એથ્લીટ બનવા માટે ગુજરાતમાં સુવર્ણ તક: પ્રેક્ટિસથી લઇને કાયમી નોકરી સુધીની સરકારની પહેલ; ઓલિમ્પિકનો માહોલ બનશે ટર્નિંગ પોઇન્ટ

એથ્લીટ બનવા માટે ગુજરાતમાં સુવર્ણ તક:પ્રેક્ટિસથી લઇને કાયમી નોકરી સુધીની સરકારની પહેલ; ઓલિમ્પિકનો માહોલ બનશે ટર્નિંગ પોઇન્ટ
Email :

ના પગમાં સ્પોર્ટ્સ શૂઝ... ના કોઇ ટ્રેનિંગ... ના કોઇ કોચ... ના 200-400 મીટરની દોડ વિશે કોઇ જાણકારી... ના કોઇ ચેમ્પિયનશીપની ખબર... પણ ટ્રેક પર જ્યારે ઉતર્યા તો એવા રેકોર્ડબ્રેક ઇતિહાસ રચ્યા કે દુનિયા તેને ફ્લાઇંગ સિખથી ઓળખવા લાગી. એમનું સંઘર્ષમય જીવન હોવા છતાં પણ એથ્લેટિક્સમાં તેમણે બનાવેલા નેશનલ રેકોર્ડને 4 દાયકા સુધી કોઇ આંબી શક્યું ન હતું. 1958નું એ વર્ષ હતું જ્યારે ટોક્યો એશિયન ગેમ્સમાં 200 અને 400 મીટરની દોડમાં મિલ્ખા સિંહે ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. બે વર્ષમાં જ 1960માં રોમ ઑલિમ્પિકમાં મિલ્ખા સિંહ ચોથા સ્થાને આવ્યા. પહેલીવાર એવું બન્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓલિમ્પિકમાં ભારતીય એથલીટ ફાઇનલમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. ટ્રેક એન્ડ ફિલ્ડના આ ક્ષેત્રમાં મિલ્ખાસિંહ પછી દોડવામાં સૌથી તેજ કોઇ એથલીટ હોય તો એ પી.ટી. ઉષા છે. જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે દોડવામાં એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. લોકો તેમને પાયોલી

એક્સપ્રેસ, ગોલ્ડન ગર્લ જેવા નામથી પણ જાણે છે. પરંતુ, એથલેટિક્સમાં માત્ર ભારતીયોના આ બે જ નામ નથી.. અન્નુ રાની, નોર્મન પ્રિચર્ડ, અંજુ બોબી જ્યોર્જ, દીપા મલિક જેવા અનેક દોડવીરો ઉપરાંત એથ્લીટ્સનું ઘણું લાંબુ લિસ્ટ છે. આજે 7મી મે એટલે કે વર્લ્ડ એથ્લેટિક્સ ડે પર ગુજરાતના ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી જાણીએ કે એથ્લીટ બનવું હોય તો સૌથી પહેલા શું કરવું પડે? ગુજરાતમાં હાલ એથ્લીટની સ્થિતિ કેવી છે? તેને કેવા પ્રકારના પડકારો હોય છે અને ગુજરાત સરકાર શું સહાય કરે છે. એથ્લીટ બનવા માટે સારું રનિંગ જોઇએ થોડા દિવસો પહેલા દિલ્હીમાં 21 દેશોએ એશિયન યોગાસન ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. ભારતે 83 ગોલ્ડ મેડલ સાથે આ ચેમ્પિયનશીપમાં સૌપ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં સ્પોર્ટ્સ ફિઝિયો તરીકે ડૉ. નિહાર જોશીએ ફરજ બજાવી હતી. તેઓ હાલ નડિયાદમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં કાર્યરત છે અને ભારત ટીમના ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

