Gram Panchayat election: વિજાપુર બાદ ઊંઝાની લીંડી પંચાયતમાં એકપણ ફોર્મ ના ભરાયુ

Gram Panchayat election: વિજાપુર બાદ ઊંઝાની લીંડી પંચાયતમાં એકપણ ફોર્મ ના ભરાયુ
Email :

ગુજરાતમા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગઈકાલે છેલ્લો દિવસ હતો. ગઈકાલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતમાં એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયુ નહોતુ. આઠ ગામના લોકોએ મામલતદારને આવેદન આપીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે હવે ઊંઝા તાલુકાની લીંડી ગ્રામ પંચાયતમાં પણ આંતરિક વિવાદમાં એક પણ ફોર્મ ભરાયું નથી.

ગ્રામજનોએ પંચાયત સમરસ થાય તેના પ્રયત્નો કર્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે વિજાપુર તાલુકાની ગોવિંદપુરા જૂથ પંચાયત બાદ ઊંઝા તાલુકાની લીંડી ગ્રામ પંચાયતમાં પણ આંતરિક વિવાદને કારણે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યં નથી. સરપંચ કે સભ્યમાંથી એક પણ ફોર્મ ભરાયુ નથી. ગ્રામજનોએ પંચાયત સમરસ થાય તેના પ્રયત્નો કર્યા હતાં પણ ફોર્મ નહીં ભરીને ગ્રામજનો ચૂંટણીથી દૂર રહ્યા હતાં.રાજ્યમાં એક પણ ફોર્મ ના ભરાયુ હોય તેવી બે પંચાયતો સામે આવી છે.

રાજ્યમાં બે પંચાયતો ચૂંટણીથી દૂર રહી

વિજાપુરની ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત અને વિજાપુર નગરપાલિકાને મર્જ કરવા રાજ્ય સરકારે પરિપત્ર કર્યો હતો. આ પરિપત્ર પ્રમાણે ગ્રામ પંચાયતની જમીન નગરપાલિકામાં જતી હોવાથી આઠ ગામના લોકોએ જમીન પરત ગ્રામ પંચાયતને આપવા માગ કરી હતી. આ ઉપરાંત મામલતદારને આવેદન પત્ર આપીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. હવે ઊંઝાની લીંડી ગ્રામ પંચાયતમાં પણ ગામના આંતરિક વિવાદને કારણે એકપણ ફોર્મ ભરાયું નથી. લોકો આડકતરી રીતે ચૂંટણીથી દૂર રહ્યાં છે.

Leave a Reply

Related Post