Grah Gochar: નિર્જળા એકાદશીએ બુધ ગોચરનો મહાસંયોગ

Grah Gochar: નિર્જળા એકાદશીએ બુધ ગોચરનો મહાસંયોગ
Email :

હિન્દુ પંચાગ અનુસાર જેઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશી 6 જૂને આવી રહી છે. આ દિવસને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની ઉપાસના અને આશિર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુના પ્રતિનિધિ બુધ ગ્રહ સ્વરાશિ મિથુનમાં ગોચર કરશે, જ્યોતિષની ગણતરી અનુસાર શુક્રવારે 6 જૂને સવારે વૃષભથી નીકળીને બુધ ગ્રહ મિથુન રાશિમાં ગોચર કરશે. આ વખતની નિર્જળા એકાદશી ખાસ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ બુદ્ધિ, વાણી, વેપાર અને ધનનો કારક છે, આ શુભ ગ્રહની સ્થિતિમાં ફેરફાર એટલે કે બુધ જ્યારે વક્રી થાય કે માર્ગી થાય અથવા તો વક્રી થાય તેની કાસ અસર જોવા મળે છે. તો ચાલો જાણીએ આ ગોચરથી કઇ રાશિને ફાયદો થશે.

વૃષભ રાશિ

મિથુન રાશિમાં બુધના ગોચરથી આર્થિક સમૃદ્ધિ થશે. વેપારીઓને ફાયદો થશે. અચાનક ધનલાભ થવાથી પ્રગત્તિના દ્વાર ખુલશે. ફસાયેલા નાણા પરત મળશે. રોકાણથી સારો ફાયદો થશે. નવા સંબંધો જાળવી શકશો. વેપારીવર્ગને ફાયદો થશે. રોકાણથી લાભ થશે. ફસાયેલા નાણા પરત મળશે.

મિથુન રાશિ

આ રાશિના જાતકોને વાણી પર પ્રભુત્વ વધશે સંવાદથી કાર્ય થશે. નોકરીમાં પ્રમોશન મળશે. મન મજબૂત રાખીને આગળ ધપી શકશો, ચિંતા દૂર થાય, લાભની તક સર્જાશે. આપના માટે કોઈ આશા ઉમીદનો પ્રસંગ સર્જાતો જણાય. નાણાંકીય બાબતોને વધુ વ્યવસ્થિત અને સમતોલ રાખીને કટોકટીથી બચી શકશો. આપની આશાઓ ફળદાયી જણાય, વિકાસની કેડી લાધે, સ્વજન અને મિત્રોની મદદ મળશે. કામ પર વધુ ફોકસ કરી શકશો. જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળશે.

કન્યા રાશિ

આ રાશિના જાતકોને બમ્પર લાભ થશે. ધન પ્રાપ્તિ થશે. ઘરમાં સુખ શાંતિ જળવાશે. પરાક્રમ વધશે, કોઇ જુનો કેસ ઉકેલી શકશો. પ્રોપર્ટી કે વાહન ખરીદી શકશો. પરિવારમાં એકતા અને અનુકુળતા વધશે. જીવન નિર્વાહ કરવુ સરળ બનશે. સુખનો સુરજ ઉગશે. અધુરા સ્વપ્ન પૂર્ણ થશે.

Leave a Reply

Related Post