AMC વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણના કાકાના ઘરે ED પહોંચી: શરીફખાનના વ્હાઇટ હાઉસ સહિત સલીમખાન સાથે સંકળાયેલા લોકોને ત્યાં સર્ચ; વક્ફની જમીન પચાવી પાડવાના કેસમાં તપાસ

AMC વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણના કાકાના ઘરે ED પહોંચી:શરીફખાનના વ્હાઇટ હાઉસ સહિત સલીમખાન સાથે સંકળાયેલા લોકોને ત્યાં સર્ચ; વક્ફની જમીન પચાવી પાડવાના કેસમાં તપાસ
Email :

અમદાવાદમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદે દબાણ કરનાર ગુનેગાર સલીમ જુમ્માખાન પઠાણના ઘર સહિત 10 અલગ-અલગ જગ્યાએ ED (એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર અને ખેડા સહિતનાં સ્થળો ઉપર ED દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજે 6 મેના રોજ વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સૌદાગર બિલ્ડર્સ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનારા એવા ગુનેગાર સલીમ જુમ્માખાન પઠાણનાં અલગ-અલગ સ્થળો પર ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જમાલપુર કાચની મસ્જિદ, સના 7 બિલ્ડિંગ, ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ

સર્ચ-ઓપરેશન કરવામાં આવ્યું છે. સલીમ જુમ્માખાન પઠાણ દ્વારા વક્ફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની મિલકતો અને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સલીમખાન પઠાણના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે જેમાં સલીમખાન સાથે સંકળાયેલા તેમના સંબંધીઓના ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણના કાકા શરીફખાન પઠાણના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. EDએ સ્થાનિક પોલીસનો બંદોબસ્ત માંગ્યો હતો:એસીપી સમગ્ર મામલે ઈ ડિવિઝન એસીપી વાણી

દુધાતે જણાવ્યું હતું કે શહેરના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેના માટે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. ઇડી દ્વારા સલીમ જુમ્માખાન પઠાણની સાથે સંકળાયેલા તમામ લોકોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે જેને લઇને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. કાચની મસ્જિદની જમીન પર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી અને ભાડું ઉઘરાવતો હોવાનું સામે આવ્યું હતું જે મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી સલીમ જુમ્માખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. શહેઝાદખાન પઠાણના કાકા શરીફખાન પઠાણના ઘરે પણ દરોડા જમાલપુર વકફ બોર્ડની જમીન પચાવી પાડવા મામલે સલીમખાન પઠાણના ત્યાં દરોડા

પાડવામાં આવ્યા છે જેમાં સલીમખાન સાથે સંકળાયેલા તેમના સંબંધીઓના ત્યાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણના કાકા શરીફખાન પઠાણના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. શરીફખાન પઠાણ નવાબ બિલ્ડર્સના નામે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. દાણીલીમડા ખાતે આવેલા વ્હાઇટ હાઉસ ખાતેના શરીફ ખાનના ઘરે ઈડી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. વિવિધ મિલકતો દસ્તાવેજો વગેરે અંગેની તપાસ શરીફખાનના ઘરે કરવામાં આવી રહી છે. 100 મકાનનું મકાન દીઠ 7થી 8 હજાર ભાડું લેતા હતા જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટમાં

ટ્રસ્ટી ન હોવા છતાં સલીમખાન સહિતના પાંચ લોકોએ વક્ફ બોર્ડની અને બોર્ડે AMCને આપેલી જમીન પર ગેરકાયદે દુકાનો અને મકાન બનાવી લાખો રૂપિયાના ભાડાની વસૂલાત કરી હોવાનું સામે આવ્યું હતું. જે પાંચ લોકો ઝડપાયા છે તેઓ વક્ફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં ખોટી ઓળખ આપી બોર્ડની મિલકતમાં રહેતા લોકો પાસેથી ભાડાની વસૂલાત કરતા હતા. તેઓ 100 મકાનનું મકાન દીઠ 7થી 8 હજાર ભાડું લેતા હતા. નવી શાળા બનાવવાના બદલે ગેરકાયદે દુકાન ખડકી દીધી વક્ફ બોર્ડે AMCને શાળા માટે આપેલી જમીન પરની શાળા જર્જરિત થયા બાદ આરોપીઓએ ત્યાં નવી શાળા બનાવવાના બદલે ગેરકાયદે દુકાન ખડકી દીધી હોવાનું

