Editor's View: એક્શન મોડમાં મોદી

Editor's View: એક્શન મોડમાં મોદી:પહેલગામ હુમલાના 13 દિવસમાં 15 મિટિંગ; પાકિસ્તાન પરસેવે રેબઝેબ, દગાબાજ તુર્કીએ દુશ્મનની આંગળી પકડી
Email :

22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલો થયો. 26 નિર્દોષ ટુરિસ્ટ માર્યા ગયા. આ ઘટનાને 13 દિવસ વીતી ગયા. આ 13 દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર હાઈલેવલ મિટિંગ કરી છે અને બીજી મિટિંગ મળીને 15 મિટિંગો કરી છે. તેમાં પણ છેલ્લા બે દિવસમાં જ બે હાઈલેવલ મિટિંગ કરી. મોદીની મિટિંગ પર મિટિંગ થઈ રહી છે ને બીજી તરફ પાકિસ્તાનને રોજ પરસેવો છૂટી રહ્યો છે. બીજી તરફ આખી દુનિયા ભારતની પડખે ઊભી છે ત્યારે ટચૂકડું તુર્કી પાકિસ્તાનને હથિયારોની મદદ કરી રહ્યું છે. નમસ્કાર, ભારત કાંઈક મોટું કરશે

એવું આખી દુનિયા કહી રહી હતી. હવે તો રક્ષામંત્રી રાજનાથસિંહે પણ આડકતરી રીતે સંકેત આપી દીધો. તેમણે દિલ્હીમાં સનાતન સંસ્કૃતિ જાગરણ મહોત્સવના ભાષણમાં એવું કહ્યું કે, તમે બધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓળખો છો. તેમની કાર્યશૈલીને પણ ઓળખો છો. એવું જ થશે જેવું તમે બધા ઈચ્છો છો. રાજનાથસિંહનું આ વાક્ય કાંઈક મોટું થવાનો ગર્ભિત ઈશારો કરે છે. મોદીની મિટિંગ પર મિટિંગ, પાકિસ્તાનને રોજ પરસેવો છૂટે છે 22 એપ્રિલે પહેલગામમાં ટુરિસ્ટ પર હુમલો થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયા હતા. તેમણે ત્યાંથી જ અમિત શાહને

ફોન કરીને પહેલગામ મોકલ્યા. પોતે પણ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવીને ભારત આવી ગયા. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા ત્યારે વિદેશમંત્રી એસ.જયશંકર અને સુરક્ષા સલાહકાર અજિત દોભાલ હાજર હતા. મોદીએ ત્યાં જ કહ્યું કે, પીએમઓ નથી જવું, એરપોર્ટ પર જ મિટિંગ કરી લઈએ. દિલ્હી એરપોર્ટ પર મોદીએ 23 એપ્રિલે પહેલી મિટિંગ કરી. એ પછી 5 મે સુધીમાં સતત મિટિંગનો દોર ચાલી રહ્યો છે અને નહીં નહીં તો 15થી વધારે મિટિંગ વડાપ્રધાન મોદી કરી ચૂક્યા છે. સર્વપક્ષીય બેઠક થઈ, રક્ષામંત્રી સાથે મિટિંગ થઈ, સાંસદો સાથે મિટિંગ

થઈ, CSCની મિટિંગ બે વાર થઈ. આ રીતે સતત મિટિંગોનો દોર ચાલુ છે. છેલ્લા બે દિવસમાં મોદીએ ત્રણ હાઈલેવલ મિટિંગ કરી 4 મે, રવિવાર અને 5 મે, સોમવારે બે દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈલેવલ મિટિંગ કરી. રવિવારે નેવલ ચીફ એડમિરલ દીનેશ ત્રિપાઠી અને નેવીના બીજા ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી. બીજા દિવસે સોમવારે સવારે એરફોર્સ ચીફ એરમાર્શલ એ.પી.સિંઘ સાથે અડધી કલાક મિટિંગ કરી. પછી બપોરે ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહ સાથે બીજી મિટિંગ કરી. બે જ દિવસમાં ત્રણ હાઈલેવલ મિટિંગથી નક્કી કાંઈક મોટું તો

