NEET કૌભાંડ કેસનો મુખ્ય આરોપી AAPનો પૂર્વ હોદ્દેદાર: રાજકોટ શહેરમાં વિપુલ તેરૈયા ઉપપ્રમુખ-મહામંત્રી હતો, રાજેશ પેથાણી ધોરાજીમાં રોયલ સાયન્સ સ્કૂલ ચલાવે છે

NEET કૌભાંડ કેસનો મુખ્ય આરોપી AAPનો પૂર્વ હોદ્દેદાર:રાજકોટ શહેરમાં વિપુલ તેરૈયા ઉપપ્રમુખ-મહામંત્રી હતો, રાજેશ પેથાણી ધોરાજીમાં રોયલ સાયન્સ સ્કૂલ ચલાવે છે
Email :

રાજકોટ NEET કૌભાંડ કેસમાં નવો ખુલાસો થવા પામ્યો છે, જેમાં પકડાયેલા આરોપી વિપુલ તેરૈયા રાજકોટ શહેરમાં AAPમાં મહામંત્રી અને ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય આરોપી રાજેશ પેથાણી ધોરાજીમાં આવેલી રોયલ સાયન્સ સ્કૂલનો સંચાલક છે તથા છેલ્લાં 30 વર્ષથી કેમિસ્ટ્રી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવી 10,000 વિદ્યાર્થીને શિક્ષણ પૂરું પાડ્યું છે અને તે છેલ્લાં ત્રણથી ચાર વર્ષથી રાજકોટમાં રોયલ એકેડેમી નામથી સ્પેશિયલ રી-નીટ માટે એકેડેમી ચલાવી રહ્યો છે. પકડાયેલા બન્ને આરોપી 5 દિવસના પોલીસ રિમાન્ડ પર હોવાથી પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે ફરિયાદી ઉપરાંત અન્ય કોઈ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે કે કેમ તેમજ સરકારી કોઈ અધિકારીની સંડોવણી છે કે કેમ એ અંગે પણ તપાસ હાથ ધરી છે અને ફરાર 3 આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી

હાથ ધરી છે. NEETમાં વધુ માર્ક્સ અપાવવા રાજેશ પેથાણીને 30 લાખ રૂપિયા રોકડા આપ્યા જેતપુરમાં રહેતા અને મજૂરીકામ કરતા તુષાર વેકરિયાએ પોતાના દીકરાને તબીબ બનાવવા માટે ગત વર્ષે NEET પરીક્ષામાં વધુ માર્ક્સ અપાવવા માટે રાજેશ પેથાણીને 30 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. રાજેશ પેથાણીએ ધવલ સંઘવી સાથે વાત કરી પ્રથમ 60 લાખની માગણી કરી હતી, પરંતુ બાદમાં 30 લાખમાં સેટિંગ થયું હતું. આ પછી પણ તેમના દીકરાને માત્ર 460 માર્ક્સ જ આવતાં તેઓ છેતરાઈ ગયા હોવાનું માલૂમ થતાં રાજેશ પેથાણી પાસે રૂપિયા પરત માગતાં તેણે ધવલ સંઘવીને આપ્યા હોવાનું તેમજ ધવલ સંઘવીએ વિપુલ તેરૈયા અને પ્રકાશ તેરૈયાને અને તેમને કર્ણાટકના મનજીત જૈનને આપ્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી બધા એકબીજા સાથે મિલીભગત કરી રૂપિયા પરત ન આપતાં આખરે સોમવારે (05.05.2025) રાત્રે ફરિયાદ નોંધાવી હતી. બે આરોપીની ધરપકડ, 3ની

શોધખોળ હાલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ પાંચ આરોપી સામે આઇપીસી 420, 120(બી) મુજબ ગુનો નોંધી વિપુલ તેરૈયા અને રાજેશ પેથાણી નામના બે આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. 60 લાખની માગણી કરી અને 30 લાખમાં સેટિંગ થયું ઝડપાયેલા બન્ને આરોપીને પકડી ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ તજવીજ હાથ ધરી છે, જેમાં રાજેશ પેથાણીએ ફરિયાદી પાસેથી રૂપિયા 60 લાખની માગણી કરી હતી, જેની સામે 30 લાખ રૂપિયાથી સેટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એપ્રિલ 2024માં પ્રથમ 10 લાખ અને બાદમાં 20 લાખ આપવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી તરીકે વિપુલ તેરૈયા અને કર્ણાટકના મનજીત જૈનનું નામ ખૂલવા પામ્યું છે, જે પૈકી વિપુલ તેરૈયાની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી

