સાંતલપુર હાઈવે પર ટેન્કરમાં આગ: ટાયર ફાટવાથી ટેન્કરમાં ભીષણ આગ લાગી, ડ્રાઈવરનો આબાદ બચાવ

સાંતલપુર હાઈવે પર ટેન્કરમાં આગ:ટાયર ફાટવાથી ટેન્કરમાં ભીષણ આગ લાગી, ડ્રાઈવરનો આબાદ બચાવ
Email :

સાંતલપુર નેશનલ હાઈવે પર એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં પુલ પર એક ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ટેન્કરનું ટાયર ફાટવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. આગની ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે

બળીને ખાખ થઈ ગયું છે. સદનસીબે, આ દુર્ઘટનામાં ટેન્કરના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. આગની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. આગથી ઉત્પન્ન થયેલો ધુમાડો દૂર-દૂર સુધી જોવા

મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમે કામગીરી શરૂ કરી હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી.

Related Post