સુરતમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ: અવધ ઋતુરાજ માર્કેટના પાંચમા માળે 10 દુકાન સળગતાં અફરાતફરી, 20 ફાયરની ગાડીએ કાબૂ મેળવ્યો, લાખોના નુકસાનની આશંકા

સુરતમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ:અવધ ઋતુરાજ માર્કેટના પાંચમા માળે 10 દુકાન સળગતાં અફરાતફરી, 20 ફાયરની ગાડીએ કાબૂ મેળવ્યો, લાખોના નુકસાનની આશંકા
Email :

સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા પર્વત પાટિયા વિસ્તારમાં આજે (16 મે, 2025) સવારે ભીષણ આગનો બનાવ સામે આવતાં ફરી એકવાર સુરતની ટેક્સટાઈલ માર્કેટ આગની ચપેટમાં આવી ગયું હતું. પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં પાંચમા માળે 10 જેટલી દુકાનમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અલગ-અલગ 9 ફાયર સ્ટેશનની 20 જેટલી ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, જોકે સાડીઓ સહિતનો કાપડનો જથ્થો બળીને

ખાક થઈ ગયો હોવાથી લાખોના નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે. દુકાનોમાં કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની પ્રાથમિક માહિતી મુજબ, પર્વત ગામ વિસ્તારમાં અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, જેમાં પિન્કેશ ટેક્સટાઇલ પાંચમા ફ્લોર પર દુકાન નંબર 3065થી 3075 સુધી એક કરીને વેપાર કરતી હતી. સવારે અચાનક દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં ભરેલો સાડી અને કાપડનો જથ્થાને તરત જ આગે પકડી લીધો હતો, જેના કારણે આગે જલદી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી

કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટાઓ દેખાયા હતા. 20 ફાયરની ગાડીથી આગને કાબૂમાં લેવાઈ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં આસપાસનાં રહેલાં આઠથી વધુ ફાયર સ્ટેશનની 20થી વધુ ગાડીઓ અને ફાયરબ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યાર બાદ પાણીનો મારો ચલાવીને એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. દુકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. આ સાથે જ ફાયર વિભાગે આગને આગળ પ્રસરતી અટકાવતાં અન્ય વેપારીઓએ

પણ રાહતનો શ્વાસ લીધો હતો. એક ફાયરની ગાડીને સ્ટેન્ડબાય રખાઈ 10 જેટલી દુકાનમાં આગના પગલે એમાં રહેલો સાડી અને કાપડનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. આ સાથે જ કેટલાંક કોમ્પ્યુટર પણ બળીને ખાક થઈ ગયાં હતાં, જેથી વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા સેવામાં આવી રહી છે. આગ પર કાબૂ મેળવાઈ ગયા બાદ સ્કૂલિંગની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાઈ ગયા બાદ પણ હાલ પણ એક ફાયરની ગાડીને માર્કેટ નીચે સ્ટેન્ડબાય રાખવામાં

આવી છે. વેપારી દ્વારા લાખોનો માલ ભસ્મીભૂત આગ લાગવાનું સાચું કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક રીતે શોર્ટસર્કિટને કારણ ગણાવવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા જગ્યા ખાલી કરાવી લોકોએ સલામત અંતર રાખવા સૂચના આપવામાં આવી હતી. વેપારી દ્વારા લાખોનો માલ ભસ્મીભૂત થયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. સુરતના રિંગરોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં 25 અને

26 ફેબ્રુઆરી, 2025એ ઉપરાઉપરી બે દિવસ લાગેલી આગમાં 700 જેટલી દુકાનો લપેટમાં આવી હતી. આ દુર્ઘટનામાં વેપારીઓનો કરોડો રૂપિયાનો માલ બળીને ખાક થયો હતો. આગને કાબૂમાં લીધા બાદ બાંધકામ પણ જર્જરિત થઈ ગયું હતું અને તંત્ર દ્વારા 15 દિવસ સુધી લોકોને અંદર જવા દેવામાં આવ્યાં નહોતાં. બાદમાં જ્યારે વેપારીઓને અંદર લઈ જવામાં આવ્યાં ત્યારે દુકાનનાં દૃશ્યો જોઈને રડી પડ્યાં હતાં. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો... શિવ શક્તિ માર્કેટમાં 32 કલાકમાં જ 700 દુકાન કેમ ભસ્મીભૂત થઈ?

Leave a Reply

Related Post