જૂનાગઢમાં ગેસ લાઇનમાં આગ, ત્રણના મોત: આખું ફાસ્ટફૂડ સેન્ટર સળગ્યું, મોતનો આંકડો વધી શકે; મંજૂરી વગર JCBથી ખાડો ખોદતા સ્પાર્ક બાદ વિસ્ફોટ થયો

જૂનાગઢમાં ગેસ લાઇનમાં આગ, ત્રણના મોત:આખું ફાસ્ટફૂડ સેન્ટર સળગ્યું, મોતનો આંકડો વધી શકે; મંજૂરી વગર JCBથી ખાડો ખોદતા સ્પાર્ક બાદ વિસ્ફોટ થયો
Email :

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે એક દુર્ઘટનાની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં ભયંકર આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. JCB ગેસ લાઈનને અડતાં આગ ભભૂકી આ દુર્ઘટનાની અંગે મળતી માહિતી મુજબ શહેરના ઝાંઝરડા રોડ પર કોઈપણ અધિકૃત મંજૂરી વિના JCB દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો

ત્યારે JCB ગેસ લાઈનને અડતાં અચાનક સ્પાર્ક બાદ વિસ્ફોટ થઇને આગ લાગી હતી. આ ઘટનામાં હજુ સુધી ત્રણ લોકોના મોત નીપજ્યાની પુષ્ટિ થઈ છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકના નામ આજુ બાજુ લારી-ગલ્લા હોવાથી આગ વધુ ફેલાઇ આ સ્થળ નજીક ખાણીપીણીની દુકાનો, ફાસ્ટફૂડ સેન્ટર અને પાનના ગલ્લાઓ

આવેલી હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. લોકોને સમયસર બહાર કાઢવા માટે ફાયર વિભાગે જહેમતભર્યા પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી અનેક દુકાનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા મોટેપાયે કામગીરી શરૂ કરી હતી. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા આકસ્મિક આગની જાણ થતાં તાત્કાલિક જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ અને તંત્રના અન્ય અગ્ર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જનતાની ભીડ એકત્ર ન

થાય તે માટે અને રાહત કાર્ય સુચારુ રહે તે હેતુથી પોલીસ દ્વારા ઝાંઝરડા ચોકડી તરફ જતાં માર્ગોને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા. નુકસાનનો આંકડો હજી સ્પષ્ટ નહીં હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આગના કારણે થયેલા નુકસાનનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ દુકાનો સહિતના વ્યવસાયિક એકમોને પણ નુકસાન થવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની

તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા દોષિત લોકો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે. 'PGVCLને જાણ કર્યા વગર ખાદો ખોદાતો હતો' PGVCLના લાઇનમેન રાજેશ પુરોહિતે જણાવ્યું હતું કે, આ જગ્યાએ PGVCLને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર JCB મારફતે અંડરગ્રાઉન્ડ ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનને નુકસાન થતાં તરત જ સ્પાર્ક થયો હતો અને ત્યારબાદ

જ ભયંકર આગ લાગી હતી. ગઇકાલે પણ આગ લાગી હતી ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ મધુરમ ચોકડી પર ટોરેન્ટ ગેસની લાઈન લીકેજ થઈ હતીસ જેમાં ટોરેન્ટ ગેસના કર્મચારીઓ કબૂલ્યું હતું કે આ જગ્યા પર કામ કરવા માટેની કોઈએ પરવાનગી લીધી નહોતી. કર્મચારીઓએ એવું પણ કહ્યું હતું કે આ આકસ્મિક ઘટના છે આમાં અમારી કોઈ જવાબદારી હોતી નથી. તસવીરોમાં જુઓ આગના ભયાનક દૃશ્યો..

Leave a Reply

Related Post