'ફુલે' પર ફુલ ઓન વિવાદ!: સેન્સર બોર્ડની કાતર ફરતાં અનુરાગ કશ્યપ ભડક્યા, કહ્યું- કોઈ જાતિવાદ નહોતો, તો જ્યોતિબા આવ્યા ક્યાંથી?

'ફુલે' પર ફુલ ઓન વિવાદ!:સેન્સર બોર્ડની કાતર ફરતાં અનુરાગ કશ્યપ ભડક્યા, કહ્યું- કોઈ જાતિવાદ નહોતો, તો જ્યોતિબા આવ્યા ક્યાંથી?
Email :

એક્ટર-ડિરેક્ટર અનુરાગ કશ્યપ તેમની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતા છે. તેઓ કોઈપણ મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપતા જોવા મળે છે. ફરી એકવાર તેમણે પોતાની સ્ટાઇલમાં સરકાર અને સેન્સર બોર્ડને સામો જવાબ આપતી પોસ્ટ શેર કરી છે. આ દિવસોમાં પ્રતીક ગાંધી સ્ટારર ફિલ્મ 'ફુલે' હેડલાઇન્સમાં છે, જે મહારાષ્ટ્રના વિખ્યાત સમાજ સુધારક જ્યોતિરાવ ફુલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઇ ફુલેનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મ પહેલાં 11 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ એક સમુદાયના વિરોધ બાદ આ ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. હવે તેની રિલીઝ ડેટ બદલીને 25 એપ્રિલ કરવામાં આવી છે. સેન્સર બોર્ડની કાતર

ફરતાં અનુરાગ કશ્યપ ભડક્યા ફિલ્મને સર્ટિફિકેટ તો આપ્યું પણ સાથે સેન્સર બોર્ડે નિર્માતાઓને તેમાં ઘણા ફેરફારો કરવા કહ્યું. આ કારણે અનુરાગ કશ્યપને ગુસ્સો આવ્યો અને તેમણે આ અંગે સોશિયલ મીડિયા એક પોસ્ટ શેર કરી છે. ડિરેક્ટરે સરકાર પર પણ નિશાન સાધ્યું છે. 'જાતિ વ્યવસ્થા નહોતી, તો પછી....' અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી અને સરકાર પર નિશાન સાધ્યું. ડિરેક્ટરે લખ્યું, ‘ધડક 2ના સ્ક્રીનિંગ સમયે સેન્સર બોર્ડે કહ્યું કે- મોદીજીએ ભારતમાં જાતિ વ્યવસ્થાનો અંત લાવી દીધો છે. તે જ આધારે, ‘સંતોષ’ પણ ભારતમાં રિલીઝ થઈ ન હતી. હવે બ્રાહ્મણોને 'ફુલે'થી સમસ્યા

છે. ભાઈ, જ્યારે કોઈ જાતિ વ્યવસ્થા જ નથી, તો પછી બ્રાહ્મણ કોણ? તમે કેમ આટલા ગુસ્સાથી સળગી રહ્યા છો, જ્યારે કોઈ જાતિ વ્યવસ્થા નહોતી, તો પછી જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ક્યાંથી આવ્યાં? કાં તો તમારો બ્રાહ્મણવાદ બિલકુલ અસ્તિત્વમાં નથી, કારણ કે મોદીજીના મતે ભારતમાં કોઈ જાતિ વ્યવસ્થા નથી. કે પછી તમે બધા મળીને બધાને મૂર્ખ બનાવી રહ્યા છો? ભાઈ પહેલાં તમે અંદરોઅંદર જ નક્કી કરી લો, ભારતમાં જાતિવાદ છે કે નહીં? લોકો મૂર્ખ નથી... તમે બ્રાહ્મણ જ છો કે પછી ઉપર બેઠેલા તમારા બાપ છે, નક્કી કરો.’ 'પહેલું નાટક જ્યોતિબા અને સાવિત્રીબાઈ પર હતું' એક

પોસ્ટમાં અનુરાગે કહ્યું, ‘મારા જીવનનું પહેલું નાટક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફુલે પર હતું. ભાઈ, જો આ દેશમાં જાતિ વ્યવસ્થા ન હોત, તો તેમને લડવાની શું જરૂર હતી? હવે આ બ્રાહ્મણ લોકો શરમ અનુભવી રહ્યા છે અથવા તેઓ શરમથી મરી રહ્યા છે અથવા તેઓ એક અલગ બ્રાહ્મણ ભારતમાં જીવી રહ્યા છે, જે આપણે જોઈને પણ નથી જોઈ શકતા.’ અનુરાગ કશ્યપે કોને ડરપોક કહ્યા? અનુરાગ આટલેથી અટકતા નથી, આગળ પોસ્ટમાં લખ્યું, 'પંજાબ 95', 'ટીસ', 'ધડક 2', 'ફૂલે'… મને ખબર નથી કે જાતિવાદી, પ્રાદેશિક, જાતિવાદી સરકારના એજન્ડાને ઉજાગર કરતી કેટલી ફિલ્મો બ્લોક કરી દેવામાં આવી છે. તેઓ

અરીસામાં પોતાનો ચહેરો જોઈને શરમ અનુભવે છે. તેઓ શરમ અનુભવે છે કે તેઓ ખૂલીને પણ કહી શકતા નથી કે ફિલ્મમાં એવું શું છે જે તેમને પરેશાન કરી રહ્યું છે, ડરપોક. 'ટ્રેલર જોઈને ફિલ્મ નક્કી ન કરી લો...' ફિલ્મ 'ફુલે' આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મોમાંની એક માનવામાં આવતી હતી. જોકે, જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી તેના પર દર્શકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વિવાદ બાદ ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી અને અમુક સીનને હટાવવાનો સેન્સર બોર્ડે આદેશ કર્યો હતો. 11 એપ્રિલે ફિલ્મ રિલીઝ ન થવા પર એક્ટર પ્રતીક ગાંધી (ફિલ્મમાં જ્યોતિબા

ફુલેની ભૂમિકા ભજવી છે)એ નિરાશા વ્યક્ત કરી હતી. એક્ટરે કહ્યું કે, હું ક્યાંક શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મને ખબર પડી કે ફિલ્મ મુલતવી રાખવામાં આવી છે. આ સાંભળીને મને દુઃખ થયું, કારણ કે આ એક ખાસ તારીખ હતી - ફુલેજીની 197મી જન્મજયંતિ હતી. જો ફિલ્મ તે દિવસે રિલીઝ થઈ હોત, તો તે તારીખ ઇતિહાસ બની ગઈ હોત. આગળ વિવાદ પર કહ્યુ કે- કેટલાક લોકોએ ટ્રેલર સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ હું તેમને વિનંતી કરું છું કે આખી ફિલ્મ જોયા પછી જ અભિપ્રાય બનાવો. ટ્રેલરમાં જોવા મળતી બાબતો સંદર્ભની બહાર લઈ જતી હોય છે.

Related Post