છે. આરોપી વિપુલ તેરૈયા આમ આદમી પાર્ટીમાં વર્ષ 2021માં રાજકોટ શહેર મહામંત્રી રહી ચૂક્યો છે અને વર્ષ 2022માં ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. એકેડેમીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીનો સંપર્ક થયો હતો રાજેશ પેથાણી રાજકોટ જિલ્લામાં ધોરાજી ખાતે રોયલ સાયન્સ સ્કૂલ ચલાવતા હોવાનું અને તેના સંચાલક હોવાનું સામે આવ્યું છે, જે પોતે છેલ્લા લગભગ 30 વર્ષથી કેમિસ્ટ્રી વિષયના પ્રોફેસર તરીકે કાર્યરત છે અને લગભગ 10,000 વિદ્યાર્થીને તેણે શિક્ષણ પૂરું પાડ્યું છે. તેણે છેલ્લાં લગભગ ત્રણ કે ચાર વર્ષથી રાજકોટમાં રોયલ એકેડેમી શરૂ કરી છે, જેમાં વિદ્યાર્થીઓને સ્પેશિયલ રી-નીટ માટે તૈયારી કરાવવામાં આવી રહી છે અને આ એકેડેમી ખાતે જ અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીની સાથે રાજેશ પેથાણીનો સંપર્ક થયો હતો અને તેમણે જ વધુ માર્ક્સ અપાવવા લાલચ આપી હતી. ‘NEETમાં સારા માર્ક અપાવવા રાજેશ પેથાણીને વાત

કરી હતી’ જેતપુરમાં રહેતા ફરિયાદી તુષારભાઇ અરવિંદભાઇ વેકરિયાએ જણાવ્યું હતું કે હું મજુરીકામ કરું છું. મારો દીકરો કાલાવડ રોડ પર આવેલી ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરે છે. વર્ષ 2024માં મારો દીકરો રોયલ એકેડેમી કાલાવડ રોડ, રાજકોટમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને મારે તેને એમ.બી.બી.એસ, હોમ્યોપેથી, આયુર્વેદિકની મેડિકલ એન્ટ્રેસ (NEET) પરીક્ષામાં સારા માર્ક અપાવવા હતા, જે બાબતે મેં રોયલ એકેડમી સ્કૂલના ચેરમેન રાજેશ પેથાણીને વાત કરી હતી અને તેમણે મને વાત કરી હતી કે એવા એક ભાઈને હુ ઓળખું છું કે જે આવી પરીક્ષાઓમાં વધારે માર્ક અપાવવાનુ કામ કરી આપે છે. ‘રાજેશભાઇ પેથાણીએ મને ધવલભાઇ સંઘવી સાથે ફોન પર વાત કરાવી હતી’ તેમણે મને કહ્યું હતું કે તેના માટે રૂ.60 લાખ થશે, બાદમાં રાજેશભાઇ પેથાણીએ મને ધવલભાઇ સંઘવી સાથે તેમના ફોન પર વાત કરાવી હતી અને મેં ધવલભાઇને કહ્યું હતું

કે મારાથી આટલા બધા રૂપિયા થઇ શકે એમ નથી તો તેમને મને અત્યારે 10 લાખ રૂપિયાની સગવડતા કરી રાખો, બાદમાં વધઘટ હું મારી રીતે જોઇ લઇશ એમ કહ્યું હતું, જેથી મેં મારા દીકરાના ભવિષ્યને લઈ રૂપિયા આપવાનુ નકકી કરી રાજેશભાઈ પેથાણીને રાજકોટ ખાતે એપ્રિલ 2024ના પ્રથમ અઠવાડિયામાં રૂ.10 લાખ રોકડા આપ્યા હતા અને ત્યાર બાદ બીજા 20 લાખ એપ્રિલ 2024ના છેલ્લા સપ્તાહમાં રાજેશભાઇ પેથાણીને રાજકોટ ખાતે આપ્યા હતા. ‘ધવલભાઈ સંઘવીના કહેવા મુજબ મારા દીકરાનું બેલગાવ કર્ણાટકમાં સેન્ટર આવ્યું હતું’ મેં રાજેશભાઈ પેથાણી મારફત ધવલભાઈ સંધવીને મારા દીકરાને એમ.બી.બી.એસ, હોમ્યોપેથી, આયુર્વેદિકની મેડિકલ એન્ટ્રેસ (NEET) પરીક્ષામા સારા માર્ક અપાવવા માટે કુલ રૂ.30 લાખ આપ્યા હતા. ધવલભાઈ સંઘવીના કહેવા મુજબ મારા દીકરાનું બેલગાવ કર્ણાટક ખાતે પરીક્ષા સેન્ટર આવ્યું હતું અને અમે 2024ની મેડિકલ એન્ટ્રેસ (NEET) પરીક્ષા આપવા માટે મારા દીકરા

