નર્મદા કેનાલમાં પાણી છોડવાની માગ: બોટાદના ખેડૂતોએ 48 કલાકની મુદત આપી, આંદોલનની ચીમકી

નર્મદા કેનાલમાં પાણી છોડવાની માગ:બોટાદના ખેડૂતોએ 48 કલાકની મુદત આપી, આંદોલનની ચીમકી
Email :

બોટાદ જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ લીમડી-બોટાદ બ્રાન્ચ નર્મદા કેનાલમાં પાણી છોડવા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ખેડૂતોએ 48 કલાકમાં પાણી ન છોડાય તો ગાંધી માર્ગે આંદોલન અને આમરણાંત ઉપવાસની ચેતવણી આપી છે.

આ કેનાલ વલભીપુર, ગઢડા, બોટાદ, ચુડા, રાણપુર, લીમડી અને વઢવાણ એમ સાત તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ખેડૂતોએ નર્મદા નિગમમાં વારંવાર લેખિત અને ટેલિફોનિક રજૂઆતો કરી છે. પરંતુ પાણી ન છોડવાથી ખેડૂતો

મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ કલેક્ટરને કરેલી રજૂઆત મુજબ, પાણીના અભાવે તેમના લાખો રૂપિયાના બિયારણ અને ખાતર નષ્ટ થઈ રહ્યા છે. જો સત્વરે પાણી ન છોડવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.

Leave a Reply

Related Post