Editor's View: ત્રણ બાજુથી પાકિસ્તાનની ઘેરાબંધી

Editor's View: ત્રણ બાજુથી પાકિસ્તાનની ઘેરાબંધી:હવે બલૂચિસ્તાન જવાનો ડર, મોદીના એ શબ્દો ને આસામના CMનું સૂચક ટ્વીટ, ભારતની બાજીનાં પાનાં ખૂલ્યાં?
Email :

પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત શું એક્શન લેશે એ આખું વિશ્વ વિચારી રહ્યું છે. આવા સમયે આસામ રાજ્યના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ એક સૂચક ટ્વીટ કરીને ભારતની બાજીનાં કેટલાંક પાનાં ખુલ્લા કર્યાં હોય એમ લાગી રહ્યું છે. તમામ લોકો PoKની વાત કરી રહ્યા છે ત્યારે 27 એપ્રિલે આસામના મુખ્યમંત્રીએ લખ્યું, “બલૂચિસ્તાન સ્વતંત્ર આંદોલનના મૂળમાં 1947-1948ની ઊથલપાથલવાળી ઘટનાઓ છે. જ્યારે અંગ્રેજ શાસનના અંત સમયે કલાત રજવાડાએ બલૂચિસ્તાનનું સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે માગ કરી હતી. એમ છતાં 1948માં આ વિસ્તાર પર પાકિસ્તાને બળજબરીપૂર્વક કબજો કરી લીધો. એના કારણે બલૂચોમાં આક્રોશ ફેલાઈ ગયો. મતાધિકારથી વંચિત, આર્થિક રીતે હાંસિયા પર ધકેલાઇ ગયેલા અને સાંસ્કૃતિક દમનની ઘટનાઓએ બલૂચ લોકોને વિદ્રોહ માટે ઉશ્કેર્યા છે. 2006માં તેમના સન્માનનીય નેતા નવાબ અકબર બુગતીની હત્યાનો દર્દનાક અધ્યાય લખવામાં આવ્યો. આજે બલૂચિસ્તાન આંદોલન તેમની ગરિમા, અધિકારી અને ભાગ્ય પર નિયંત્રણ પર સ્થાયી આકાંક્ષાનું પ્રતીક છે. એક એવો સંઘર્ષ, જે અપાર બલિદાન, બદલાવ અને સ્વતંત્રતા માટે અખંડ ભાવના દર્શાવે છે.” હેમંત

બિસ્વા સરમાના આ શબ્દોમાં માત્ર ઇતિહાસની જ યાદ નથી અપાવતા, પરંતુ ભવિષ્યમાં ભારત સરકાર પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા માટે કેવાં પગલાં લઈ શકે છે એ પણ પ્રતીત કરાવી જાય છે, કારણ કે આ ટ્વીટના જવાબમાં બલૂચિસ્તાનના હક માટે લડતા એક્ટિવિસ્ટ અને લેખક મીર યાર બલોચે લખ્યું, બલૂચિસ્તાનના દેશભક્ત લોકો તમારા સમયસરના નિવેદનને સમર્થન આપે છે. વિશ્વ સમુદાયે હવે પાકિસ્તાન જેવા કટ્ટરપંથી દેશને અપ્રસ્તુત બનાવવા માટે બલૂચિસ્તાનની સ્વતંત્રતાને માન્યતા આપવા માટે આગળ આવવું જોઈએ. નમસ્કાર, જે રીતે ઇન્દિરા ગાંધીએ 1971માં સૈન્ય કાર્યવાહી મારફત પાકિસ્તાનના બે ટુકડા કર્યા અને બાંગ્લાદેશ અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું, આ જ રીતે 54 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન થઈ શકે છે. પાકિસ્તાનની દક્ષિણ પશ્ચિમ સરહદે આવેલું બલૂચિસ્તાન છૂટું પાડી પાડોશી દેશને અનેક રીતે લૂલો બનાવી શકાય છે. પહેલા નકશાની મદદથી સમજીએ... પાકિસ્તાનના મુખ્ય ચાર પ્રાંત છે. એમાં સૌથી મોટો વિસ્તાર બલૂચિસ્તાનનો છે. બલૂચિસ્તાનના નામે પહેલગામનો બદલો લેવો કેમ અસરકારક હોઈ શકે કે એ સમજવા માટે પાકિસ્તાનની ભૌગોલિક

