Health: વિટામિન બી 12ની ઉણપ દૂર કરવા પૌષ્ટિક આહારને ડાયટમાં કરો સામેલ

Health: વિટામિન બી 12ની ઉણપ દૂર કરવા પૌષ્ટિક આહારને ડાયટમાં કરો સામેલ
Email :

શરીર તંદુરસ્ત રાખવા કસરત, યોગ સાથે પૌષ્ટિક આહાર જરૂરી છે. આજે મોટાભાગની બીમારી શરીરમાં કોઈ વિટામિનની ઉણપના કારણે થાય છે. તમને થાક લાગવો, વારંવાર માથાનો દુખાવો થવો તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અથવા મોંમાં વારંવાર ચાંદા પડતા હોય તો આ વિટામિન બી12ની ઉણપના લક્ષણો છે. વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિટામિન B12ની ઉણપના કારણે મોટાભાગની મહિલાઓમાં એનિમિયાની સમસ્યા જોવા મળે છે. જે કેટલાક કિસ્સામાં ગર્ભધારણ કરવામાં પણ અવરોધરૂપ બને છે. 

વિટામિન બી 12 શરીર માટે મહત્વનું

વિટામિન બી 12 વિટામિન બી કોમ્પ્લેક્સનો જ એક ભાગ છે. શરીરની અનેક સમસ્યાનું કારણ વિટામિન B12ની ઉણપ છે. પૌષ્ટિક આહારનું સેવન કરી વિટામિન B12 ઉણપ દૂર કરી શકીએ. વિટામિન બી 12 મગજના કામકાજને વધારે સારી રીતે કરવા અને ડીએનએ પર પ્રભાવ પાડવામાં મદદ કરે છે. તે લોહી બનાવે છે. જેનાથી એનીમિયાને રોકવામાં મદદ મળે છે. તે મગજના કામકાજ કરવાની રીતેને સારી બનાવે છે. આમ, શારરીકિ શક્તિ અને મગજની તેજસ્વિતા વધારવા વિટામિન બી 12 જરૂરી છે.

મગ દાળનું પાણી : રાત્રે એક કપ મગની દાળ પાણીમાં પલાળી રાખો. પાણીને ગાળીને સવારે પીવો. આનાથી વિટામિન B12 ની ઉણપ દૂર થઈ શકે છે.

ફણગાવેલા મૂંગ દાળ : ફણગાવેલા મગની દાળને સલાડ કે પરાઠામાં ઉમેરીને ખાઈ શકો છો. આનાથી વિટામિન B12 ની ઉણપ દૂર થઈ શકે છે.

મૂંગ દાળ ખીચડી : તમે મગની દાળની ખીચડી અથવા દાળ-ભાત બનાવીને ખાઈ શકો છો. આ વિટામિન B12 ની ઉણપને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. 

દહીં અને ભાત : દહીં અને ભાતનું મિશ્રણ પણ વિટામિન બી-12ની ઉણપ દૂર કરે છે. આ માટે રાત્રે મોળું દહી લો અને તેમાં રાંધેલો ભાત મૂકો અને પછી સવારે નયણાંકોઠે આ મિશ્રણનું સેવન કરો. શાકાહારી લોકો માટે વિટામિન બી-12ની ઉણપ દૂર કરવાનો આ ઉત્તમ સ્ત્રોત કહેવાય છે. પણ ખાસ ધ્યાનમાં રાખજો કે દહીં મોળું હોવું જોઈએ. અને આ મિશ્રણને આખી રાત ફ્રિજમાં મૂકવું.

Leave a Reply

Related Post