સૌરાષ્ટ્ર-કચ્છમાં અગનગોળા વરસાવતી ગરમીની આગાહી: આજે રાજકોટ, અમદાવાદ, કચ્છમાં પારો 43 થી 45 ડિગ્રી પહોંચશે, ચાર જિલ્લામાં હીટવેવની અસર રહેશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં અગનગોળા વરસાવતી ગરમીની આગાહી:આજે રાજકોટ, અમદાવાદ, કચ્છમાં પારો 43 થી 45 ડિગ્રી પહોંચશે, ચાર જિલ્લામાં હીટવેવની અસર રહેશે
Email :

હવામાન વિભાગે આજે કચ્છ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપી છે. સોમવારે રાજકોટમાં સિઝનનું રેકોર્ડબ્રેક 46.2 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે પણ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થવાની આગાહી છે. અમદાવાદ અને કચ્છમાં પણ 43 થી 44 ડિગ્રી ગરમીની શક્યતા છે. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી ​​​​​​આજે ચાર જિલ્લામાં હીટવેવની આગાહી હવામાન વિભાગે આજે પણ કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં ગરમીના યલો એલર્ટ

સાથે હીટવેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છના અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ હવાના કારણે અસહજ સ્થિતિ બની રહેશે. 1 મેં સુધી રાજ્યમાં તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાનું પૂર્વાનુમાન છે. રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવન ફૂંકાતા હોવાના કારણે ગરમી વધી છે. આગઝરતી ગરમીમાં લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને નીકળવું પડે તો માથાને ઢાંકીને નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.

28 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેુલં મહત્તમ તાપમાન રાજકોટમાં એપ્રિલના 28 દિવસ 40થી વધુ તાપમાન રહ્યું રાજકોટ શહેરમાં આજે ( 28 એપ્રિલે) સિઝનનું રેકોર્ડબ્રેક 46.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એપ્રિલ મહિનાની વાત કરીએ તો, 1 થી 28 એપ્રિલ દરમિયાન રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. આ પહેલાં 9 એપ્રિલે રાજકોટમાં 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેના પછી આજે 28 એપ્રિલે 46.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. 1 થી 28

એપ્રિલ દરમિયાન કઈ તારીખે રાજકોટમાં કેટલું તાપમાન નોંધાયું તે ગ્રાફિક્સની મદદથી જાણીએ. લૂ કે હીટવેવ શું છે? જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે તો એને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે. હીટ સ્ટ્રોકનું કારણ શું

છે? આપણા શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ ઉનાળા દરમિયાન આસપાસના વાતાવરણનું તાપમાન 40થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે આપણે તીવ્ર સૂર્યપ્રકાશ અથવા ગરમ હવામાં બહાર જઈએ છીએ ત્યારે આસપાસનું વાતાવરણ આપણા શરીરનું તાપમાન વધારી દે છે. જ્યારે આપણા શરીરનું તાપમાન સામાન્ય શરીરના તાપમાન, એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી જાય છે ત્યારે આ સ્થિતિને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. હીટ સ્ટ્રોકના

કિસ્સામાં કયા પ્રકારના ઘરગથ્થુ ઉપચાર કરી શકાય? હીટ સ્ટ્રોકના કિસ્સામાં સૌપ્રથમ શરીરના વધેલા તાપમાનને કંટ્રોલ કરવાની અને ડિહાઇડ્રેશન દૂર કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં આ ઉપાયો અપનાવી શકાય છે, જેમ કે- જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાઓથી પીડિત હોય, જેમ કે સ્ટટરિંગ, બેભાન થવું અથવા માનસિક ધ્રુજારી, આ સ્થિતિ ખતરનાક લેવલના હીટ સ્ટ્રોકની છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવો જોઈએ, કારણ કે આમાં શરીરનાં અંગોને નુકસાન થવાનું જોખમ

રહેલું છે. વ્યક્તિએ પોતાની જાતે કોઈપણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં થોડી બેદરકારી પણ દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે કેવો આહાર હોવો જોઈએ? નિષ્ણાત તબીબના જણાવ્યા મુજબ, હીટ સ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર નીકળતાં પહેલાં કંઈક ખાવું. દાદા અને દાદી કહે છે કે ઘરની બહાર ક્યારેય ખાલી પેટ ન નીકળવું જોઈએ, એની

પાછળ વિજ્ઞાન છે. જ્યારે તમે ખાલી પેટે બહાર જાઓ છો ત્યારે તમે ઝડપથી થાકી જાઓ છો અને ઇલેક્ટ્રોલાઇટ્સ ગુમાવો છો, જે ડિહાઇડ્રેશનનું કારણ બને છે. ગરમી અને સનસ્ટ્રોકથી બચવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. આ ઉપરાંત તડકામાંથી આવ્યા પછી અથવા વધુ પડતો પરસેવો આવ્યા પછી તરત જ ઠંડું પાણી પીવું જોઈએ નહીં. ઉનાળામાં પાણીમાં લીંબુ અને મીઠું ભેળવીને દિવસમાં બે-ત્રણવાર પીવું જોઈએ. આ હીટ સ્ટ્રોકનું જોખમ ઘટાડે

છે. જે લોકો હીટ સ્ટ્રોકથી પરેશાન છે તેઓ માટે જવનો લોટ અને ડુંગળી પીસીને પેસ્ટ બનાવો અને એને શરીર પર લગાવો, એનાથી તેમને ઘણી રાહત થશે. તડકામાંથી બહાર આવ્યા પછી ડુંગળીનો થોડો રસ મધમાં ભેળવીને ચાટવાથી હીટ સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે. ઉનાળાની ઋતુમાં જમ્યા પછી ગોળ ખાવાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ઉનાળામાં હળવો ખોરાક લેવો જોઈએ અને ડાયટમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ.

Leave a Reply

Related Post