પણ સામે આવ્યું હતું. સલીમખાન સહિતની ટોળકી વક્ફ બોર્ડની અંદાજિત 100 કરોડની મિલકતનું ગેરકાયદે રીતે ભાડું વસૂલતા હોવાનો ખુલાસો થયો છે. બની બેઠેલા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડી ગેરકાયદે દુકાનો ખડકી દીધી અગાઉ જમાલપુરમાં કાચની મસ્જિદની પાસે રહેતા મોહમ્મદ રફીક અન્સારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ વર્ષોથી કાચની મસ્જિદ ટ્રસ્ટની મિલકતમાં રહે છે. ટ્રસ્ટના તમામ જૂના ટ્રસ્ટીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. મસ્જિદ ટ્રસ્ટમાં મસ્જિદને અડીને જમીન આવેલી છે. જમીન વર્ષો પહેલાં ટ્રસ્ટ દ્વારા એએમસીને સોંપવામાં આવી હતી. 2001ના ભૂકંપમાં AMCની સ્કૂલ જર્જરિત થતા તકનો ફાયદો લીધો ત્યાર બાદ એએમસીએ આ જગ્યા ઉપર સ્કૂલ બનાવી

હતી. 2001માં ભૂકંપ સમયે સ્કૂલનું બાંધકામ જર્જરીત થઈ ગયું હતું. આ તકનો ફાયદો ઉઠાવી 2009માં બની બેઠેલા ખોટા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડી પાડ્યું હતું અને બીજી ઉર્દૂ શાળા બનાવી નહોતી. તે જગ્યા ઉપર 10 દુકાનો બનાવી હતી, જેમાં સલીમખાને પોતાની સોદાગર કન્સ્ટ્રક્શન નામની ઓફિસ ખોલી હતી અને અન્ય 9 દુકાનો ભાડુઆતને ભાડે આપી હતી. જે ભાડું આવ્યું તે ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કરાવ્યું નથી અને કોર્પોરેશનમાં પણ જમા કરાવ્યું નથી. સલીમ ખાને એએમસી અને વકફ બોર્ડ સાથે છેતરપિંડી કરી છે. ટ્રસ્ટની મિલકતમાં આરોપીઓએ ફ્લેટ પણ બનાવી નાખ્યા સલીમખાન 15 લોકો પાસેથી મકાનના ભાડા પેટેના ગેરકાયદેસર ભાડાં ઉઘરાવે

છે. આ ઉપરાંત બોર્ડમાં સલીમ ખાન પઠાણ, મહેબૂબ ખાન તથા અન્ય કોઈ વ્યક્તિની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ નથી છતાં તે લોકો ગેરકાયદેસર રીતે ભાડા ઉઘરાવે છે. એટલું જ નહીં 2005થી સલીમ ખાન અને તેમની સાથેના અન્ય ચાર લોકો ભેગા મળીને વકફ બોર્ડમાં ટ્રસ્ટી તરીકે ન હોવા છતા ટ્રસ્ટની મિલકતના 25થી 30 દુકાનો 200 જેટલા મકાનો જેમાં બે ગેરકાયદેસર 6 માળના ફ્લેટ પણ બનાવ્યા છે, તેનું પણ ભાડું ઉઘરાવે છે. ભાડાની રકમ તે તો પોતાના ફાયદા માટે ઉપયોગમાં લે છે. શાહ બડા કાસિમ ટ્રસ્ટની દાનપેટી છે, જે દાનપેટીમાં દર મહિને 50,000ની આવક થાય છે તે પણ

આ લોકો વાપરે છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પાંચ સામે ફરિયાદ સલીમ ખાન વિરુદ્ધમાં હત્યા, રાયોટિંગ સહિતના ગુના પણ નોંધાયેલા છે. 23 જુલાઈ 2024ના રોજ ખોટું સોગંદનામું કરીને ટ્રસ્ટી તરીકે વકફ બોર્ડમાં રજૂ કર્યું હતું. વકફ બોર્ડ ગાંધીનગર ખાતે પણ ખોટું સોગંદનામું રજૂ કર્યું છે. આમ સલીમ ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમુદ ખાન પઠાણ, ફેઝ મોહમ્મદ જોબદાર, શાહિદ અહેમદ શેખ પાંચેય જણાએ ભેગા મળીને ટ્રસ્ટી ન હોવા છતાં વકફ બોર્ડની મિલકતમાં રહેતા અને દુકાન ધરાવતા લોકો પાસેથી ગેરકાયદેસર ભાડા વસૂલ કર્યાં છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે પાંચે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Related Post