ટ્રમ્પે ટેરિફ ફરીથી લાદ્યા: હાયર કોર્ટે નીચલી અદાલતના નિર્ણયને ઉથલાવ્યો; ટ્રેડ કોર્ટે ટેરિફને ગેરબંધારણીય ગણાવી કાયમી પ્રતિબંધ લાદ્યો હતો

ટ્રમ્પે ટેરિફ ફરીથી લાદ્યા:હાયર કોર્ટે નીચલી અદાલતના નિર્ણયને ઉથલાવ્યો; ટ્રેડ કોર્ટે ટેરિફને ગેરબંધારણીય ગણાવી કાયમી પ્રતિબંધ લાદ્યો હતો
Email :

યુએસ ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રોકવાના ટ્રેડ કોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો છે. બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને ફેડરલ ટ્રેડ કોર્ટે કાયમી ધોરણે અવરોધિત કર્યા હતા, અને તેમને ગેરબંધારણીય ગણાવ્યા હતા. ટ્રમ્પ વહીવટીતંત્રે આ નિર્ણયને ફેડરલ સર્કિટની અપીલ કોર્ટમાં પડકાર્યો, જેણે સ્વીકારી લીધો. આ પછી નીચલી કોર્ટ (ટ્રેડ કોર્ટ)ના આદેશ પર કામચલાઉ સ્ટે લાદવામાં આવ્યો. તેનો અર્થ એ કે ટ્રમ્પના ટેરિફ હાલ પૂરતા ચાલુ રહેશે. કોર્ટે કહ્યું હતું- ટ્રમ્પે બંધારણથી ઉપર જઈને ટેરિફ લાદ્યા હતા આ પહેલા બુધવાર, 28 મેના રોજ મેનહટનમાં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ટેરિફ પર

રોક લગાવી દીધી હતી, અને કહ્યું હતું કે ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને બંધારણના અવકાશની બહાર આ ટેરિફ લાદ્યા છે. કોર્ટે કહ્યું હતું કે ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)નો દુરુપયોગ કર્યો છે. આ કાયદો રાષ્ટ્રપતિને કટોકટી દરમિયાન કેટલાક નિર્ણયો લેવાની વિશેષ સત્તા આપે છે. પરંતુ, ટ્રમ્પે કોઈ નક્કર કારણ વગર આ સત્તાઓનો ઉપયોગ કર્યો. કોર્ટે એમ પણ કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના અધિકારક્ષેત્રની બહાર જઈને વેપાર ભાગીદારો પર ભારે ટેરિફ લાદ્યા. યુએસ બંધારણ કોંગ્રેસને અન્ય દેશો સાથેના વેપારનું નિયમન કરવાની સત્તા આપે છે. પરંતુ ટ્રમ્પે બંધારણ કરતાં

પોતાના વિશેષ અધિકારોને ઉપર રાખીને ટેરિફ નક્કી કર્યો. રાષ્ટ્રપતિની વિશેષ સત્તાઓનો અર્થ એ નથી કે તેઓ કોઈપણ પરિસ્થિતિને કટોકટી કહીને કંઈ પણ કરી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતું કે આ નિર્ણયમાં કોઈ મજબૂતાઈ નથી અને તેને ઉથલાવી દેવામાં આવશે વ્હાઇટ હાઉસના આર્થિક સલાહકાર કેવિન હેસેટે ગુરુવારે ફોક્સ બિઝનેસ સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ફેડરલ કોર્ટના નિર્ણયમાં કોઈ યોગ્યતા નથી અને આખરે તેને ઉથલાવી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોર્ટનો નિર્ણય ટેરિફ દ્વારા વ્યવસાયિક સોદા માટે પ્લેટફોર્મ બનાવવાના માર્ગમાં અવરોધ નહીં બને. ટેરિફ પર ચુકાદો આપનારા ન્યાયાધીશો કાર્યકર્તાઓ છે.

તો ચિંતા કરવાની કોઈ વાત નથી. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં ટેરિફે મોટી ભૂમિકા ભજવી હતી અહેવાલો અનુસાર ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટમાં દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મે, 2025 ના રોજ યુદ્ધવિરામને શક્ય બનાવવા માટે ટેરિફ સત્તાઓનો ઉપયોગ કર્યો હતો. વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે કોર્ટને જણાવ્યું હતું કે ટ્રમ્પે બંને દેશોને યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવા માટે અમેરિકા સાથે વેપાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે યુદ્ધવિરામ થયો. હોવર્ડે જણાવ્યું હતું કે ટેરિફ વિરુદ્ધ નિર્ણય ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો અંત લાવી શકે છે, જે પ્રાદેશિક સુરક્ષા અને લાખો લોકોના

જીવન માટે જોખમી બની શકે છે. જોકે, યુએસ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રની દલીલને ફગાવી દીધી, ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો અને કહ્યું કે તેનો ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સાથે કોઈ સંબંધ નથી. બે મુકદ્દમાના આધારે ટેરિફ બંધ કરવામાં આવ્યા હતા: બંનેએ દલીલ કરી હતી કે ટેરિફ નાના વ્યવસાયોને નુકસાન પહોંચાડી રહ્યા છે કારણ કે આયાતી માલના ભાવ વધવાથી તેમના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. કોર્ટે આ દલીલો સ્વીકારી અને ઠરાવ્યું કે રાષ્ટ્રપતિ પાસે આટલા મોટા ટેરિફ લાદવાનો બંધારણીય અધિકાર નથી. 2 એપ્રિલના રોજ ટ્રમ્પે વિશ્વભરના ઘણા દેશો પર ટેરિફ લાદ્યા હતા 2 એપ્રિલ, 2025 ના રોજ, ટ્રમ્પે

તેને 'લિબરેશન ડે' નામ આપ્યું અને વિશ્વભરના 100 થી વધુ દેશોમાંથી આવતા માલ પર નવા ટેરિફની જાહેરાત કરી. તેમણે દાવો કર્યો હતો કે આ ટેરિફ અમેરિકન અર્થતંત્રને મજબૂત બનાવશે અને તે દેશોને પાઠ શીખવશે જે અમેરિકા પાસેથી ઓછો માલ ખરીદે છે અને વધુ વેચે છે. જોકે, બાદમાં ચીન સિવાયના તમામ દેશો પર ટેરિફ 90 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ટ્રમ્પના ટેરિફના જવાબમાં ચીને પણ ટેરિફ લાદ્યો હતો. આ કારણોસર, ચીનને ટેરિફ રાહત આપવામાં આવી ન હતી. ચીનનો ટેરિફ વધારીને ૧૪૫% કરવામાં આવ્યો. વાટાઘાટો પછી, ચીન પરના ટેરિફ પણ ઘટાડવામાં આવ્યા હતા.

Leave a Reply

Related Post