પાકિસ્તાન સાથેના તણાવથી ફ્લાઈટના ભાવ આસમાને: અમદાવાદથી ઊપડતી ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાવમાં એવરેજ 2000નો વધારો, 400થી 500 ફ્લાઈટ પ્રભાવિત થશે

પાકિસ્તાન સાથેના તણાવથી ફ્લાઈટના ભાવ આસમાને:અમદાવાદથી ઊપડતી ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાવમાં એવરેજ 2000નો વધારો, 400થી 500 ફ્લાઈટ પ્રભાવિત થશે
Email :

22 એપ્રિલના જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. આ આતંકી હુમલા બાદ ફ્લાઈટની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદથી ઓપરેટ થતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ જેમાં અમદાવાદથી સિંગાપોર જતી ફ્લાઇટનો ભાવ 9000, બેંગકોક 14800, કુઆલાલુમ્પુર 13400 છે. એ સિવાય પશ્ચિમ તરફ જતી ફલાઇટો એટલે કે, અમદાવાદથી લંડન જતી ફ્લાઇટની ટિકિટનો ભાવ 64000 અને દુબઇની ફ્લાઇટનો ભાવ 16300 થયો

છે. જેમાં લગભગ 2000 આસપાસનો વધારો નોંધાયો છે. ભાડા સાથે અવર-જવરનો સમય પણ લંબાયો પહેલગામના હુમલા બાદ પાકિસ્તાને ભારતીય વિમાન કંપનીઓ માટે પોતાની એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે એર ઇન્ડિયા, ઈન્ડિગો સિવાયની ઘણી એરલાઈન્સને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનના આ નિર્ણયથી ઉત્તર ભારતના અન્ય ક્ષેત્રો જેવા કે, ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ અને મધ્ય પૂર્વ તરફ જતી ફ્લાઇટ હવે અરબ સાગર પરથી લાંબો રૂટ લેશે. જેના

કારણે ફ્લાઇટનો સમય બેથી અઢી કલાક લંબાશે. ભારતીય હવાઈ માટે પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી ખર્ચો પણ વધશે અને ફ્યુલ પણ વધુ વપરાશે. સાથે ક્રૂના કામના કલાકો પણ વધશે, જેની સીધી અસર મુસાફરો પર પડશે. આ સિવાય પશ્ચિમ તરફ જતી લગભગ 400થી 500 ફ્લાઇટ પણ પ્રભાવિત થવાની સંભાવના છે. શ્રીનગરથી અમદાવાદની ટિકિટના રૂ. 15,000 ડોમેસ્ટિક શ્રેણીમાં શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં વધારો થયો છે. ટિકિટના ભાવ ₹. 15 હજાર પાર

પહોંચ્યા છે. અગાઉ 2થી 3 હજારમાં ટિકિટ મળતી હતી, જેની અત્યારે કિંમત 15 હજાર પહોંચી છે. અનેક પ્રવાસીઓ દ્વારા વતન જવા પ્રયાસ હાથ ધર્યો છે. હવાઈ મુસાફરીના ભાવના ધરખમ વધારો થયો છે. એક તરફ જ્યાં પહેલગામ આતંકી હુમલા બાદ લોકોમાં ભય છે. જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા લોકો પરત પોતાના વતન પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે, તેવામાં ફ્લાઈટના ભાવ આસમાને પહોંચી જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આંતકી

હુમલાથી ટૂર અને ટ્રાવેલ્સ વાળાને પણ નુકસાન પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને શ્રીનગર ગયા અઠવાડિયે ફ્લાઇટનું ભાડું 6000 જેટલું હતું. જ્યારે પરત ફરવાનું ભાડું 12000 હતું. એટલે કે જવા વાળાની સરખામણીમાં વળતા આવનારાઓની સંખ્યા વધુ હોવાથી આ ફલાઇટના ભાડા વધુ હોય છે. જ્યારે પહેલગામમાં આ બનાવ બન્યો તેને લઈને ન્યુ ગુજરાતે ટૂર અને ટ્રાવેલ્સ વાળા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ શ્રીનગર જઈ રહ્યા હતા, ત્યારે

Spicejetની ફ્લાઈટમાં ફક્ત 22 પેસેન્જર્સ હતા. જ્યારે તેઓ રિટર્ન આવ્યા, ત્યારે આખી ફ્લાઇટ પેક હતી. કારણ કે, લોકો પોતાની મજા માણવા કરતા વધુ પ્રાથમિકતા જીવ બચાવવા માંગતા હતા. વધુમાં ટૂર અને ટ્રાવેલ્સ વાળાએ પણ જણાવ્યું હતું કે, આ સિઝનમાં તેઓને મોટું નુકસાન થયું છે. ઘણી હોટલ વાળાઓએ હોટલને એકદમ સુંદર રીતે સજાવી હતી. તેઓને એમ હતું કે સિઝન આવે છે, પરંતુ તેઓને પણ ઘણું નુકસાન વેઠવું પડ્યું છે.

Leave a Reply

Related Post