Health: સવારે ખાલી પેટે અંજીરનું સેવન આપશે અનેક લાભ, જાણો એક્સપર્ટનો અભિપ્રાય

Health: સવારે ખાલી પેટે અંજીરનું સેવન આપશે અનેક લાભ, જાણો એક્સપર્ટનો અભિપ્રાય
Email :

સામાન્ય રીતે અંજીરનું સેવન શિયાળામાં કરવામાં આવે છે. પોષક પોષક તત્વોનો ભંડાર અંજીરના સેવનથી શરીરને ગરમી મળે છે. એટલે ખાસ કરીને લોકો શિયાળાની ઋતુમાં દૂધ સાથે અંજીરનું સેવન કરતા હોય છે. પરંતુ શું અંજીરનું સેવન ઉનાળામાં કરી શકાય તેને લઈને લોકો મૂંઝવણમાં છે. કારણ કે અંજીર ડ્રાયફૂડ હોવા ઉપરાંત મખાના અને બદામ જેવું સુપર ફૂડ છે. જો ઠંડી દૂર કરવા અંજીરનું સેવન કરવામાં આવતું હોય તો શું ગરમીમાં અંજીરનું સેવન કરી શકાય. 

અંજીરનું સેવન લાભકારક

આરોગ્ય નિષ્ણાત પાસેથી જાણીએ તંદુરસ્ત રહેવા ગરમીમાં અંજીરનું સેવન કેટલું લાભકારક છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ ખાલી પેટે અંજીરનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં લાભ ચોક્કસ થાય છે. આજે વાતાવરણમાં વારંવાર પલટો જોવા મળતો હોય છે. કયારેક વધુ ગરમી અને કયારેક વધુ ઠંડી. ઉનાળામાં વરસાદ આવતા ઠંડી લાગવા લાગે છે અને શિયાળામાં તાપમાન વધતા ગરમીનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં ગરમીના ઋતુમાં અંજીર (અંજીર = Dry Fig/Anjeer)નું સેવન કરી શકીએ છીએ પરંતુ જો યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે. 

ગરમીમાં અંજીર ખાવાના આ છે લાભો:

ગરમીમાં અંજીરનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે. ગરમીમાં કેટલીક વખત થાક અને સુસ્તીનો અનુભવ થાય છે. ત્યારે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર અંજીરનું સવારે સેવન કરવામાં આવે તો શરીરને સ્ફૂર્તિ આપે છે.

અંજીરનું સેવન કબજિયાત માટે લાભદાયક સાબિત થાય છે. તેમાં ફાઈબરની મોટી માત્રા હોવાના કારણ તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. સાથે-સાથે ગરમીમાં થતી એસિડિટી અને અપચામાં રાહત મળે છે.

એન્ટીઑક્સિડન્ટ્સ અને વિટામિનથી ભરપૂર અંજીરનું સેવન ચામડીને તેજસ્વી બનાવવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તેમાં કૅલ્શિયમ અને મેગ્નેશિયમ હોવાના કારણ તે હાડકાં માટે ખૂબ લાભદાયક છે, ખાસ કરીને જીમમાં જતા અને કસરત કરતાં લોકોએ અંજીરનું સેવન કરવું જોઈએ.
અંજીરમાં પોટેશિયમની માત્રા વધુ હોવાથી તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય. બ્લડ પ્રેશરના દર્દીઓને જો હાઈબીપીની સમસ્યા રહેતી હોય તો ડોકટરની સલાહ લઈ અંજીરનું સેવન કરવું.

આ રીતે કરો અંજીરનું સેવન

ઉનાળામાં શરીરને ઉર્જાવાન બનાવવા રાત્રે અંજીરને પાણી પલાળી રાખો અને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. શરીરને ઠંડક આપવા તમે દૂધ સાથે અંજીરનું સેવન કરી શકોછો. પણ જો તમે ડાયાબિટીસના દર્દી અને અન્ય કોઈ ગંભીર બીમારીના દર્દી હોવ તો ડોક્ટરની સલાહ મુજબ અંજીરનું સેવન કરો. 

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Related Post