આ સ્પર્ધામાં ગુજરાતના ચાર ખેલાડીઓએ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ડૉ. નિહારનું કહેવું છે કે એથ્લીટ બનવા માટે કોઇ ઉંમર નથી હોતી. જો તમે બાળપણથી જ સંતાનને તૈયાર કરો તો યોગ્ય માર્ગદર્શનથી તે સારો એથ્લીટ બની શકે છે. લાયકાતની વાત કરીએ તો સૌથી બેઝિક જરૂરિયાત છે વ્યક્તિનું રનિંગ સારું હોવું જોઇએ અને વ્યવસ્થિત હાઇટ હોવી જરૂરી છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં એથ્લેટિક્સની સ્થિતિ સુધરી શરૂઆતમાં 1912થી 2001 સુધી વર્લ્ડ એથ્લેટિક્સ આંતરરાષ્ટ્રીય એમેચ્યોર એથલેટિક મહાસંઘ અને પછી 2001થી 2019 સુધી આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ મહાસંઘના નામે ઓળખાતું હતું. બંનેને સંક્ષેપ્તમાં IAAF કહેવામાં આવે છે. એટલે કે એથ્લેટિક્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડ બંનેની રમતો ખેલાડી રમે છે. દોડ, રેસવોકિંગ, રસ્તા પર દોડ, પહાડ પર દોડ, અલ્ટ્રારનિંગ, ભાલા ફેંક વગેરે પ્રકારની સ્પર્ધા રમાય છે. એથ્લીટ બનવા માટે અન્ય સ્પોર્ટ્સની જેમ ટ્રેનિંગની જરૂર હોય છે. ડૉ. નિહાર જણાવે છે કે એથ્લીટ બનવા માગતી વ્યક્તિએ

ફ્લેક્સિબ્લિટી, સ્ટ્રેન્થ અને બેલેન્સ કેવી રીતે રાખવું તેની બેઝિક ટ્રેનિંગ લેવી ખૂબ જરૂરી છે. જો વ્યક્તિનું મનોબળ મજબૂત ન હોય તો એ એથ્લીટ ન બની શકે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં એથ્લેટિક્સમાં સ્થિતિ ઘણી સુધરી છે. પ્રેશર અને ઉંમરના કારણે ફિલ્ડ છોડે છે પરંતુ, કોમ્પિટિશન અને આર્થિક સ્થિતિને કારણે લોકો ફિલ્ડ છોડી દે છે. ડૉ. નિહાર જોશી કહે છે કે જ્યારે કોઈપણ ખેલાડી 18 વર્ષની નીચે કમ્પિટ કરે છે, ત્યારે તેની ઉંમર પ્રમાણે અને તેમની કેટેગરી પ્રમાણે તમામ પ્રતિસ્પર્ધીઓ સરખી ઉંમરના હોય છે. પરંતુ જ્યારે તે જ ખેલાડી ઓપન કેટેગરીમાં આવે છે, ત્યારે તેની સાથે કમ્પિટ કરતા ખેલાડીઓની ઉંમર તેના કરતા વધારે અને અનુભવ પણ તેમના કરતા વધારે હોય છે. જેમ કે, કોઈ 23 વર્ષનો ખેલાડી છે, તેની સાથે 27 વર્ષનો ખેલાડી, 30 વર્ષનો ખેલાડી પણ સ્પર્ધામાં ઉતરે છે. તો સ્વાભાવિક રીતે, સિનિયરની ટ્રેનિંગ અને અનુભવ વધુ