સાથે બેલગાવ ગયા હતા, પરંતુ આ ધવલભાઈની વાત પર વિશ્વાસ ન આવતાં મારા દીકરાને તેની રીતે જ પરીક્ષા આપવા માટે સમજાવેલો હતો અને મારા દીકરાએ આ પરીક્ષા કોઇ પણ સેટિંગ વગર તેમની જાતે પરીક્ષા આપેલી, જેમાં તેને 460 માર્ક્સ આવ્યા હતા. ‘પૈસા લીધા બાદ ફોન ઉપાડતા નહોતા’ રાજેશભાઇ પેથાણી મારફત ધવલ સંધવી સાથે વાત થયા મુજબ કોઇ સેટિંગ થયેલું નહીં અને મારા દીકરાને સારા માર્ક આવ્યા ન હતા, તેથી મેં આ પરીક્ષામાં સારા માર્ક માટે રાજેશભાઇ પેથાણીને આપેલા રૂપિયા પરત માગતાં તેમણે મને કહ્યું કે આ રૂપિયા તો મેં ધવલભાઈને આપી દીધા છે, જેથી મેં ધવલભાઇ સાથે ફોનમાં વાત કરી અમે આપેલા રૂ.30 લાખ પરત માગતાં મને ઉપરથી પરત આવે એટલે તમને આપી દઇશ એમ તેણે કહ્યું હતું, પરંતુ ઘણો સમય થઇ ગયો છતાં રૂપિયા પરત આવ્યા નહી

અને ધવલભાઇને ફોન કર્યો, પરંતુ તેઓ મારો ફોન ઉપાડતા નહોતા. ‘ધવલભાઈ ફોન પર યોગ્ય જવાબ આપતા નહોતા’ જેથી મેં જુલાઈ 2024માં તેમના ઘરે ઉદયપુર શોભાપુરા સર્કલ, રૂપરત્ન એપાર્ટમેન્ટ, અગિયારમા માળે ગયા હતા અને ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે ધવલ નાથદ્વારા શ્રીનાથજી ભગવાનના મંદિરે ગયા છે, જેથી અમે ત્યાંથી નાથદ્વારા ગયા અને ત્યાં ધવલભાઈ અમને ભેગા થયા નહી અને ફોન કરતાં ધવલભાઇ અમને કોઇ સરખો જવાબ આપતા નહોતા. ‘ધવલભાઇએ જણાવ્યું કે તેમણે રૂપિયા વિપુલભાઇ તેરૈયા અને તેમના ભાઇને આપ્યા છે’ બે મહિના બાદ પણ મને મારા રૂપિયા પરત નહીં મળતાં હુ રાજેશ પેથાણીને મળ્યો હતો અને મારા રૂપિયા પરત અપાવવા માટે કહ્યું તો તેમણે ધવલ સંધવીને વાત કરી તો આ ધવલભાઇએ જણાવ્યું કે તેમણે આ રૂપિયા વિપુલભાઇ તેરૈયા તેમજ તેના ભાઇ પ્રકાશભાઇ તેરૈયાને આપ્યા છે અને તેઓ રૂપિયા પરત

આપતા નથી, જેથી હું તમને રૂપિયા આપી શકતો નથી. ‘ત્રણેયએ પૈસા આપવા થોડો સમય માગ્યો હતો’ થોડા દિવસ બાદ ધવલ સંઘવી તથા વિપુલભાઈ તેરૈયા તેમજ પ્રકાશ તેરૈયા રાજકોટ ખાતે રાજેશભાઇ પેથાણીની રોયલ એકેડેમી ખાતે આવ્યા અને અમને મળ્યા હતા અને તે ત્રણેય અમારી પાસે થોડો સમય માગેલો અને ચિંતા ન કરતા, તમને તમારા રૂપિયા પરત મળી જશે, એવું તેમણે કહ્યું હતું. બાદ થોડો સમય જતાં મારા રૂપિયા મને મળ્યા નહીં, જેથી મેં વિપુલ તેરૈયા તેમજ પ્રકાશ તેરૈયાને ફોન કરી મારા રૂપિયા આપવાનું કહેતાં તેમણે મને કહ્યું કે તેમને રૂપિયા મનજીત જૈન કે જેઓ કર્ણાટક બેલગાવના છે તેમને આપેલા છે, જે પરત આપતો નથી એટલે આ રૂપિયા અમે તમને પરત આપી શકતા નથી. એ રૂપિયા પરત આવે એટલે અમે તમને પરત આપી દઇશું, એમ તેમણે વાત કરી હતી.

Leave a Reply

Related Post