પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકને લઈ ગુજરાત એલર્ટ: રાજકોટ, જામનગર, ભુજ એરપોર્ટ સંપૂર્ણ બંધ; અમદાવાદથી 3 ફ્લાઈટ રદ; બોર્ડર નજીક સુરક્ષાદળોનું ચેકિંગ

પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકને લઈ ગુજરાત એલર્ટ:રાજકોટ, જામનગર, ભુજ એરપોર્ટ સંપૂર્ણ બંધ; અમદાવાદથી 3 ફ્લાઈટ રદ; બોર્ડર નજીક સુરક્ષાદળોનું ચેકિંગ
Email :

પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત એલર્ટ છે. સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ તો ભુજ, જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. તો અમદાવાદ એરપોર્ટથી ઉડાનભરતી ભુજ, જામનગર અને રાજકોટ જતી-આવતી બધી ફ્લાઇટ્સ રદ કરી દેવાઈ છે.

આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષાદળોએ ચેકિંગ પણ વધારી દીધુ છે. એર ઇન્ડિયાએ આજે (7 મે) બપોરે 12 વાગ્યા સુધીમાં ઉત્તર ભારત તરફથી આવતી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ચંદીગઢની ફ્લાઇટ રદ કરી દીધી છે. સ્પાઇસ જેટે પણ હાલની આ પરિસ્થિતિને કારણે

ઉત્તર ભારતથી ધર્મશાળા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસર સહિતની ફ્લાઇટ્સ આગામી સૂચના સુધી બંધ કરી દીધી છે. ઈન્ડિગોએ X પર પોસ્ટ કર્યું છે કે, "બદલાતા હવાઈ ક્ષેત્રના વાતાવરણને કારણે, શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાલા જતી અને આવતી અમારી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.

Leave a Reply

Related Post