Fitness Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ યોગ લાભકારક, દૂર રહેશે બીમારી

Fitness Tips : રોગપ્રતિકારક શક્તિ વધારવા આ યોગ લાભકારક, દૂર રહેશે બીમારી
Email :

કોરોનાની નવી લહેરમાં અનેક લોકો ફરી વાયરસથી સંક્રમિત થવા લાગ્યા છે. વાયરસ બીમારીના સંક્રમણથી દૂર રહેવા શારીરિક આરોગ્ય તંદુરસ્ત રાખવું જરૂરી છે. કેટલાક લોકોમાં એવી માન્યતા છે કે ફક્ત બદામ અને મખાના જેવા પૌષ્ટીક આહારનું સેવન કરી રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ. પરંતુ જો આહારની સામે જો શરીર કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ના કરવામાં આવે તો વજન વધવા અને બીમાર થવાની સંભાવના રહે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ યોગાસનો જરૂર લાભકારક સાબિત થશે.

આરોગ્ય નિષ્ણાતો પણ હવે ગંભીર બીમારીઓમાં દવાની સાથે યોગ કરવાની સલાહ આપતા હોય છે. દરવર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. યોગ દિવસની ફક્ત એક દિવસ ઉજવણી કરવાના બદલે આપણે તેને દિનચર્યામાં સામેલ કરીશું તો જરૂર લાભ મળશે. આવો જાણીએ આ યોગાસનો દ્વારા તમે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકશો.

ધનુરાસન : ધનુરાસન કે જેને બો પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન કરવાથી શરીરમાં રક્તનો સંચાર થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

આ આસન કરવા સૌ પ્રથમ તમે પેટ પર સૂઈ જાઓ. પછી તમારા પગ કમર-પહોળાઈ અલગ રાખો અને તમારા હાથ બાજુ પર રાખો. આ સ્થિતિ બાદ તમારા ઘૂંટણને ઉપર તરફ વાળો અને તમારી એડીઓને તમારા હિપ્સના ઉપરના ભાગ તરફ ખસેડો. પછી તમારા બંને પગના પગની ઘૂંટીઓને તમારા હાથથી પકડો. આ ક્રિયા દરમિયાન તમે ઊંડો શ્વાસ લો અને છાતી અને પગને જમીનથી ઉપર ઉઠાવો. તમારા ચહેરાને સીધો રાખીને શક્ય હોય ત્યાં સુધી તમારા પગને ખેંચો. અને શ્વાસ લો પછી ધીરેધીર શરૂઆતની સ્થિતિમાં પાછા ફરો. આ સ્થિતિમાં તમારું શરીર ધનુષની જેમ કડક હોવું જોઈએ. જો તમને કમરનો દુઃખાવો રહેતો હોય તો આ આસન ના કરો.

ભુજંગાસન  :  આ આસનમાં શરીરનો આકાર કોબ્રા જેવો થતો હોવાથી તેને કોબ્રા પોઝ પણ કહે છે. આ આસન કરવાથી શ્વસનક્રિયમાં લાભ થતા ફેફસાંની સ્થિતિ સુધરે છે. આ આસન શરીરની ઉર્જા વધારે છે. તે પાચન સુધારવામાં અને તમારા યકૃત પર દબાણ ઘટાડવામાં મદદ કરી શકે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે.

આ આસન કરવા તમે સૌ પ્રથમ પેટ પર સૂઈ જાઓ. પછી તમારા પગ એકબીજાની નજીક રાખી હાથ ઉપર તરફ લંબાવો. પછી તમારા બંને પગ જોડો અને કપાળને જમીન પર રાખો. તમારા હાથ તમારા ખભા નીચે (તમારી છાતીની બાજુમાં) લાવો, તમારી કોણી શરીરની નજીક રાખો. પછી ઉંડા શ્વાસ લો અને ધીમે ધીમે તમારા શરીરના ઉપરના ભાગને ઉપર ઉઠાવો. પછી શ્વાસ બહાર કાઢો અને સામાન્ય મુદ્રામાં પાછા ફરતા પહેલા 4-5 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો.

શબ આસન : આ આસન તમામ લોકો કરી શકે છે. તમામ આસનોમાં આ આસન સૌથી સરળ અને આરામદાયક આસન કહેવાય છે. આ આસન કરવાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે. માનસિક રાહત થતા શરીરમાં મંદ પડેલ શક્તિને ઉર્જા મળે છે. આ આસન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે લોકોને કમરના દુઃખાવા અને સાંધાના દુઃખાવા રહેતો હોય તેમણે આ આસન અવશ્ય કરવું જોઈએ.

આ આસન સૌથી સરળ છે. તેમાં વધુ કોઈ હલનચલન કરવાનું હોતું નથી. આ આસન કરવા માટે સૌ પ્રથમ તમે હાથ અને પગ ફેલાવીને તમારી પીઠ પર આરામથી સૂઈ જાઓ. પછી આંખો બંધ કરી અને નાક દ્વારા ધીમે ધીમે શ્વાસ લો. આ મુદ્રામાં 10 મિનિટ રહો. આમ કરવાથી તમને ખૂબ સારું લાગશે. 

Leave a Reply

Related Post