વિસાવદરની પેટાચૂંટણીમાં વિવાદ વકર્યો: ગોપાલ ઇટાલિયા પર ભાજપના સમર્થકોએ હુમલો-ગાળાગાળી કર્યાના આક્ષેપ, કહ્યું- 'આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી?'

વિસાવદરની પેટાચૂંટણીમાં વિવાદ વકર્યો:ગોપાલ ઇટાલિયા પર ભાજપના સમર્થકોએ હુમલો-ગાળાગાળી કર્યાના આક્ષેપ, કહ્યું- 'આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી?'
Email :

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને બરાબરનો રાજકીય રંગ જામ્યો છે. અત્યાર સુધી તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માત્ર શાબ્દિક ટપાટપી થતી હતી. જોકે, હવે મામલો ગાળાગાળી અને પથ્થરમારા સુધી આવી ગયો હોય એવા આક્ષેપ થઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, વિસાવદરના જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રી સભા દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર કાકરીચાળો અને ગાળાગાળી કરી છે. 'ભાજપના ગુંડાઓ બેફામ બન્યા' ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, આજની સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક, તેમજ વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસીર મેતરના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થરમાર્યો

છે અને કોર્પોરેટર કમલેશ રીબડીયાના પુત્રે ગાળાગાળી કરી હતી છે. ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે. 'લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી?' પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયાં ત્યારે પણ અધિકારી હાજર નહોતા. એક કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. એવું લાગે છે કે ભાજપમાંથી ફોન ન આવે ત્યાં સુધી અધિકારીઓ કામ પર નહીં આવે. સીએમ. સી.આર. પાટીલ અને ઉમેદવાર કિરીટ પટેલના નામે આક્ષેપ ઇટાલિયાએ પ્રશ્ન કર્યો કે, આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી? કિરીટ પટેલની દલાલી કરનારા લોકોને અમારો મેસેજ છે કે સુધરી જજો. 'આવી હરકતોનો જવાબ વિસાવદરની જનતા આપશે' આ હુમલાને લઈને આમ

આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ગોપાલ ઇટાલિયાને સમર્થન આપતાં જણાવ્યું કે, જીવાપરાની સભામાં અસામાજિક તત્વો મનમાનીથી બોલી રહ્યાં હતાં અને કાકરીચાળો પણ કર્યો હતો. અહીં લોકશાહી ન ચાલતી હોવાનું લાગી રહ્યું છે. પરંતુ આવનાર દિવસોમાં વિસાવદરની જનતા આવી હરકતોનો જવાબ જરૂર આપશે. કિરીટ પટેલે CMને ચિઠ્ઠી લખ્યાની વાત કરી તો ઈટાલિયાએ કહ્યું- 'ચિઠ્ઠી તો બે નંબરના કામની હોય' 'કામ કરે એવો ધારાસભ્ય જોઈએ કે આવેદનપત્ર આપે એવો?' 3 જૂને યોજાયેલી જાહેરસભામાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે જણાવ્યું હતું કે તેઓ વિસાવદરના 22 સરપંચ સાથે ગાંધીનગર જઈ મુખ્યમંત્રી અને વનમંત્રીએ મળ્યા હતા અને વિસાવદર તાલુકાના 13

ગામને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ ઝોનમાંથી બહાર કાઢવાના મુદ્દે રજૂઆત કરી હતી. લોકોને કેવા ધારાસભ્ય જોઈએ, જે આવેદનપત્ર આપે એવા કે ચિઠ્ઠી લખીને મુખ્યમંત્રી પાસેથી કામ કરાવે એવા..? 'ચિઠ્ઠી તો બે નંબરના કામની હોય, ભ્રષ્ટાચાર છુપાવવાનું ષડ્યંત્ર' કિરીટ પટેલના આ નિવેદન સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ શુક્રવારે (તારીખ-06/06/2025)ની રાત્રે ગડત ગામે યોજાયેલી સભામાં કહ્યું હતું કે જો ચિઠ્ઠીથી કામ થતા હોય તો છેલ્લા કેટલાંય વર્ષોથી સત્તામાં રહી પણ લોકોનાં કામ ન થયાં? સાસણથી વિસાવદરનો રસ્તો બંધ, એની ચિઠ્ઠી લખોને.. ચિઠ્ઠી તો બે નંબરના કામની હોય, BJP ફરી આવી તો મતદારોને રોવાનો વારો આવશે. કિરીટ પટેલ મગરમચ્છનાં

