Health: યુવાન અવસ્થામાં ટાલ પડવાની સમસ્યાથી કેવી રીતે બચવું?

Health: યુવાન અવસ્થામાં ટાલ પડવાની સમસ્યાથી કેવી રીતે બચવું?
Email :

આજના આધુનિક યુગમાં માણસ જો સૌથી વધારે કોઈ બાબતને અવગણતો હોય તો એ બાબત છે પોતાનું સ્વાસ્થ્ય. આજના સમયમાં તણાવથી ભરેલુ જીવન અને લાઈફ સ્ટાઇલની સીધી અસર સૌથી પહેલા માથાના વાળ પર દેખાય છે. યુવાન અવસ્થામાં માથામાં ટાલ પડવી એ એનું સૌથી મોટું ઉદાહરણ છે અને આ સમસ્યા માત્ર પુરુષો સાથે સર્જાઇ રહી છે એવું નથી રહ્યું, હવે તો મહિલાઓ પણ આ સમસ્યાનો શિકાર બની રહી છે. આવો જાણીએ કે યુવાન અવસ્થામાં માથામાં ટાલ પડવા પાછળનું શું છે વૈજ્ઞાનિક કારણ? તેને સમયસર કેવી રીતે અટકાવી શકાય છે?

ટાલ પડવાથી સ્વાસ્થ્ય પર અસર

આજના સમયમાં તણાવથી ભરેલી જીવનશૈલીને કારણે ટાલ પડવાની સમસ્યા ખુબજ સમાન્ય થઈ ગઈ છે અને આ સમસ્યા દિવસે ને દિવસે વધી પણ રહી છે. જોકે આ સમસ્યા હવે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે, પરંતુ સરેરાશ ટકાવારી જોતાં પુરુષોમાં તેના કિસ્સાઓ સ્ત્રીઓની સરખામણી એ ઘણા વધારે છે. ટાલ પડવી ફક્ત તમારા દેખાવને જ નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય ને પણ માઠી અસર થાય છે. ઘણા લોકો આ સમસ્યાના કારણે આત્મવિશ્વાસ અને અતિશય વિચાર વાયુ જેવી સમસ્યાઓથી પીડાતા હોય છે.

ટાલ પડવાના મુખ્ય કારણો

સામાન્ય રીતે ટાલ પડવાના મુખ્ય કારણોમાં વાળના મૂળ નબળા પડવા એ મુખ્ય કારણ હોય છે. આ સમસ્યા બીજા ઘણા કારણોસર થઈ શકે છે, જેમાં આનુવંશિક કારણોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટ્રેસ અથવા તો અતિશય માનસિક તણાવના લીધે શરીરમાં ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન (DHT)નામનો હોર્મોન વાળના મૂળને ધીમે ધીમે સંકોચવા લાગે છે, જેના કારણે વાળ પાતળા થવા લાગે છે અને ધીરે ધીરે ખરવા લાગે છે. વધુ પડતો તણાવ પણ વાળ ખરવાનું એક મુખ્ય કારણ હોઇ શકે છે. યુવાન અવસ્થામાં શરીરમાં હોર્મોનલ અસંતુલનનું કારણ પણ વાળના વિકાસ ચક્રને અસર કરે છે.આ ઉપરાંત રોજિંદા આહારમાં વિટામિન B,D,આયર્ન, ઝિંક અને પ્રોટીનના અભાવને કારણે પણ વાળ નબળા પડી જતાં હોય છે અને અંતમાં તૂટવા લાગે છે. હેર જેલ, કલર, સ્ટ્રેટનિંગ, રિબોન્ડિંગ વગેરેથી પણ વાળને નુકસાન થાય છે. થાઇરોઇડ, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો અથવા કેટલીક દવાઓની આડઅસર પણ વાળ ખરવાનું મુખ્ય કારણ બની શકે છે.

કેવી રીતે ટાલ પડતી રોકી શકાય

વાળના સ્વાસ્થ્ય માટે સંતુલિત આહારનું સેવન કરવું એ ખુબજ જરૂરી હોય છે. વાળની માવજત માટે પ્રોટીન, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન B12 અને D થી ભરપૂર ખોરાક લેવો જરૂરી હોય છે. એ ઉપરાંત ધ્યાન, યોગ અને પૂરતી ઊંઘ દ્વારા તણાવ ઓછો કરીને પણ વાળને ખરતા રોકી શકાય છે .વાળને કેમિકલ યુક્ત રંગો, જેલ અને સ્પ્રેથી હમેશા દૂર રાખવા.જો વાળ ઝડપથી ખરતા હોય તો ત્વચારોગ તબીબની સલાહ લેવી જો ટાલ અસામાન્ય રીતે વધી રહી હોય, તો લોહીનું પરીક્ષણ કરાવીને હોર્મોનનું સ્તર તપાસી તબીબનું માર્ગદર્શન લેવું.

Leave a Reply

Related Post