સાઇબર છેતરપિંડી કે ટેકનિકલ ખામી?: બારડોલીના નાલંદા સ્કૂલના 15 વિદ્યાર્થીઓ ચિંતામાં, NEET-UGની હોલ ટિકિટ માટે આખી રાત મથામણ ચાલતી રહી

સાઇબર છેતરપિંડી કે ટેકનિકલ ખામી?:બારડોલીના નાલંદા સ્કૂલના 15 વિદ્યાર્થીઓ ચિંતામાં, NEET-UGની હોલ ટિકિટ માટે આખી રાત મથામણ ચાલતી રહી
Email :

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી જાણીતી નાલંદા વિદ્યાલયના 15 વિદ્યાર્થીઓનું NEET 2025 જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં હોલટિકિટ ડાઉનલોડ નહીં થતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ વ્યાપ્ત થયો છે. શાળાના કુલ 19 વિદ્યાર્થીઓએ NEET માટે નોંધણી કરી હતી, જેમાં માત્ર 4 વિદ્યાર્થીઓની હોલટિકિટ સમયસર મળી શકી, જ્યારે બાકી 15 વિદ્યાર્થીઓ હજી પણ હોલટિકિટ વિના નિરાશ થયા છે. વાલીઓ ને લાગે છે કે આ સમગ્ર ઘટનામાં ક્યાંક સાઇબર છેતરપિંડી થઈ હશે અથવા તો ટેકનિકલ ખામી

આવી રહી છે, શાળા તરફ થી જાણવામાં આવ્યું છે keઆખી સમસ્યા ટેકનિકલ ખામીઓના કારણે છે. મોડી રાત સુધી વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શાળાનું તંત્ર હોલટિકિટ મેળવવા માટે મથામણ કરતા રહ્યા હતા. મુશ્કેલીમાં ફસાયેલા વાલીઓ અને શાળા તરફથી ગુજરાતના ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલને સહાય માટે આજીજી કરવામાં આવી હતી. પાટીલએ તરત જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ફોન કરી અને વિદ્યાર્થીઓના હિતમાં હોલટિકિટની સમસ્યા ઉકેલવા માટે રજૂઆત કરી હતી. તેમ છતાં, જ્યારે આ

સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પણ 15 વિદ્યાર્થીઓ હજી પણ હોલટિકિટ વિના છે અને તેમને પરીક્ષામાં બેઠા વિના ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. આ ઘટનાએ સુરતના શિક્ષણ તંત્રથી લઈને દિલ્હીના શિક્ષણ મંત્રાલય સુધી ખળભળાટ મચાવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી (ડી.ઈ.ઓ.)એ પણ જણાવ્યું કે સમગ્ર મામલો તેમના માટે પણ અનોખો છે અને હજુ સુધી પૂરતું સ્પષ્ટ નથી. જિલ્લા કલેક્ટર અને દિલ્હી સુધી સંપર્ક કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓના હિતમાં સતત પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Related Post