ભરૂચમાં ફાર્મ હાઉસને નિશાન બનાવ્યું: નર્મદા નદી કિનારે આવેલા ફાર્મ હાઉસમાંથી 19 હજારનો સામાન ચોરાયો

ભરૂચમાં ફાર્મ હાઉસને નિશાન બનાવ્યું:નર્મદા નદી કિનારે આવેલા ફાર્મ હાઉસમાંથી 19 હજારનો સામાન ચોરાયો
Email :

ભરૂચ તાલુકાના વડવા ગામ નજીક નર્મદા નદી કિનારે આવેલા ફાર્મ હાઉસમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. પ્રવિણ વાલજીભાઈ ચોકસીના ફાર્મ હાઉસમાં બાજુના વોચમેને ચોરી થયાની જાણ કરી હતી. ફાર્મ હાઉસના માલિક પ્રવિણભાઈની તબિયત સારી ન હોવાથી તેમના મેનેજર રાજુ ભટ્ટને તપાસ

માટે મોકલવામાં આવ્યાં હતા. તપાસમાં જાણવા મળ્યું કે, 2થી 16 માર્ચ દરમિયાન તસ્કરોએ ફાર્મ હાઉસની પાછળની બારીમાંથી પ્રવેશ કર્યો હતો. તસ્કરો 10 હજારની કિંમતનું ટીવી, 1200 રૂપિયાનું સેટઅપ બોક્સ, 7000 રૂપિયાની એમરોન કંપનીની બેટરી અને 1000 રૂપિયાનું સોની કંપનીનું બ્લ્યુટૂથ સ્પીકર

ચોરી કરી ગયા હતા. કુલ 19,200 રૂપિયાની ચોરી અંગે મેનેજર રાજુ ભટ્ટે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં ઉનાળા દરમિયાન તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી રહ્યા છે. પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

Related Post