હોવાથી તેના જીતવાના ચાન્સ વધી જાય છે અને ઘણી વખત આ બધા પ્રેશરના કારણે અને ઉંમરના કારણે ઘણા લોકો ફિલ્ડ છોડી દે, એવું પણ બને છે. ક્વોટા પ્રમાણે સરકારી નોકરીની તક ઇતિહાસમાં પહેલીવાર 1996માં આ દિવસ મનાવાયો હતો. તત્કાલિન આંતરરાષ્ટ્રીય એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન (IAAF)ના પ્રમુખ પ્રિમો નેબિઓલોએ આ દિવસને ઉજવવાની શરૂઆત કરી હતી. ડૉ. નિહાર જોશીના કહેવા પ્રમાણે આ દિવસની ઉજવણી ખાસ કરીને શાળા અને કોલેજોમાં બાળકોને રમતગમતમાં વિશેષ ધ્યાન આપવામાં આવે એ હેતુથી થાય છે. યુવાનોને ફિટ અને સ્વસ્થ રાખવા માટે, તેમને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસ મનાવાય છે. આજના સમયમાં સ્થૂળતાના દરમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર વિશ્વ એથ્લેટિક્સ દિવસ પર ફિટનેસ અને રમતોમાં યુવાઓની ભાગીદારી વધે એ માટે પ્રોત્સાહન આપી રહી છે. પેરા ગેમ્સમાં ગુજરાતીઓને ઘણી તક સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિત જેવા એથ્લીટ્સે રાજ્યને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. ફિઝિયોથેરાપિસ્ટ

ડૉ. નિહાર જોશી કહે છે કે એથ્લેટિક્સમાં પેરા એથ્લીટ્સની ટ્રેનિંગ થોડી ટફ અને જુદી હોય છે. જિલ્લાથી લઇને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં અને પેરા ઓલિમ્પિકમાં ઘણા ગુજરાતી ખેલાડીઓને તક મળે છે. સ્પેશ્યલી એબલ્ડ અથવા પેરા એથ્લેટ્સની ટ્રેનિંગ સામાન્ય ખેલાડીઓ કરતાં જુદી હોય છે, કારણ કે તેમના કોઈ એક અંગમાં હેન્ડીકેપ હોય છે અથવા કોઈ ડિફોર્મિટી હોય છે. જેના કારણે તેમના શરીરનો ઢાંચો કોઈ એક જગ્યાએથી સામાન્ય માણસ કરતાં જુદો હોય છે. તેથી, તેમની ટ્રેનિંગ સમયે બીજી બાજુના ઢાંચાને વધારે મજબૂત કરવા તરફ વધારે ધ્યાન આપવું પડે છે. દા.ત., કોઈ ક્લબફૂટ વાળા એથ્લીટ જ્યારે હાઈ જમ્પ કરે છે, તો તેના એક પગની પોઝિશન એના જ બીજા પગ કરતાં જુદી હોય છે. ત્યારે જે પગ નોર્મલ છે, તેની સ્ટ્રેન્થ પર તે વધુ ધ્યાન આપવું પડશે. એ ઉપરાંત, જે પગમાં ડિફોર્મિટી છે, તે પગ પણ બને એટલું વધુ

યુઝ થાય (કોઈપણ બીજી ઇન્જરી વગર), તેવી રીતે તેની ટ્રેનિંગમાં પણ ધ્યાન દેવું પડે છે. 22 વર્ષમાં 140 ગણું બજેટ વધાર્યું સરકાર દ્વારા યોજાતા ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતના એથ્લેટિક પ્રતિભાઓની ઓળખ કરવામાં આવે છે. તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે સરકાર દરેક જિલ્લામાં DLSS (District Level Sports School) ચલાવે છે. જ્યાં ટ્રાયલ આપીને એડમિશન મેળવી શકાય છે અને તેમાંથી પસંદ થયેલા એથ્લીટ્સનો તમામ પ્રકારનો ખર્ચ સરકાર ઉઠાવે છે. એથ્લેટિક્સની આ રમતોમાં ઊંચી કૂદ, લાંબી કૂદ, પોલ વોલ્ટ, ટ્રિપલ જમ્પ, ભાલા ફેંક, રિલે દોડ, રેસ વોકિંગ વગેરે સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. એક માહિતી પ્રમાણે 2002માં ગુજરાત સરકારનું અઢી કરોડનું ખેલ બજેટ 2024 સુધીમાં 352 કરોડથી વધુનું થઇ ગયું છે. આવનાર સમયમાં એથ્લીટ માટે સોનેરી તકો કોઈપણ એથ્લીટ માટે ઈન્જરી એ તેમની યાત્રાનો અગત્યનો ભાગ હોય છે. નાની ઈન્જરીઓ થોડા સમયમાં સાજી થઈ જાય છે, જ્યારે લિગામેન્ટ