સ્થિતિ અને સૈન્યનીતિ પર જરા નજર નાખીએ તો ખ્યાલ આવશે. બલૂચિસ્તાનની ઓળખ અને મહત્ત્વ પાકિસ્તાનને બલૂચોથી નહીં, ત્યાંથી જમીન અને સંસાધનથી પ્રેમ બલૂચિસ્તાન પાકિસ્તાન માટે સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ પ્રાંત છે. એનાં પણ કારણો છે. બલૂચિસ્તાનના દક્ષિણમાં અરબ સાગર છે, જે સમુદ્ર વ્યાપાર માટે મહત્ત્વનો છે. અહીં ગ્વાદર પોર્ટ પણ છે, જે પાકિસ્તાને ચીનને લીઝ પર આપ્યો છે. આ પ્રાંત ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)નો હિસ્સો છે. આ સિવાય અહીં ખનીજોનું ખનન કરવાની પણ ચીનને છૂટ છે. બલૂચિસ્તાનમાં તાંબું, કોલસો, સોનું અને યુરેનિયમનો ભંડાર છે. પાકિસ્તાનના કુલ કુદરતી ભંડારના 20 ટકા અહીં જ છે. પાકિસ્તાનના ત્રણ નેવલ બેઝ પણ બલૂચિસ્તાનમાં છે. અહીં જ ચગાઈ વિસ્તારમાં પરમાણુ પરીક્ષણ કરીને પાકિસ્તાને એવો દાવો કરેલો કે પાકિસ્તાન પાસે પરમાણુ તાકાત છે. ત્રણ બાજુથી પાકિસ્તાનની ઘેરાબંધી કૂટનીતિની રીતે જોઈએ તો પાકિસ્તાન માટે અત્યારે એકપણ સરહદ પર શાંતિ નથી. ઇમરાન ખાનને સત્તા પરથી હટાવ્યા બાદ અફઘાનિસ્તાનના તાલિબાનો સાથે પણ પાકિસ્તાનની સરકારના સંબંધોમાં પહેલાં જેવી મીઠાશ નથી

રહી. એટલે અત્યારે પાકિસ્તાનને અફઘાનિસ્તાન બોર્ડર પર સૈન્ય ચોકી એક્ટિવ રાખવી પડે છે. માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં બલૂચિસ્તાનના લડાકુઓએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી હતી અને બંધકોમાં પાકિસ્તાનના જવાનો પણ સામેલ હતા. તેમને છોડાવવામાં પણ પાકિસ્તાનની આંખે પાણી આવી ગયું હતું. બલૂચિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી સનસની મચી છે. હવે પહેલગામમાં આતંકી હુમલા બાદ પણ પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે ક્યાં ભારત હુમલો ન કરે દે. આમ, અત્યારની સ્થિતિએ પાકિસ્તાન ત્રણેય તરફથી ઘેરાઈ ચૂક્યું છે, પરંતુ તેનું મુખ્ય ધ્યાન ભારત સાથેની બોર્ડર પર વધારે હોઈ શકે છે. આવા સમયે જો બલૂચિસ્તાનમાં ઊંચ-નીચ થાય છે તો સુરક્ષાની રીતે પાકિસ્તાન ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. બલૂચિસ્તાનમાં કાર્યવાહી માટે પણ ભારત પાસે એકથી વધુ વિકલ્પો છે, જેમાં 1971ની સાલમાં કર્યું એમ ભારતીય સેના જ મોરચો સંભાળીને બલૂચિસ્તાનને પાકિસ્તાનથી છૂટું પાડી દે. બીજા વિકલ્પરૂપે કૂટનીતિક રીતે બલૂચિસ્તાનની આઝાદીની લડતને વેગ અપાવડાવે. આવા સમયે પાકિસ્તાનની સરકાર અને સૈન્યએ મજબૂર થઈને કાશ્મીર તરફ ધ્યાન રાખવાની સાથે