થવાનું છે, તેવી ચર્ચા થવા લાગી. ડિફેન્સના સેક્રેટરી સાથે મિટિંગ પૂરી કર્યા પછી તરત રશિયાથી રાષ્ટ્રપતિ પુતિનનો ફોન આવ્યો ને તેમણે કહ્યું કે, આતંકવાદને પોષનારાઓ સામે નિર્ણાયક પગલાં લેજો. રશિયા તમારી સાથે છે. દુનિયાના તમામ દેશો ભારતની સાથે છે. ઈરાન, યુએઈ, સાઉદી અરેબિયા બધા ઈસ્લામિક દેશોએ ભારતને સપોર્ટ જાહેર કર્યો છે પણ એક ટચૂકડા ઈસ્લામિક દેશ તુર્કીએ પાકિસ્તાનને ખુલંખુલા સાથ આપ્યો છે. તુર્કીની વોરશિપ કરાચી બંદરે પહોંચી, પાકિસ્તાન તુર્કીના ભરોસે નાચે છે પાકિસ્તાન ગરીબ છે, દેવાળિયો દેશ છે. એવામાં ભારતે જે રીતે ડિપ્લોમેટિક પગલાં

લીધાં. બધી નદીના પાણી રોકીને વોટર સ્ટ્રાઈક કરી એ પછી તો પાકિસ્તાનની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. પણ પાકિસ્તાન માટે ડૂબતાનો સહારો બનીને તુર્કી આગળ આવ્યું છે. ઈસ્લામિક દેશ તુર્કીએ કરાચી બંદરે વોરશિપ મોકલી છે. થોડા દિવસો પહેલાં હથિયારો ભરેલું પ્લેન મોકલ્યું હતું. અત્યારે પાકિસ્તાનને હૈયે ધરપત એટલી જ છે કે, કોઈક તો પોતાની પડખે છે... એટલે પાકિસ્તાન પણ તુર્કીના ભરોસે નાચે છે. પાકિસ્તાનને મદદ કરવા પાછળનો તુર્કીનો હેતુ ક્યો છે? તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોગાન વર્ષોથી ઈચ્છી રહ્યા છે કે ઈસ્લામિક

દેશોમાં તુર્કી પાવરફૂલ લીડર બનીને ઊભરી આવે. અત્યારે ઈસ્લામિક દેશોમાં પાવરફૂલ લીડર સાઉદી અરેબિયા છે. તુર્કીને સાઉદી અરેબિયાની જગ્યા લેવી છે પણ મેળ પડતો નથી. પાકિસ્તાન અને તુર્કી બંને ઈસ્લામિક રાષ્ટ્રો છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (OIC) એ ઈસ્લામિક દેશોનું સંગઠન છે. OICમાં પાકિસ્તાને જ્યારે કાશ્મીર મુદ્દે ઈસ્લામિક દેશોનું સમર્થન માગ્યું ત્યારે અરબ દેશો મૌન રહ્યા. પણ તુર્કીએ પાકિસ્તાનને OICમાં સમર્થન તો આપ્યું પણ UNમાં પણ કાશ્મીરના મુદ્દાને ઉઠાવ્યો. તુર્કીને એમ હતું કે અમે પાકિસ્તાનને સાથ આપીશું તો ઈસ્લામિક દેશો અમારી સાથે રહેશે પણ

એવું થયું નહીં. અરબ દેશોએ ભારત સાથેના વ્યાપારિક સંબંધોને મહત્વ આપ્યું. પહેલગામ હુમલા પછી પાકિસ્તાન અને તુર્કીના સંબંધોની ટાઈમ લાઈનને સમજો તુર્કીએ પાકિસ્તાનને અત્યાર સુધીમાં શું મદદ કરી? Bayraktar TB-2 ડ્રોન T129 એટેક હેલિકોપ્ટર MILGEM Ada-Class કોર્વેટ્સ TAI TF Kan ફાયટર જેટ PNS મોઆવીન અલ્તાય યુદ્ધ ટેન્ક તુર્કીના વિરોધી દેશો, ભારતના મિત્ર દેશો છે જે રીતે ભારત અને પાકિસ્તાન સામસામે છે તેવી રીતે તુર્કીનો ઘણા દેશ સાથે વિવાદ છે. તુર્કીનો ગ્રીસ, ઈઝરાયલ, સાયપ્રસ, અર્મેનિયા સાથે વિવાદ ચાલે છે. આ દેશો સાથે ભારતના સંબંધો સારા

છે. જેમ કે, છેલ્લે, પાકિસ્તાની સુપ્રીમ કોર્ટના વકીલ અને સાંસદ શેર અફઝલ ખાન મારવતને ત્યાંના પત્રકારોએ પૂછ્યું કે, ભારત હુમલો કરશે તો તમે દેશવાસીઓ માટે સરહદે જશો? તેના જવાબમાં પાકિસ્તાની નેતાએ કહ્યું કે, ના. હું તો ઈંગ્લેન્ડ ભાગી જઈશ. આ કિસ્સો સાંભળીને ફિલ્મ KGFનો એક ડાયલોગ યાદ આવે છે... યે ડર હોના ચાહિએ. દિલ મેં હોના ચાહિએ. પર વો દિલ અપના નહીં, સામનેવાલે કા હોના ચાહિએ. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

Leave a Reply

Related Post