નવસારી મહાપાલિકાના હંગામી સફાઈ કર્મચારીઓની માંગ: 5થી 20 વર્ષથી કાર્યરત કર્મચારીઓને કાયમી કરવા ડે.કમિશનરને આવેદન

નવસારી મહાપાલિકાના હંગામી સફાઈ કર્મચારીઓની માંગ:5થી 20 વર્ષથી કાર્યરત કર્મચારીઓને કાયમી કરવા ડે.કમિશનરને આવેદન
Email :

નવસારી મહાનગરપાલિકામાં વર્ષોથી હંગામી ધોરણે કાર્યરત સફાઈ કર્મચારીઓએ આજે કાયમી નિમણૂક માટે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. આ કર્મચારીઓ છેલ્લા 5થી 20 વર્ષથી શહેરની સ્વચ્છતા જાળવવાનું કાર્ય કરી રહ્યા છે. વાલ્મિકી સમાજના આ સફાઈ કર્મચારીઓએ નવસારી મહાપાલિકાને ગુજરાતમાં સ્વચ્છતા ક્ષેત્રે પ્રથમ સ્થાન અપાવવામાં મહત્વની ભૂમિકા

ભજવી છે. તેમણે પૂર, ભૂકંપ, પ્લેગ અને કોરોના મહામારી જેવી આપત્તિઓ દરમિયાન પણ પોતાના જીવના જોખમે સેવા આપી છે. તેઓ કડક તડકો, ભારે વરસાદ કે કડકડતી ઠંડીમાં પણ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી નિભાવે છે. સફાઈ કામદાર મંડળના પ્રમુખ હસમુખ સોલંકીએ જણાવ્યું કે મહાનગરપાલિકામાં નવી ભરતી

વખતે લાંબા સમયથી કાર્યરત કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ છે. છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કામદારોને કાયમી કરવામાં આવ્યા નથી. આ કર્મચારીઓ શહેરની જનતાના આરોગ્યના રક્ષક તરીકે કામ કરી રહ્યા છે. તેમની માંગણી લાંબા સમયથી સેવા આપતા કર્મચારીઓને સુરક્ષા અને સ્થાયિત્વ પ્રદાન કરવા માટેની છે.

Leave a Reply

Related Post