Editor's View: મોદી-શાહના શબ્દો સાચા પડ્યા

Editor's View: મોદી-શાહના શબ્દો સાચા પડ્યા:પાકિસ્તાનની કલ્પના બહારનું થઈ ગયું, એક્શન પછીનાં રિએક્શનની હેટ્રિકનું ગજબ ગણિત, આતંકના આકાઓ ધ્રૂજી ગયા
Email :

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેનની યૂટ્યૂબ ચેનલ પર પોડકાસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. એમાં મોદીએ કહેલું કે, દુનિયામાં ક્યાંય પણ આતંકવાદની ઘટના બને, તેનું મૂળ પાકિસ્તાનમાં નીકળે છે. નરેન્દ્રભાઈએ આ મેસેજ આખી દુનિયાને આપ્યો હતો. આ પોડકાસ્ટને માંડ એક મહિનો થયો હતો ત્યાં પહેલગામ પર ટુરિસ્ટ પરના હુમલાથી આ વાત સાચી પડી. દુનિયાએ પણ નોંધ્યું કે, નરેન્દ્રભાઈએ જે વાત કરી હતી તે ખોટી નથી. નરેન્દ્ર મોદી કોઈપણ બાબતમાં પહેલાં એક્શન જોઇને રિએક્શન આપે છે. ખાસ કરીને આતંકવાદની વાતમાં. નમસ્કાર, ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચરમસીમાએ છે. આગળ

શું થાય તે કહી શકાય એવું નથી પણ એટલું ચોક્કસ કે ઓપરેશન સિંદૂર બહુ જલદી પૂરું થાય તેવું લાગતું નથી. પહેલા શુક્રવારના 5 ટેક-અવેની વાત કરીએ... 1. ટેરિટોરિયલ આર્મીને કહેવાયું, તૈયાર રહેજો ટેરિટોરિયલ આર્મી એ નિયમિત સેનાનો એક ભાગ છે. તેની ભૂમિકા નિયમિત આર્મીને ફરજોમાંથી મુક્ત કરવાની છે. બીજી જવાબદારી વહીવટીતંત્રને મદદ કરવાની છે. કોઈપણ કુદરતી અથવા માનવ સર્જીત આપત્તિને કારણે લોકો મુશ્કેલીમાં હોય તેવી પરિસ્થિતિઓમાં આ ટેરિટોરિયલ આર્મી મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે દેશની સુરક્ષા જોખમમાં હોય ત્યારે પણ તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રક્ષામંત્રાલયે ટેરિટોરિયલ આર્મીને તૈયાર

રહેવાની સૂચના આપી છે, તેનો મતલબ એવો થયો કે, અઘોષિત યુદ્ધ ગમે ત્યારે વોર જાહેર થઈ શકે છે. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની હોય કે કોંગ્રેસ નેતા સચિન પાયલટ, એ ટેરિટોરિયલ આર્મીનો ભાગ છે. 2. લુચ્ચું પાકિસ્તાન પેસેન્જર પ્લેનને ઢાલ બનાવે છે સામાન્ય રીતે આ પ્રકારના સંઘર્ષમાં નિયમ એવો છે કે, બંને દેશોએ પોતપોતાની એર સ્પેસ બંધ કરીને લડાઈ કરવી જોઈએ, જેથી સિવિલ ફ્લાઈટ એટલે પેસેન્જરોને લઈ જતી ફ્લાઈટ ભોગ ન બને. પણ પાકિસ્તાને એવું ન કર્યું. પાકિસ્તાન ધરતી પરથી તો છુપાઈને વાર કરે છે. હવે તો આકાશમાંથી પણ

છુપાઈને વાર કરવા લાગ્યું. પેસેન્જર પ્લેનને ઢાલ બનાવે છે. પાકિસ્તાને ઈન્ટરનેશનલ સિવિલ સ્પેસ બંધ ન કરીને સિવિલ ફ્લાઈટની આડમાં ડ્રોનથી, મિસાઈલથી હુમલા કરે છે. એટલે ભારતે જો ડ્રોન તોડવા હોય તો રોકાઈ જવું પડે, નહીંતર પેસેન્જર ભરેલી ફલાઈટને મિસાઈલ હીટ થઈ જાય. પાકિસ્તાન ક્યારેય સામી છાતીએ વાર કરતું નથી. 3. ભારતે તુર્કીના ટુરિઝમનો બોયકોટ કરવો જોઈએ 7 અને 8મી મેની રાત્રે પાકિસ્તાને ભારત પર 400 જેટલા ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો. આમાંથી કેટલાક ડ્રોન તુર્કીના હતા. આ ડ્રોનનો હેતુ એર ડિફેન્સ સિસ્ટમની માહિતી લેવાનો હતો. આ સાબિત થઈ ગયું કે તુર્કી