બલૂચિસ્તાનને પણ સંભાળવું પડે, ત્યારે ભારત ‘તક’ ઝડપીને કઠોર કાર્યવાહી કરી શકે છે. જોકે બલૂચિસ્તાન અને બાંગ્લાદેશ યુદ્ધની સ્થિતિમાં સૌથી મોટો ફરક એ છે કે બાંગ્લાદેશની બોર્ડર ભારત સાથે અડતી હતી, જ્યારે બલૂચિસ્તાન ભૌગોલિક રીતે ભારતથી દૂર છે. વળી, બલૂચિસ્તાનમાં ચીન અને ઇરાનનાં હિત પણ સંકળાયેલાં છે. આ બન્ને દેશોને નિયંત્રણમાં રાખવા માટે પણ ભારતે ઉપાય શોધવા પડે. પહેલગામમાં હુમલો થયા બાદ દિલ્હીમાં મેરેથોન બેઠકો ચાલી રહી છે. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ત્રણેય સેનાના વડા તેમજ NSA અજિત ડોભાલ અને CDS અનિલ ચૌહાણની બેઠક મળી હતી. સૂત્રો મારફત મળેલી જાણકારી પ્રમાણે આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, મને સેના પર ભરોસો છો. જવાબી કાર્યવાહી માટે સમય, સ્થળ અને પદ્ધતિ તમે નક્કી કરો. એટલે આ ત્રણ શબ્દમાં વિશ્વની આંખો અંજાય એવી હકીકત તો છુપાયેલી છે એ નક્કી! કદાચ એવું પણ બની શક્યું હોત કે બલૂચિસ્તાન ભારતમાં આઝાદી સમયે જ ભળી ગયું હોત, પરંતુ બલૂચિસ્તાન પર કબજો મેળવવા માટે

પણ પાકિસ્તાને દગાખોરી કરી હતી. આઝાદી પહેલાં બલૂચિસ્તાન ચાર ભાગમાં વહેંચાયેલું હતું. આ ચારેયમાં સૌથી શક્તિશાળી કલાત હતું. 1947માં ભાગલા થયા ત્યારે કલાતના રાજા મીર અહેમદ ખાન આઝાદી ઈચ્છતા હતા, એટલે ભારત અને પાકિસ્તાનનો હિસ્સો નહોતા બનવા માગતા. ઝીણાએ એ સમયે કલાતની આઝાદીનું સમર્થન કર્યું. તેમણે કહ્યું હતું કે કલાત આઝાદ દેશ હશે. એમાં ખારાન અને લોસબેલાનો વિલય કરાવાશે. ભાગલાની આગલી જ રાત્રે કલાતે પોતાની આઝાદીનું એલાન કરી દીધું તો સ્થિતિ બદલવા લાગી. ત્યારે તેમણે કહેલું કે પાકિસ્તાન સાથે મિત્રતા રાખીશું, પણ એવું થયું નહીં. 27 માર્ચ 1948ની તારીખ આવી. એ દિવસે ઓલ ઈન્ડિયા રેડિયો પર એક સમાચાર આવ્યા ને ઈતિહાસનું પાનું પલટાઈ ગયું. આ સમાચારમાં ભારતના તત્કાલીન કેન્દ્રીય સચિવ વી.પી. મેનનની પ્રેસ-કોન્ફરન્સનો ઉલ્લેખ હતો. મેનને કહ્યું હતું કે કલાતના રાજા ભારત સાથે વિલય ઈચ્છે છે, પણ અમે આવું કાંઈ કરવાના પક્ષમાં નથી. એ વખતે મેનન સરદાર પટેલ સાથે રજવાડાંના વિલયની જવાબદારી સંભાળી રહ્યા હતા ત્યારે આ નિવેદન પર

વિવાદ થવાનું નક્કી હતું. નહેરુ અને સરદારે આ સમાચારને ખોટા ગણાવ્યા. ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. મહમદ અલી ઝીણાએ પાકિસ્તાની આર્મીને ઓર્ડર કરી દીધો હતો કે કલાત પર ચઢાઈ કરો. કલાતના રાજા મીર અહેમદ ખાનને બંદી બનાવી લેવાયા અને વિલયના કાગળ પર જબરદસ્તીથી સાઈન કરાવી લીધી. આ રીતે બલૂચિસ્તાનને પાકિસ્તાનમાં પરાણે વિલય કરાવી દેવાયું. ત્યારથી અત્યારસુધી બલૂચિસ્તાનના નાગરિકોએ પાકિસ્તાનની સરકાર અને સેનાના દમનનો સામનો કરી રહ્યા છે. કલાતના રાજાનો કેસ ઝીણા લડ્યા હતા આઝાદી પહેલાં કલાતના નવાબ ખાન ઓફ કલાત સામે અંગ્રેજોએ કેટલાક કેસ કર્યા હતા. આ કેસ લડવા માટે ખાન ઓફ કલાતે તેના વકીલ તરીકે ઝીણાને રાખ્યા હતા. ઝીણા જ્યારે કલાત પહોંચ્યા ત્યારે તેમને સોનાથી તોળવામાં આવ્યા હતા. તેના વકીલ બન્યા. ખૂબ પૈસા કમાયા, પણ છેલ્લે એ જ નવાબને ઝીણાએ દગો આપીને આખું રાજ્ય પડાવી લીધું અને બલૂચિસ્તાનમાં ભેળવી દીધું. બલૂચિસ્તાનમાં ISI મનફાવે એમ વર્તી રહ્યું છે બલૂચિસ્તાનની પ્રજા વારંવાર પાકિસ્તાનનો વિરોધ કરતી રહી છે. 1958, 1952 અને

