આગ બુઝાવી રહેલા 4 ફાયર કર્મી દાઝ્યા: ગાંધીનગર સેક્ટર-4માં મોડીરાત્રે ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ, 3 જવાન વધુ દાઝી જતાં અમદાવાદ ખસેડાયા, એક ગાંધીનગર સિવિલમાં

આગ બુઝાવી રહેલા 4 ફાયર કર્મી દાઝ્યા:ગાંધીનગર સેક્ટર-4માં મોડીરાત્રે ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ, 3 જવાન વધુ દાઝી જતાં અમદાવાદ ખસેડાયા, એક ગાંધીનગર સિવિલમાં
Email :

ગાંધીનગરના સેક્ટર - 4 ખાતેના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં મોડીરાતે આગ લાગી હતી. ફાયરબ્રિગેડને આ અંગેનો કોલ મળતાં તેની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ ઓલવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન એકાએક ઝૂંપડાના ગેસ-સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, જેના પરિણામે ચાર ફાયર-કર્મચારી ગંભીર રીતે દાઝી ગયા હતા. બ્લાસ્ટ થતાં

દોડધામ મચી હતી. ફાયરબ્રિગેડને DPમાં આગ લાગ્યાનો કોલ આ અંગે ફાયરબ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું હતું કે DPમાં આગ લાગી હોવાનો કોલ પ્રદીપે કર્યો ગયો હતો, જેથી અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં આગ લાગી હતી. અમારી ટીમના માણસોએ ફાયર ટેન્કરમાં પાઈપ લગાવવાની કામગીરી કરી હતી અને અન્ય જવાનો

શૌચાલય તરફ ગયા હતા. એવામાં અચાનક ઝૂંપડામાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો, જેમાં ફાયર-કર્મચારી મહાવીરસિંહ ચૌહાણ , રણજિત ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ દાઝી ગયા હતા. દીવો કરવાથી કે શોટસર્કિટથી બ્લાસ્ટનું અનુમાન ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે દાઝેલાઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં મહાવીરસિંહ, રણજિત અને વિપુલ 75 ટકા જેટલું શરીરે દાઝી જતાં

ત્રણેયને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલ હાથના ભાગે દાઝી ગયા હોવાથી સિવિલમાં દાખલ કરાયા છે. પ્રાથમિક તપાસમાં સુલભ શૌચાલયનું સંચાલન કરતા હેમંત ઝૂંપડામાં હતા નહીં. દીવો કરવાથી કે શોટસર્કિટ થવાથી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાનું અનુમાન છે. રાતે ઝૂંપડામાં ફટાકડા ફૂટ્યાનો અવાજ સંભળાયો પ્રદીપ કોળીએ જણાવ્યું હતું કે તેઓ રાતના સાડાદસ પોણાઅગિયાર વાગ્યે

સેક્ટર - 4 તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને ઝૂંપડામાંથી ફટાકડા ફૂટવા જેવો અવાજ સાંભળ્યો હતો. તેમણે તરત જ પોતાના મિત્રોને જાણ કરી અને ફાયરબ્રિગેડનો સંપર્ક કર્યો હતો. આગને કાબૂમાં લેતા સમયે બ્લાસ્ટ થયો ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લાવવા માટે કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન ઝૂંપડામાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો, જેમાં ફાયર-કર્મચારીઓ

મહાવીરસિંહ ચૌહાણ, રણજિત ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ દાઝી ગયા હતા. દાઝેલા કર્મીઓ સારવાર હેઠળ આ તમામ ફાયર-કર્મચારીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહાવીરસિંહ, રણજિત અને વિપુલને 75 ટકા જેટલું શરીર દાઝી જતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલને હાથના ભાગે દાઝી જતાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Related Post