પાકિસ્તાનને હથિયાર આપીને મદદ કરી રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે ભારત તુર્કીના ટુરિઝમનોબોયકોટ કરે. યાદ છે? લક્ષદ્વીપ વિવાદ વખતે ભારતે માલદીવ્સના ટુરિઝમનો વિરોધ કર્યો હતો. 4. પાકિસ્તાન ધર્મ પર હુમલા કરવા લાગ્યું પહેલગામમાં આતંકીઓએ ધર્મ પૂછીને ગોળી મારી હતી તેમ એટેક કરવામાં પણ ધર્મ જ નિશાને છે. પાકિસ્તાને પૂંચમાં ક્રાઈસ્ટ સ્કૂલ, ચર્ચ અને ગુરૂદ્વારાને નિશાન બનાવ્યા. પાકિસ્તાની ડ્રોનથી પૂંચમાં ક્રાઇસ્ટ સ્કૂલ નજીક ડ્રોનથી હુમલો કર્યો હતો. ક્રાઇસ્ટ સ્કૂલના એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો. ખ્રિસ્તી કોન્વેન્ટ પર પણ બોમ્બ ફેંક્યો. ત્યાં કેટલાક લોકોએ અન્ડરગ્રાઉન્ડ હોલમાં છુપાઈને પોતાનો જીવ

બચાવ્યો. પૂંચમાં જ ગુરૂદ્વારા પર પણ હુમલો થયો હતો. હવે પાકિસ્તાન ચર્ચ, ગુરુદ્વારા અને મંદિરોને નિશાન બનાવી રહ્યું છે. 5. મિટિંગ પે મિટિંગ, સિંદૂરનો રંગ ઘાટો બની રહ્યો છે રાજનાથસિંહે શુક્રવારે સવારે CDS અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દીનેશ ત્રિપાઠી, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એ.પી.સિંઘ, ડિફેન્સ સેક્રેટરી રાજેશ કુમાર સિંહ સાથે હાઈલેવલ મિટિંગ કરી. ગૃહમંત્રી અમિત શાહે BSF DG દલજીતસિંઘ ચૌધરી, CISF DG રાજવિન્દરસિંઘ ભટ્ટી, NSA અજિત ડોભાલ સાથે હાઈલેવલ મિટિંગ કરી. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દેશમાં કૃષિ ઉત્પાદનો અને અન્નના સંગ્રહ વિશે

મિટિંગ કરી તો આરોગ્યમંત્રી જે.પી.નડ્ડાએ દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે મિટિંગ કરી. જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આજની સતત મિટિંગ પછી એવું લાગે છે કે, ઓપરેશન સિંદૂર લાંબુ ચાલશે. સિંદૂરનો રંગ ઘાટો બની રહ્યો છે. હવે એક્શન પછી રિએક્શનની વાત સમજીએ… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલે બિહારમાં, અમિત શાહે 1 મેએ ન્યૂ દિલ્હીમાં અને રાજનાથસિંહે 6મેની સવારે દિલ્હીના એક કાર્યક્રમમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે લડવા હુંકાર કર્યો હતો. આ ત્રણેયના રિ-એક્શન આવ્યા પછી ભારત એક્શન મોડમાં આવ્યું. નરેન્દ્રભાઈએ જે રીતે આતંકીઓ અને તેના બેકર્સ (પાકિસ્તાન) માટે સિંહ ગર્જના કરી હતી તે કરી

બતાવ્યું છે. આતંકીઓ કે પાકિસ્તાનને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે ભારત મોટાપાયે હુમલો કરશે. નરેન્દ્રભાઈએ તેમના સ્વભાવ મુજબ એ કરી બતાવ્યું. અમિત શાહે પણ દિલ્હીના એક કાર્યક્રમમાં સ્પષ્ટ કહી દીધું કે, હર વ્યક્તિ કો ચૂનચૂન કર જવાબ દીયા જાયેગા... એનો અર્થ એવો થાય કે, જે આતંકીઓના આકા છે, પછી એ હાફીઝ સઈદ હોય કે મસૂદ અઝહર. આ બધાને વીણીવીણીને જવાબ આપવામાં આવશે. 6 મેની રાત્રે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની શરૂઆત કરી તે એવી જ રીતે કરી. PoK અને પાકિસ્તાનની અંદર આતંકવાદના જેટલા અડ્ડા હતા તેને ફોક્સ્ડ ટાર્ગેટ કરીને

ધ્વસ્ત કરી દેવાયા. 6 મેએ સવારે રાજનાથસિંહે સંકેત આપ્યો ને રાત્રે ભારતે એર સ્ટ્રાઈક કરી. આ ત્રણેય નેતાઓનું રિએક્શન હતું ને પછી એક્શન હતું. અગાઉ પણ નરેન્દ્ર મોદી આવી વાત કહી ચૂક્યા છે.... છેલ્લે, અત્યારે સોશિયલ મીડિયામાં અલગ અલગ વાતો ફેલાય છે. ATM બંધ થઈ જશે, પેટ્રોલ ખલાસ થઈ જશે, સંગ્રહ કરી રાખવો… સોશિયલ મીડિયામાં મિસાઈલ કરતાં પણ વધારે સ્પીડ છે એટલે કોઈપણ પગલાં લેતાં પહેલાં એ બાબતની ખરાઈ કરી લેવી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

Leave a Reply

Related Post