માતા બનવા માટે દિયા મિર્ઝા મૌત સામે લડી!: એક્ટ્રેસે પ્રેગનન્સીનો અનુભવ શેર કર્યો, કહ્યું- જન્મના કેટલાય દિવસ સુધી દીકરાને ખોળામાં નહોતી લઈ શકી

માતા બનવા માટે દિયા મિર્ઝા મૌત સામે લડી!:એક્ટ્રેસે પ્રેગનન્સીનો અનુભવ શેર કર્યો, કહ્યું- જન્મના કેટલાય દિવસ સુધી દીકરાને ખોળામાં નહોતી લઈ શકી
Email :

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ તાજેતરમાં જ માતા બનવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેણે જણાવ્યું કે- જ્યારે તે પ્રેગનેટ હતી, ત્યારે તેનો અને તેના પુત્રનો જીવ જોખમમાં હતો. દિયાએ 39 વર્ષની ઉંમરે પુત્ર અવયાન આઝાદ રેખીને જન્મ આપ્યો, પરંતુ આ સફર સરળ નહોતી. પ્રેગનન્સીના પાંચમા મહિનામાં દિયાએ એપેન્ડિસાઈટિસ સર્જરી કરાવી. આ પછી તેને ખતરનાક બેક્ટેરિયલ ચેપ લાગ્યો. પ્રેગનન્સી દરમિયાન ઇન્ફેક્શન અને જોખમી સ્થિતિ યુટ્યુબ ચેનલ 'ઓફિશિયલ પીપલ ઓફ ઈન્ડિયા' સાથેની

વાતચીતમાં દિયાએ કહ્યું, "મારી પ્રેગનન્સીના પાંચમા મહિનામાં મારી એપેન્ડિક્સ સર્જરી થઈ હતી. કદાચ એટલા માટે જ મને ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું હતું. છઠ્ઠા મહિનાના અંતે, અમને ખબર પડી કે મારા પ્લેસેન્ટામાં રક્તસ્ત્રાવ થઈ રહ્યો છે અને મારા શરીરમાં સેપ્સિસ ફેલાઈ રહ્યો છે. જો તે સમયે બાળકની ડિલિવરી ન થઈ હોત, તો હું અને બાળક બંને બચી શક્યા ન હોત. તે સમય જોખમી સ્થિતિમાંથી પસાર થયો હતો."

'મેં ફક્ત મારા દીકરાને બચાવવાની વિનંતી કરી હતી' જ્યારે દિયાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, ત્યારે દિયા ડૉક્ટરને ફક્ત તેના દીકરાને બચાવવા કહ્યું, પરંતુ તેના ગાયનેકોલોજિસ્ટે તેને ખાતરી આપી કે બંનેને બચાવી લેશે. જ્યારે અવયાનનો જન્મ થયો, ત્યારે તેનું વજન ફક્ત 810 ગ્રામ હતું અને તેને તરત જ NICUમાં દાખલ કરવામાં આવ્યો. તે સમયે દિયા પોતે એન્ટિબાયોટિક ઇન્જેક્શન લઈ રહી હતી. જન્મના 36 કલાકની અંદર અવયાનની પહેલી સર્જરી દિયાએ કહ્યું, 'ડોકટરોને

ખબર પડી કે મારા શરીરમાં બેક્ટેરિયા જીવલેણ છે. એટલા માટે અવયાનને તેના જન્મના 36 કલાકની અંદર સર્જરી કરાવવી પડી. તેના આંતરડામાં કાણું હતું અને ડોકટરોએ તેના આંતરડાને શરીરમાંથી બહાર કાઢીને સ્ટોમા મૂકવું પડ્યું, આ રીતની એક ગંભીર સર્જરી કરવામાં આવી હતી.' દીકરાને હાથમાં લેવા માટે લાંબી રાહ જોવી પડી દિયાએ કહ્યું, 'હું અઠવાડિયામાં ફક્ત બે વાર અવયાનને મળવા જઈ શકતી હતી. જ્યાં સુધી તેનું વજન 2.5 કિલો ન

થયું ત્યાં સુધી હું તેને હાથમાં પણ નહોતી લઈ શકતી. જ્યારે હું તેને ઘરે લાવી, ત્યારે તે ફક્ત 20 દિવસ મારી સાથે રહ્યો. કોઈ નર્સ તેને સ્પર્શ કરવા તૈયાર નહોતી કારણ કે તે ખરેખર ભયાનક દૃશ્ય હતું. તેથી મેં ડ્રેસિંગ કર્યું. જ્યારે તેનું વજન 3.5 કિલો થઈ ગયું, ત્યારે તેની બીજી સર્જરી થઈ જે 3-4 કલાક ચાલી, અને સ્ટોમા ઠીક થઈ ગયો." અવયાનનો જન્મ મે 2021માં થયો હતો દિયા

મિર્ઝાના લગ્ન 2014માં સાહિલ સંઘા સાથે થયા હતા, પરંતુ બંને 2019માં અલગ થઈ ગયા હતા. ત્યારબાદ 2021માં તેણીએ ઉદ્યોગપતિ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. લગ્ન એક ખાનગી સમારંભમાં થયા હતા, જેમાં એક મહિલા પંડિતે વૈદિક પદ્ધતિ અનુસાર વિધિઓ કરી હતી. બંને લોકડાઉન દરમિયાન મળ્યા હતા. મે 2021માં, દિયાએ તેના પુત્રના જન્મના સમાચાર શેર કર્યા. તેનો જન્મ સમય પહેલા થયો હતો અને તે બે મહિના સુધી NICUમાં રહ્યો હતો.

Leave a Reply

Related Post