આંસુ વહાવે છે. ભ્રષ્ટાચાર છુપાવવાનું ષડ્યંત્ર ચાલે છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... આ પણ વાંચો- સહકારી બેંક ક્ષેત્રમાં કિરીટ પટેલે કરોડોનું કૌભાંડ કર્યાનો ઇટાલિયાનો આક્ષેપ વિસાવદરની પેટાચૂંટણીમાં ખાતરનો મુદ્દો જામ્યો, ઇટાલિયાના આક્ષેપ પર રાદડિયાનો જવાબ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ભાજપ પર આક્ષેપ કરતાં ચૂંટણીપ્રચારમાં જણાવી રહ્યા છે કે પ્રતિબંધિત દારૂ ગમે ત્યાં મળી જાય છે, પણ ખેડૂતોને ખાતર નથી મળતું. એનો જવાબ આપતાં ગઇકાલે (તારીખ- 06/06/2025)ના રોજ જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ખાતરનો કોઇ પ્રશ્ન જ નથી. કિરીટ પટેલના નામની જાહેરાત નહોતી થઇ ત્યારે વિસાવદર-ભેંસાણમાં 700 ટન ખાતર પહોંચાડ્યું હતું

અને ખાતર માટે તમારે કિરીટ પટેલને નહીં, મને કહેવાનું, હું ખાતર પહોંચાડીશ. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... ગુરુવારે (તારીખ- 05/06/2025)ના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજીને કિરીટ પટેલ સામે મગફળીકાંડથી લઇને એફિડેવિટમાં વિગતો છુપાવવા અને પત્નીને લોન આપવા સુધીના અનેક આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એક જ વર્ષમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની આવક 1.42 કરોડે કેવી રીતે પહોંચી? આ રકમ મગફળીકાંડ સાથે સંકળાયેલી છે કે શું?, કિરીટ પટેલે એફિડેવિટમાં કાર છુપાવી કેમ? જેવા અનેક સવાલો કર્યા હતા. 'કિરીટ પટેલની એક વર્ષમાં આવક ચાર ગણી

વધી ગઇ' ઇસુદાન ગઢવીએ કિરીટ પટેલને મગરમચ્છનાં આંસુ સારતા નેતા ગણાવતાં કહ્યું હતું કે વિસાવદરના રસ્તાઓ પેરિસ જેવા બનાવી દેવાનો દાવો કરનાર કિરીટ પટેલે અત્યારસુધી કેમ રસ્તા રિપેર ન કરાવ્યા? કિરીટ પટેલની આવકમાં અનિયમિત ઉછાળો નોંધાયો છે. વર્ષ 2022-23માં કિરીટ પટેલની આવક 34.74 લાખ હતી અને વર્ષ 2023-24માં એ સીધી રૂપિયા 1.42 કરોડ થઈ ગઈ છે. શું આ રકમ મગફળીકાંડ સાથે સંકળાયેલી છે? કે પછી ક્યાંકથી બ્લેક મની આયાત કરી છુપાવવાનો પ્રયાસ છે? ભાજપ કહે છે કે ખેડૂતોની આવક ડબલ કરીએ, પણ અહીં તો નેતાઓની આવક ચાર ગણી થઈ રહી છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં

ક્લિક કરો... બુધવારે (તારીખ 04/06/2025)ના રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ પર રાષ્ટ્રીય વન નીતિ અને ખેડૂત હિતોની અવગણનાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેનો ઇટાલિયાને જવાબ આપતાં કિરીટ જણાવ્યું હતું કે હું ઝેર પી જઇશ, પણ ખેડૂતનો એકપણ રૂપિયો નહીં લઉં.. 'ખેડૂતો ખાતર માટે વલખાં મારે ને દારૂ ઘરે ઘરે મળે' ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જ્યારે વાવણીનો સમય આવે છે ત્યારે ખેડૂતોને ખાતર મળતું નથી. દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ઘરે ઘરે દારૂની હોમ ડિલિવરી થઇ જાય છે, પણ ખાતર માટે ખેડૂતો વલખાં મારતા ફરે છે. એડમિનિસ્ટ્રેશન અને

સરકારની નીતિઓ ખેડૂતવિરોધી છે, જેના પર કિરીટ પટેલે જણાવ્યું કે હું ઝેર પી જઇશ, પણ મારા જીવનમાં ખેડૂતનો એકપણ રૂપિયો નહીં લઉં. કિરીટ પટેલે પોતાના સહકારી ક્ષેત્રના ભૂતપૂર્વ કાર્યકાળનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જે લોકો સહકારી મંડળીમાંથી ખોટાં ધિરાણો ઉપાડી છેતરપિંડી કરતા હતા એવા લોકોને જેલ ભેગા કરાવ્યા છે. મેં હંમેશાં સચ્ચાઈથી કામ કર્યું છે. કાયદાની દૃષ્ટિએ સહકારી સંસ્થાની જવાબદારી પ્રમુખની આવે છે, પણ તેમણે અને તેમની કમિટીએ કદી ખોટું કામ કર્યું નથી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... આવો ગ્રાફિક્સથી જાણીએ, વિસાવદર પેટાચૂંટણીના ત્રણેય પાર્ટીના ઉમેદવારની આવક અને કુલ સંપત્તિ વિશે.

Leave a Reply

Related Post