Health: પેટના સામાન્ય દુખાવાની સમસ્યાની અવગણના પડી શકે ભારે, પેટ કેન્સરનું જોખમ

Health: પેટના સામાન્ય દુખાવાની સમસ્યાની અવગણના પડી શકે ભારે, પેટ કેન્સરનું જોખમ
Email :

દુનિયામાં ફરી પાછો કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ટીવી ઇન્ડસ્ટ્રી માટે અત્યારે માઠા દિવસો ચાલી રહ્યા છે. હિનાખાન બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે જ્યારે અભિનેત્રી દિપીકા કક્કરને લીવરનું કેન્સરનું નિદાન થયું અને 'નિશા ઔર ઉસકે કઝીન્સ' ફેમ અભિનેતા વૈભવ કુમાર સિંહનું કોલોન કેન્સરના કારણે મોત થયું. લોકપ્રિય કલાકારો કેન્સરનો શિકાર થયા હોવાનું સામે આવ્યા બાદ ફરી આરોગ્ય માટે કેન્સર કેટલું જોખમી છે તેને લઈને લોકોમાં ચર્ચા થઈ રહી છે.

પેટનું કેન્સર

છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારી એવા કેન્સરના કેસમાં વધારો થયો છે. કેટલાક દેશમાં કેન્સરના કારણે મોતની ઘટનાઓ વધી છે. કોરોનાની જેમ કેન્સર શબ્દથી જ લોકો ડરવા લાગે છે. બ્રેસ્ટ કેન્સર અને કોલોન કેન્સરની જેમ પેટમાં થતું કેન્સર પણ વધુ જોખમી છે. પેટની અંદર ગાંઠમાં થતા કોષોનો અસમાન્ય વિકાસ થવાના કારણે પેટનું કેન્સર થાય છે.

પેટના કેન્સરના પ્રારંભના લક્ષણો 

પેટના કેન્સરના લક્ષણો બહુ સામાન્ય હોવાના કારણે મોટાભાગના લોકો તેને નજર અંદાજ કરે છે. શરીરમાં જો તમને આ લક્ષણો જોવા મળે તો જરૂર સાવધ થઈ જાઓ. સંભવત તે પેટના કેન્સરના પ્રારંભના લક્ષણો પણ હોઈ શકે. જણાવી દઈએ કે પેટમાં થતા કેન્સરને ગેસ્ટ્રિક કેન્સર પણ કહેવામાં આવે છે. 

પેટમાં દુખાવો : આપણને જ્યારે પણ પેટમાં દુઃખે છે ત્યારે એવું માનીએ છીએ કે બિનઆરોગ્યપ્રદ ભોજનના લેવાના કારણે આમ થતું હશે. પરંતુ કેટલાક સંજોગોમાં પેટમાં તીવ્ર દુખાવો અને સોજો જોવા મળે તો તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. જો તમને લાંબા સમય સુધી પેટમાં દુઃખાવો રહેતો હોય તો તેને નજરઅંદાજ ના કરશો. અવશ્ય ડોકટરની મુલાકાત લો.

પેટમાં ફૂલવું: પેટ ફૂલે ત્યારે તેને ગેસ ભરાયો હોવાની સામાન્ય સમસ્યા માનીએ છીએ. પેટ ફૂલેલું હોય અને ભારે રહેતું હોય તો તે ગેસ સમસ્યા ના પણ હોઈ શકે. ગેસ હોવાનું માની સોડા લઈએ અથવા તો દવા લઈએ છતાં પણ લાંબા સમય સુધી પેટ ફૂલવાની સમસ્યા હોય આ કેન્સરનો સંકેત હોઈ શકે છે. 

ઉલટી અને મળમાં રક્તસ્ત્રાવની સમસ્યા : આપણને ઉલટી થાય ત્યારે એવું માનીએ છીએ કે ફૂડ પોઈઝનના કારણે આમ થાય છે. ખાસ કરીને યુવતીઓ બહારની પાણીપુરી ખાધા બાદ અથવા તો કોઈ ફૂડની એલર્જીના કારણે ઉલટી થવાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત ભોજન લીધા બાદ પાચન બરાબર ના થતું હોય તો કેટલાક સંજોગોમાં પેટ સાફ થતું હોય ત્યારે મળમાં રક્તસ્ત્રાવ થાય અથવા મળ લાલ થાય છે. આપણે ઉલટી અને મળમાં રક્તસ્ત્રાવની સમસ્યાને નજર અંદાજ કરીએ છીએ. પરંતુ જો આ બંને સમસ્યા વારંવાર જોવા મળે તો તે પેટ કેન્સરનો સંકેત હોઈ શકે છે.

આ લક્ષણોમાંથી કોઈપણ એક લક્ષણ તમને દેખાય તો તેને અવગણશો નહીં. શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટર પાસે જાઓ. 

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Related Post