દ્વારકા મંદિર સાંજે 7 પછી બંધ: જામનગર-ઓખા-દ્વારકામાં બ્લેકઆઉટ, કચ્છ-બનાસકાંઠામાં મિની લોકડાઉન

દ્વારકા મંદિર સાંજે 7 પછી બંધ:જામનગર-ઓખા-દ્વારકામાં બ્લેકઆઉટ, કચ્છ-બનાસકાંઠામાં મિની લોકડાઉન
Email :

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાલની સ્થિતિના પગલે દ્વારકાધીશ મંદિર 7 વાગ્યા પછી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજીતરફ સોમનાથના દરિયાકાંઠે ચોકીઓ ઊભી કરી દેવાઈ છે. જામનગર-ઓખા-દ્વારકામાં બ્લેકઆઉટ કરાશે. કચ્છ-બનાસકાંઠામાં મિની લોકડાઉન છે. 24 મે સુધી જામનગર-બનાસકાંઠા જિલ્લામાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે અને ઇમરજન્સીની જાહેર

કરાઇ છે. જામનગર કલેક્ટરે વેપાર-ધંધા બંધ રાખવા સૂચના આપી છે. 14 મે સુધી ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા, હીરાસર (રાજકોટ) અને પોરબંદર એરપોર્ટ બંધ રહેશે. જ્યારે કચ્છના 2 મોટા બંદર કંડલા અને મુન્દ્રા અદાણી પોર્ટ પણ બંધ કરી દેવાયા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના તમામ કર્મચારીઓની રજા પણ રદ

કરીને તેમને તાત્કાલીક ફરજ પર હાજર થવા આદેશ અપાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં બેઠક યોજીને સરહદી જિલ્લાઓની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ પણ વાંચો... ગુજરાત બોર્ડરથી Live, કચ્છીઓની ખાટલામાં આંખ ખૂલતાં જ ડ્રોન ઊડતાં નજરે પડ્યાં 9મેની પળેપળની અપડેટ... ગાંધીનગરમાં યોજાયેલી બેઠકોથી લઈ સુરક્ષા માટે લેવાયેલા નિર્ણયોની પળેપળની અપડેટ

Leave a Reply

Related Post