Gram Panchayat Election: બનાસકાંઠા જિલ્લામાં 614 ગ્રામ પંચાયતમાં યોજાશે ચૂંટણી

Gram Panchayat Election: બનાસકાંઠા જિલ્લામાં 614 ગ્રામ પંચાયતમાં યોજાશે ચૂંટણી
Email :

રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયેલું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 614 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં 10.44 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લાના 14 તાલુકાની 385 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદની ચૂંટણી માટે 1,840 ઉમેદવારો તો સભ્ય પદ માટે 4,812 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

થરાદ તાલુકામાં સૌથી વધુ 66 ગ્રામ પંચાયતોમાં 41 સરપંચોની ચૂંટણી યોજાશે

આ સાથે સાથે 279 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં સરપંચ પદના 57 તો સભ્યોના 151 ફોર્મ ભરાયા છે. કુલ 614 ગ્રામ પંચાયતો માટે 22 જૂનના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 1182 મતદાન મથકો પર 10.44 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન કરવા માટે 2263 મતપેટીઓ ફાળવવામાં આવી છે. 115 ચૂંટણી અધિકારી, 115 મદદનીશ ચૂંટણી અધિકારી અને 6,811 પોલિંગ સ્ટાફ ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે. થરાદ તાલુકામાં સૌથી વધુ 66 ગ્રામ પંચાયતોમાં 41 સરપંચોની ચૂંટણી યોજાશે.

વડગામની હસનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર

જિલ્લામાં અનેક પંચાયતો સમરસ પણ બની છે. પરંતુ તે વચ્ચે વડગામની હસનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. હસનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છેલ્લી ત્રણ ટર્મથી સરપંચની સીટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ફાળવાય છે. જોકે ગામમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકનું એક જ ઘર આવેલું હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.ગામમાં મુખ્યત્વે મુસ્લિમ અને દલિત સમાજના લોકો વસવાટ કરે છે પરંતુ તેમ છતાં પણ આ સીટ બદલાઈ નથી તો ગામમાં વોર્ડ નં-1 માં અનુસૂચિત આદિ જાતિની સીટ છે. જોકે આ જાતિનો કોઈ નાગરિક વોર્ડમાં રહેતા જ ન હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ આ બંને સીટ બદલવા અનેક વખત તંત્રને રજૂઆતો કરી હોવા છતાં પણ તેમની માંગ ન સ્વીકારતા આખરે હવે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Related Post