પશ્ચિમી દેશોમાં 80 વર્ષ બાદ ફરી વિશ્વયુદ્ધનો ડર: 55% લોકો માને છે કે વિશ્વયુદ્ધ થશે, રશિયા-અમેરિકા અને પરમાણુ હથિયાર આના મુખ્ય કારણો

પશ્ચિમી દેશોમાં 80 વર્ષ બાદ ફરી વિશ્વયુદ્ધનો ડર:55% લોકો માને છે કે વિશ્વયુદ્ધ થશે, રશિયા-અમેરિકા અને પરમાણુ હથિયાર આના મુખ્ય કારણો
Email :

બીજું વિશ્વયુદ્ધ (1939-45)ને 50 વર્ષ વીતી ગયા છે, પરંતુ વૈશ્વિક શાંતિના પાયા ફરીથી ડગમગવા લાગ્યા છે. YouGov ના હાલના સર્વે મુજબ, અમેરિકા અને યુરોપના લોકો પાંચથી દસ વર્ષમાં ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની આશંકા સેવી રહ્યા છે. રશિયા સાથે વધતો તણાવ, અમેરિકાની વિદેશ નીતિ અને પરમાણુ હથિયારોનો ખતરો આ ડરના સૌથી મોટા કારણો માનવામાં આવે છે. સર્વેમાં સામેલ 55% લોકો

માને છે કે વધુ એક વૈશ્વિક યુદ્ધ શક્ય છે. તેમજ, 76% લોકો માને છે કે વિશ્વ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે. લોકોને એ પણ ડર છે કે તે બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ વિનાશક હશે. યુરોપ અને અમેરિકાના લોકો તેમના દેશો આ યુદ્ધમાં સામેલ થશે એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધની યાદો હજુ પણ તાજી છે બીજા

વિશ્વયુદ્ધની યાદો હજુ પણ લોકોના મનમાં તાજી છે. સર્વેમાં સામેલ 90% લોકો માને છે કે આ યુદ્ધ શાળાઓમાં ભણાવવું જોઈએ. ફ્રાન્સ (72%), જર્મની (70%) અને બ્રિટન (66%) માં લોકો યુદ્ધ વિશે સારી રીતે માહિતગાર છે, જ્યારે સ્પેનમાં આ આંકડો માત્ર 40% છે. 77% ફ્રેન્ચ અને 60% જર્મન કહે છે કે તેમને શાળામાં યુદ્ધ વિશે વિગતવાર ભણાવવામાં આવ્યું હતું. 52% લોકો

માને છે કે નાઝી શાસન જેવા અત્યાચારો હજુ પણ વિશ્વભરમાં શક્ય છે. 60% લોકો માને છે કે અમેરિકા અથવા અન્ય યુરોપિયન દેશોમાં પણ આ જોખમ રહેલું છે. ઇસ્લામિક આતંકવાદ પણ એક મોટું જોખમ છે સર્વેમાં, પશ્ચિમ યુરોપના 82% અને અમેરિકાના 69% લોકોએ કહ્યું કે રશિયા સાથેનો તણાવ સૌથી મોટું જોખમ છે. લોકો માને છે કે રશિયાની લશ્કરી પ્રવૃત્તિઓ અને

તેની પરમાણુ ક્ષમતાઓ વૈશ્વિક સ્થિરતા માટે ખતરો છે. રશિયા ઉપરાંત, ઇસ્લામિક આતંકવાદને પણ એક મોટું જોખમ માનવામાં આવે છે. લોકો માને છે કે તેના પર વહેલીતકે કાબુ મેળવવો જરૂરી છે. આ ડર વૈશ્વિક રાજદ્વારીમાં વધતી જતી તિરાડોનો સંકેત છે. 66% લોકોએ કહ્યું કે નાટો અને 60% લોકોએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ માટે મહત્વપૂર્ણ છે. 66% લોકોએ યુદ્ધ પછી શાંતિ

જાળવવામાં નાટોને સૌથી મોટો ફાળો આપનાર ગણાવ્યો. 60% લોકોએ આ દિશામાં સંયુક્ત રાષ્ટ્રને પણ મહત્વપૂર્ણ માન્યું. યુરોપિયન યુનિયનને પણ 56% લોકોએ શાંતિનો મુખ્ય સ્તંભ ગણાવ્યો. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે જર્મનીમાં 47% લોકો માને છે કે અગાઉની સરકારો નાઝી ભૂતકાળ વિશે વધુ પડતી સાવધ રહી હતી. પરંતુ વર્તમાન સરકાર હાલના સંકટમાં મજબૂત પગલાં લેવામાં નિષ્ફળ ગઈ છે.

Leave a Reply

Related Post