સુરતના ખેડૂતોનો પાવરગ્રીડ સામે વિરોધ: જમીન પર ટાવર ઊભા કરતા પહેલાં પૂરેપૂરુ વળતર ચૂકવવાની માગ, સુનાવણી બાદ ‘જય જવાન જય કિસાન’ના નારા લગાવ્યા

સુરતના ખેડૂતોનો પાવરગ્રીડ સામે વિરોધ:જમીન પર ટાવર ઊભા કરતા પહેલાં પૂરેપૂરુ વળતર ચૂકવવાની માગ, સુનાવણી બાદ ‘જય જવાન જય કિસાન’ના નારા લગાવ્યા
Email :

સુરત જિલ્લા કલેકટરે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે સૌ અસરગ્રસ્ત ખેડૂતોને કલમ 16/1 હેઠળ તા. 15/5/25ને ગુરુવારના રોજ બપોરે 3:30 કલાકે હાજર રહેવા નોટિસ પાઠવી હતી. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે કલેકટરને રજૂઆત કરવામાં આવી રહી છે છતાં સંતોષકારક વળતર અંગેનો જવાબ મળી રહ્યો નથી. પાવર ગ્રીડની કામગીરીને લઈને રોષ સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ હાજર રહ્યા હતા. પાવરગ્રીડની અમદાવાદ-નવસારી લાઇન બાબતે સંપૂર્ણ વળતર એકસાથે અને ટાવર ઊભો થાય તે પહેલા આપવાનું પાવરગ્રીડ દ્વારા કહેવામાં આવ્યું હતું છતાં પણ એ વળતર હજુ સુધી એક પણ ખેડૂતને ચૂકવવામાં આવ્યું નથી. એમણે જણાવી દીધું હતું

કે, જ્યાં સુધી એ વળતર જમા નહીં થાય ત્યાં સુધી હવે ખેડૂતો સહકાર આપવાના નથી. સમગ્ર જિલ્લામાં પાવરગ્રીડની બંને લાઇનો તેમજ સ્ટર્લાઈટની એક લાઇન, એમ ત્રણે ત્રણ લાઇનનું કામકાજ બંધ કરાવવામાં આવશે. ખેડૂતો લડી લેવાના મૂડમાં વટામણ – નવસારી લાઇનનું પણ વળતર એકસાથે અને કામ શરૂ કરતા પહેલા કરવાની માંગણી કરી છે. આ પ્રોજેક્ટ ટી. બી. સી. બી. હેઠળ એટલે કે ટેરિફ બેઝ કોમ્પિટિટિવ બિડિંગ હેઠળ આવતો હોવાથી જે પ્રમાણે પાવરગ્રીડને પ્રોજેક્ટના અંત સુધી નફામાં ભાગ મળનાર છે એજ પ્રમાણે ખેડૂતોની પણ મહામૂલી જમીન આ પ્રોજેક્ટ જવાથી બિન ઉપયોગી થઈ જનાર હોવાથી ખેડૂતો પણ આ પ્રોજેક્ટમાં રોકાણકાર

છે. આથી એમને પણ જ્યાં સુધી આ લાઇનનું અસ્તિત્વ છે ત્યાં સુધી ખેડૂતો પણ ભાડું મેળવવા માટે હકદાર છે. ખેડૂતોએ નારાઓ લગાવી પોતાની વાતો મીડિયા સમક્ષ પણ મૂકી કામરેજ તાલુકાના ખેડૂતોની ખેતીની જમીનનું વાસ્તવિક બજાર મૂલ્ય ખૂબ જ ઊંચું હોવા છતાં એમને જે નજીવું વળતર મળે છે, એની સામે પણ વધારે વળતરની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. પાવરગ્રીડની વટામણ-નવસારી લાઇન સીધી રેખામાં નહિ લઈને ખૂબ જ વાંકીચૂકી રીતે લઈ જવાના પણ કારણો માંગવામાં આવ્યા છે. સુનાવણી પૂર્ણ થયા પછી ખેડૂતોએ ખેડૂત સમાજ જિંદાબાદ, જય જવાન જય કિસાન જેવા નારાઓ લગાવી પોતાની વાતો મીડિયા સમક્ષ પણ મૂકી હતી.

Leave a Reply

Related Post