Diabetesના દર્દી બ્લડ સુગર લેવલ પર કરી શકશે નિયંત્રણ, યોગ આપશે લાભ:

Diabetesના દર્દી બ્લડ સુગર લેવલ પર કરી શકશે નિયંત્રણ, યોગ આપશે લાભ
Email :

આજે લોકોમાં કેન્સર, હાર્ટએટેક, થાઈરોઈડ, અસ્થમા અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનું પ્રમાણ વધ્યું છે. આજે નાની વયના લોકોમાં પણ હાર્ટએટેક અને ડાયાબિટિસની સમસ્યા વધી છે. કેન્સરમાં કેટલાક સ્ટેજ પર તેનું નિદાન શક્ય બને છે ત્યારે ડાયાબિટીસ જેવો રોગમાં એકવાર નિદાન થયા બાદ તેને સંપૂર્ણપણે દૂર રાખી શકાતો નથી. પરંતુ હા, આ રોગમાં કાળજી રાખવામાં આવે તો ડાયાબિટીસના જોખમી સ્ટેજથી દૂર રહી શકાય છે. 

ભારતની વર્ષોજૂની યોગ પદ્ધતિને આજે દુનિયા પણ અનેક રોગોમાં શ્રેષ્ઠ ઉપચાર સહાયક માની રહી છે. ડોક્ટરો પણ ગંભીર બિમારીની સારવારમાં રાહત મેળવવા યોગ કરવાની સલાહ આપતા હોય છે. ડાયાબિટીસ જેવા ગંભીર રોગના દર્દી માટે આ યોગાસન વધુ અસરકારક સાબિત થશે.

બ્લડ સુગરને નિયંત્રિત કરે છે આ આસન

પશ્ચિમોત્તાસન (Paschimottanasana) યોગનું એક મહત્વપૂર્ણ આસન છે, જેમાં શરીર આગળ વળે છે અને પીઠનો વિસ્તાર થાય છે. "પશ્ચિમ" એટલે પીઠની દિશા (પશ્ચિમ દિશા), અને "ઉત્તાન" એટલે ખેંચાવું. આ આસન મુખ્યત્વે પીઠના ભાગને ખેંચે છે અને મન-શરીરને શાંત કરે છે. આ આસન સ્વાદુપિંડ અને પેટના અવયવોની માલિશ કરે છે, બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને તણાવ ઘટાડે છે. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. 

પશ્ચિમોત્તાસન કરવાની રીત:

આ આસન કરવા માટે સૌ પ્રથમ તમે જમીન પર કોઈ આસન અથવા યોગશીટ પર બેસો .તેના પર બેઠા બાદ પગ આગળ ખેંચેલા અને પીઠ સીધી રાખી ટટ્ટાર બેસો. ત્યારપછી શ્વાસ લો અને ધીરે ધીરે હાથ ઉપર ઉઠાવો. આમ કર્યા બાદ શ્વાસ છોડતા પગ તરફ વાળો. પેટ-છાતી પગ સાથે લગાડવાનો પ્રયત્ન કરો અને હાથથી પગના અંગૂઠા પકડો (શક્ય હોય તેટલો નમવા પ્રયાસ કરો.) હાથથી તમારા પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.

દરમિયાન મોં બંધ રાખી સામાન્ય ક્રિયાની જેમ શ્વાસ લેવો. આ સ્થિતિમાં 20-30 સેકન્ડ સુધી રહેવું અથવા જ તમને વધુ શ્રમ પડતો હોય તો ધીરે-ધીરે સામાન્ય સ્થિતિમાં (પરંતુ યોગમાં આ સમય વધારવા પ્રયાસ કરતા રહેવું.) પાછા આવી જવું.

યોગનું શક્તિશાળી આસન ધનુરાસન 

ધનુરાસન (Dhanurasana) એ યોગનું એક શક્તિશાળી આસન માનવામાં આવે છે, જેમાં શરીર ધનુષ (ધનુષ્ય) જેવું દેખાય છે – એટલે તેનું નામ "ધનુરાસન" છે. આ આસન શરીરને ઊર્જાવાન બનાવે છે અને પાચન, પીઠ અને હોર્મોન તંત્ર માટે ખાસ લાભદાયક છે.

ધનુરાસન કરવાની રીત:

આ આસન કરવા માટે સૌ પ્રથમ પેટના બળે સીધા સુઇ જાવ. પછી તમારા ઘૂંટણ વાળો અને પગ પાછળથી ઉંચા કરીને હાથથી તેને પકડી લો. શ્વાસ લેતાં પગ અને શરીરનો આગળનો છાતી ભાગ ઉપર ઊંચકો. આમ કરવાથી શરીર ધનુષ જેવું બનશે. આ સ્થાન લીધા બાદ નજર આગળ રાખો, અને શ્વાસ સામાન્ય રાખો. આશરે 15-30 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો. (અથવા તમારી શક્તિ મુજબ). પછી શ્વાસ છોડતા ધીરે ધીરે પાછા જમીન પર આવો.

આ આસન કરવાથી પાચનતંત્ર સુધરે છે. પેટ પર દબાણથી પાચન ગ્રંથિઓ સક્રિય થાય છે. એટલે ગેસ, કબજિયાત, અજીર્ણની સમસ્યામાં રાહત મળે છે. આ સાથે જ પીઠદર્દ, કમરદર્દમાં પણ આરામ મળે છે. આ આસન કરવાથી થાઈરોઈડ, પિચ્યુટરી અને અન્ય ગ્રંથિઓ સક્રિય થાય છે.પેટની ચરબી ઓછી કરવા અને બ્લડ સુગર નિયંત્રણ માટે ઉત્તમ આસન છે.

 યોગાસનોને તમારા દિનચર્યામાં સામેલ કરો

ડાયાબિટીસના દર્દીમાં સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતા બ્લડ સુગરનું લેવલ વધે છે. આ બ્લડ સુગર લેવલ સામાન્ય કરતા વધારે થઈ જાય તો ડાયાબિટીસના દર્દીને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલે જો તમે ડાયાબિટીસના દર્દી છો અને તમારા બ્લડ સુગરને કુદરતી રીતે નિયંત્રિત કરવા માંગો છો, તો આ યોગાસનોને તમારા દિનચર્યામાં જરૂર સામેલ કરો.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post