1973માં પાકિસ્તાની સરકાર સામે બલોચ નાગરિકોએ વિદ્રોહ પણ કર્યો, પણ પાકિસ્તાની સેનાએ વિદ્રોહ દબાવી દીધો. એ પછી 32 વર્ષે 2005માં ફરી બલોચ નાગરિકોએ પાકિસ્તાનનો વિદ્રોહ કર્યો. આ વખતે નવાબ અકબરખાન મુક્તીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું. નવાબ મુક્તી 50ના દાયકામાં ડિફેન્સ મિનિસ્ટર હતા અને બલૂચિસ્તાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વિદ્રોહના બીજા વર્ષે 2006માં મુક્તીની હત્યા થઈ. શંકાની સોય ISI તરફ હતી. ઘણા આંદોલનકારીઓનાં અપહરણના આરોપ પણ ISI પર લાગતા રહ્યા છે. અત્યારસુધી બલૂચિસ્તાનની આઝાદી માટે લડનારાં સંગઠનો સાડાઆઠ વર્ષ પહેલાં એટલે કે 15 ઓગસ્ટ 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું એમાં બલૂચિસ્તાન, PoK તથા ગિલગિટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું, હું આજે લાલ કિલ્લાથી કેટલાક લોકોનો વિશેષ આભાર વ્યક્ત કરવા ઇચ્છું છે. પાછલા કેટલાક દિવસથી બલૂચિસ્તાન, ગિલગિટ અને PoKના લોકોએ મારા પ્રત્યે સદભાવના દર્શાવી છે. જે ધરતીને મેં જોઈ નથી, જે લોકો સાથે મારી મુલાકાત નથી થઈ છતાં દૂર રહીને ભારતના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરે છે, જે

મારા સવાસો કરોડ દેશવાસીઓનું સન્માન છે. નોંધવા જેવી વાત એ પણ છે કે છેલ્લાં અમુક વર્ષોમાં બલૂચિસ્તાનમાં જ્યારે પણ આઝાદી માટે પ્રદર્શન થયાં છે ત્યારે ત્યાંના લોકોએ ભારત સમર્થિત નારેબાજી કરી છે, પોતાના લીડર નવાબ અકબર બુગતી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ સૂચક રીતે તસવીર બતાવે છે. આ તમામ સંકેતોના પૂરતા જવાબ ભવિષ્યના ગર્ભમાં છે. છેલ્લે, આઝાદી બાદ પાકિસ્તાને થોડા સમય સુધી પોતાના સિક્કા મારીને ભારતીય ચલણી નોટ જ વાપરી હતી. જ્યારે નવી નોટ છપાવવાની થઈ ત્યારે ડિપોઝિટ રાખવા માટે પાકિસ્તાન પાસે પૂરતું સોનું જ ન હતું. એ સમયે ઝીણા પાકિસ્તાનમાં સામેલ થયેલાં અલગ-અલગ રજવાડાંના રાજાઓને મળ્યા, પરંતુ મોટા ભાગના લોકોના ખજાના ખાલી હતા. આખરે ઝીણા કલાતના રાજા પાસે આવ્યા અને સોનાની માગણી કરી. ત્યારે કલાતના રાજા ખાન અહેમદ યાર ખાને કોથળા ભરીને 34 મણ સોનું ઝીણાને આપ્યું હતું. બદલામાં ઝીણાએ જ વ્યક્તિને દગો આપ્યો. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. કાલે ફરી મળીશું. નમસ્કાર.

Leave a Reply

Related Post