ફાટી જવું કે ફ્રેકચર જેવી મોટી ઈન્જરીઓ માટે લાંબી રિહેબિલિટેશન પ્રક્રિયા જરૂરી હોય છે. આવી સ્થિતિમાં ફિઝિયોથેરાપી એ એકમાત્ર ઉપાય બની રહે છે જે તેમને પાછા રમતમાં વળાવવામાં મદદ કરે છે. નીરજ ચોપરાએ ઓલમ્પિક્સમાં ગોલ્ડ જીતીને ભારતીય એથ્લેટિક્સમાં ક્રાંતિ લાવી છે. તેની સફળતાએ દેશભરમાં એથ્લેટિક્સ પ્રત્યે ઉશ્કેરા આપ્યા છે. હવે, 24 મે, 2025ના રોજ બેંગલુરુના ક્રાંતિવીરા સ્ટેડિયમમાં "નીરજ ચોપરા ક્લાસિક" જેવી આંતરરાષ્ટ્રીય લેવલની ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે, જે ભારત માટે એક ઐતિહાસિક પગલું છે. જો 2036ના ઓલમ્પિક્સ ભારતમાં યોજાશે અને તેનું કેન્દ્ર ગુજરાત રહેશે, તો એ દરેક ખેલપ્રેમી અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકોને રોજગાર અને અનુભવોની અનોખી તક આપશે. આ સમગ્ર યાત્રામાં કોચ, ટેકનિકલ સ્ટાફ, મેનેજમેન્ટ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ નોંધપાત્ર અવકાશ ઊભો થશે. દક્ષિણ કોરિયામાં થનારી એશિયાઇ એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારતની ટીમનું નેતૃત્વ અવિનાશ સાબલે અને જ્યોતિ યારાજી કરશે. આ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપડા ભાગ

નહીં લે. 25મી મેથી રિપબ્લિક ઓફ કોરિયાના ગુમીમાં એશિયાઇ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શરૂ થવા જઇ રહી છે. જેમાં ભારતની ટીમ પણ સામેલ કરવામાં આવી છે. એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 58 સભ્યોની ટીમ ફાઇનલ કરી છે. નીરજ ચોપડાની ગેરહાજરીમાં સચિન યાદવ અને યશવીર સિંહ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યોતિ યારાજી 100 મીટર હર્ડલ્સમાં પોતાનો ટાઇટલ બચાવવાનો પ્રયાસ કરશે અને તેજસ્વિન શંકર ડેકાથલોનમાં પ્રતિસ્પર્ધા માટે તૈયાર છે. 200 મીટરનો નેશનલ રેકોર્ડ બ્રેક કરનાર સ્પ્રિન્ટર અનિમેષ કુઝૂર પણ આ ટીમનો ભાગ છે. જ્યારે મહિલા ટીમમાં લોન્ગ જંપર શૈલી સિંહ અને એન્સી સોજન સાથે ક્વાર્ટર મિલર રૂપલ ચૌધરી અને વિથ્યા રામરાજ પણ સામેલ છે. વર્ષ 2023માં બેંકોકમાં ભારતીય એથલીટ્સે એશિયાઇ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 6 ગોલ્ડ, 12 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 27 મેડલ જીત્યા હતા. એથલેટિક્સઃ દર ઓલિમ્પિકમાંથી સૌથી વધુ જોવામાં આવતી અને ગમતી સ્પર્ધામાંથી એક છે.

Leave a Reply

Related Post