019થી દહેજથી ઘોઘા રો-રો ફેરીની સેવાઓ બંધ છે. ત્યારબાદ દહેજ જેટીને ગુજરાત સરકારે કંડલા પોર્ટને સોંપી, પરંતુ બાદમાં તેમણે પરત કરી દીધી હતી. ‘મોટું જહાજ કે ફેરી ના ચાલી શકે’
ખંભાતનો અખાત અન્ય સ્થળો કરતાં વધુ ખરબચડો છે. દહેજ નર્મદા નદીના મુખ સ્થાને છે, જેના કારણે નદીના પાણીમાંથી વહેતો કાંપ દરિયામાં જાય છે. તે જ સમયે, જો કોઈ મોટાં મોજાં કે લહેરોના કારણે કાંપ પાછો આવી જાય છે. જેથી સિલ્ટીંગની સમસ્યા સર્જાય છે. નાની બોટની સરખામણીમાં મોટી બોટોને મુશ્કેલી પડે છે. તેને હંગામી ધોરણે સરખું કરી શકાય પણ તેનો કાયમી ઉકેલ નથી’ -જ્ઞાનેન્દ્રકુમાર, ભારતીય નેવીમાં કામ કરી ચૂકેલા હાઇડ્રોગ્રાફર
દહેજ ટર્મિનલ કેન્દ્ર સરકારને પરત કરવાની પ્રક્રિયા
કંડલા પોર્ટે દહેજ ટર્મિનલને ફરી સરકારને સોંપ્યું કંડલા પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દંતાણીએ જણાવ્યું હતું કે અમારી પાસે 2021માં થોડા મહિના માટે દહેજ ટર્મિનલ હતું, બાદમાં ત્યાંથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને કેટલીક ટેક્નિકલ સમસ્યાઓ પણ હતી. અમારા ટેક્નિકલ વિભાગે કહ્યું કે લાંબા સમય સુધી ત્યાંથી ફેરી સર્વિસ ચલાવી નહીં શકાય.
આ પછી અમે ઘોઘા અને સુરત વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરી. અહીં સારો પ્રતિસાદ છે અને ફેરીને ડેપ્થ પણ મળી રહી છે. દહેજ ટર્મિનલ કેન્દ્ર સરકારને પરત કરવાની પ્રક્રિયા કરી દેવામાં
આવી છે.

Related Post