Guru Ast: 8 દિવસ પછી અસ્ત થશે ગુરૂ બૃહસ્પતિ, આ રાશિને ફાયદો

Guru Ast: 8 દિવસ પછી અસ્ત થશે ગુરૂ બૃહસ્પતિ, આ રાશિને ફાયદો
Email :

વૈદિક જ્યોતિષની ગણતરી અનુસાર ગુરૂ બૃહસ્પતિ ગુરૂવારે 12 જૂને સાંજે અસ્ત થઇ રહ્યા છે. જે 9 જુલાઇએ સવારે ઉદય થશે. આ દરમિયાન ગુરૂ ગ્રહ કુલ 27 દિવસ સુધી અસ્ત રહેશે. ગુરૂના અસ્ત થવાથી હવે માંગલિક કાર્ય જેવાકે વિવાહ, ગૃહ પ્રવેશ, જનોઇ જેવા શુભ કાર્ય વર્જીત ગણાય છે. ગુરૂના ઉદય થવાથી ફરીથી માંગલિક કાર્ય શરૂ થશે.

જો કે કેટલીક રાશિ માટે ગુરૂના અસ્ત થવાથી આ રાશિને લાભ થશે. વેપાર, નોકરી, કામ-ધંધામાં ફાયદો થશે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિ કોણ છે?

મેષ રાશિ

આ રાશિ માટે ગુરૂના અસ્ત થવાથી વિશેષ ફાયદો થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં અટકેલા કામ પૂર્ણ થશે. જુના સંપર્કથી લાભ થશે. આત્મનિર્ભર બની શકશો. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ થશે. પદોન્નતિ થશે. ફસાયેલા નાણા પરત મળશે. ભવિષ્યમાં સારી તક મળશે. આવકના સાધનો વધશે.

કર્ક રાશિ

આ રાશિને ગુરૂના અસ્તથી ખુબ ફાયદો થશે. નોકરીયાતને લાભ થશે. જવાબદારી નિભાવી શકશો. આત્મમંથન અનુભવ કરી શકશો. વિદ્યાર્થીઓને એકાગ્રતામાં વધારો થશે. જુના અનુભવ પરથી પ્રગત્તિ કરી શકશો. વેપારીઓને ફાયદો થશે, જુના રોકાણથી લાભ થશે. ફસાયેલા નાણા પરત મળશે. સુખ અને શાંતિ અનુભવશો, બાળકો તરફથી સારા સમાચાર મળશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને 27 દિવસ અવસરની જેમ મળશે. ફેશન, ડિઝાઇન, મીડિયા કાયદા ક્ષેત્રે વિશેષ સફળતા મળશે. ગુરૂના અસ્ત થવાથી સામાજીક જીવનમાં શાંતિ આવશે. સમજી વિચારીને ડગલા માંડશો તો ફાયદો થશે. જે પણ બોલો તે સમજી વિચારીને બોલજો તેના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. અન્ય લોકો પર રાખેલી આશા અપેક્ષા ભલે વ્યર્થ લાગે, પરંતુ જાત પરની અપેક્ષા જરૂર પૂર્ણ થતી જણાય.

મકર રાશિ

નાણાકીય બાબતોને વધુ વ્યવસ્થિત અને સમતોલ રાખીને કટોકટીથી બચી શકશો. આપની સમસ્યાઓને હળવી બનાવી શકશો, યોગ્ય દિશા સાંપડે, તબિયત જળવાય. આત્મબળે કપરા ચઢાણ ચઢી શકશો, ખર્ચ પર કાબૂ રાખજો, સ્વજનથી સંવાદિતા.

Leave a Reply

Related Post