5 વર્ષની બાળકીથી લઈ 92 વર્ષના દાદીએ યોગ કર્યા: વૃદ્ધાએ કહ્યું- સવારે 4 વાગ્યે ઊઠી દોઢ કિમી ચાલુ છું, કોઈ ગોળી ગળતી નથી,100 વર્ષ જીવવાનો ટાર્ગેટ

5 વર્ષની બાળકીથી લઈ 92 વર્ષના દાદીએ યોગ કર્યા:વૃદ્ધાએ કહ્યું- સવારે 4 વાગ્યે ઊઠી દોઢ કિમી ચાલુ છું, કોઈ ગોળી ગળતી નથી,100 વર્ષ જીવવાનો ટાર્ગેટ
Email :

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલા નવલખી ગ્રાઉન્ડ પર સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિશાળ યોગ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં 10 હજારથી વધુ લોકોએ હાજરી આપીને યોગ કર્યા હતા. જેમાં 5 વર્ષથી બાળકીથી લઈને 92 વર્ષના દાદીએ યોગ કરી યુવાઓને યોગ કરવા માટે પ્રેરણા આપી હતી. જેમાં યોગ કરતા દાદીએ કહ્યું કે સવારે 4 વાગ્યે ઊઠી દોઢ કિલોમીટર ચાલુ છું, કોઈ ગોળી ગળતી નથી. મારો 100 વર્ષ જીવવાનો ટાર્ગેટ છે. યોગના માધ્યમથી ‘Fat to Fit’

થવાની દિશા તરફ જવા માટેનું આહ્વાન આ યોગ શિબિરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારી તરીકે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી હતી. યોગ સેવક શિશપાલ રાજપૂત અને યોગ બોર્ડના સભ્યો દ્વારા શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને આંતરિક ઊર્જા પ્રાપ્ત કરવા માટે યોગ અને પ્રાણાયામના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. યોગના માધ્યમથી ‘Fat to Fit’ થવાની દિશા તરફ જવા માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જીવનશૈલીમાં યોગને શામેલ કરીને ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને ઘૂંટણ દુઃખાવા જેવી બીમારીઓથી બચવા દરેક વ્યક્તિને વધુમાં વધુ લોકો

સુધી યોગની અસરકારકતા પહોંચાડવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો અને સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે પણ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. હું બાલ મંદિરમાં શિક્ષિકા હતી ત્યારે બાળકોને યોગ શિખવતી હતી 92 વર્ષીય વિલાસબેન મોદીએ જણાવ્યું હતું કે, મારો દીકરો દુષ્યંત મોદી છેલ્લા 40 વર્ષથી ગામે ગામ જઈને લોકોને યોગ શીખવાડે છે અને હું છેલ્લા 25 વર્ષથી નિયમિત યોગ કરું છું. મને ગુજરાત સરકાર તરફથી 5000 રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું. હું બાલ મંદિરમાં શિક્ષિકા હતી ત્યારે બાળકોને યોગ શિખવતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 જૂને

યોગ દિવસે બધાને યોગ કરતા શીખવી દીધા છે, ઘણા બધા દેશોએ યોગનો અમલ કરી દીધો છે. જેથી બધા લોકોએ યોગ કરવા જોઈએ. મારો 100 વર્ષ જીવવાનો ટાર્ગેટ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું અત્યારે ફીટ છું અને 92 વર્ષની ઉંમરની છું, છતાં નાના બાળકની જેમ નાચી કુદી શકુ છું. હું રોજ સવારે 4 વાગ્યે ઊઠી જાઉં છું અને દોઢ કિલોમીટર ચાલુ છું અને યોગ પણ કરું છું. હું કૂદી પણ શકું છું. મને નખમાય રોગ નથી. હું કોઈ ગોળી ગળતી નથી. મને

ઊંઘ પણ સારી આવે છે. મારો 100 વર્ષ જીવવાનો ટાર્ગેટ છે. ‘યોગના મહાકુંભમાં 10,000 કરતાં વધુ લોકો જોડાયા’ ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશપાલે જણાવ્યું કે, 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે એ ભારત માટે ગર્વની વાત છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે 2025ના વર્ષમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતનો અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત આજે વડોદરા શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10,000 કરતાં વધુ લોકો જોડાયા છે. ‘રોજ

યોગ કરશો તો નિરોગી બનશો’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું ગુજરાતની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે, યોગ આપણને શારીરિક સ્વાસ્થ્ય આપે છે, માનસિક સ્વાસ્થ્ય આપે છે અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય આપે છે. તમે રોજ યોગ કરશો તો તમે નિરોગી બનશો. આજે વડોદરામાં યોગ શિબિર યોજાઈ છે અને આવતીકાલે અમદાવાદમાં યોજાશે. એવી રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ યોગ શિબિર થશે. આ શિબિરમાં મેદસ્વિતા દૂર કરવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવે છે અને તેના માટેની તાલીમ આપવામાં આવી રહી છે. વડોદરામાં યોગ શિબિરની તસવીરો

Leave a Reply

Related Post