Health : બાળકોની યાદશક્તિ વધારવા આહારમાં સામેલ કરો વિટામિનથી ભરપૂર શ્રેષ્ઠ ખોરાક

Health : બાળકોની યાદશક્તિ વધારવા આહારમાં સામેલ કરો વિટામિનથી ભરપૂર શ્રેષ્ઠ ખોરાક
Email :

બાળકોની યાદશક્તિ વધારવા આ ખોરાકને દૈનિક આહારમાં સામેલ કરવો જોઈએ. બાળકોમાં આજે પીઝા અને નૂડલ્સ ખાવાનો ભારે ક્રેઝ જોવા મળે છે. આ ખોરાકની તેમની યાદશક્તિ પર અસર પડે છે તેવું બહુ ઓછા લોકો જાણતા હોય છે. મેંદાના લોટથી બનતા પીઝા અને નુડલ્સનું સેવન કરવાથી બાળકોની પાચનશક્તિ પર અસર પડે છે. બાળકો આજે મોબાઈલના કારણે બેઠાડું જીવન જીવવા લાગ્યા છે. શારીરિક પ્રવૃત્તિના અભાવે મેંદામાંથી બનેલ આ ખાદ્યપદાર્થોનું જલદી પાચન થતું નથી. તેના કારણે બાળકોમાં કબજીયાતની સમસ્યા જોવા મળે છે. આ સમસ્યાના કારણે બાળક વધુ ચીડિયા બને છે અને વારંવાર ગુસ્સે થવા લાગે છે. આમ, તે પોતાના અભ્યાસના નિશ્ચિત લક્ષ્યથી દૂર હટે છે.એટલે જ બાળકોના દૈનિક આહારમાં સુધારો કરવો જોઈએ તેથી તેની યાદશક્તિમાં વધારો થાય અને અભ્યાસમાં પણ તેજસ્વી બને.

નિષ્ણાતનો અભિપ્રાય

હૈદરાબાદના ડોક્ટર સુધીર કુમારે પણ બાળકોમાં આહાર પ્રત્યે બદલાયેલા વલણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ડોક્ટરનું કહેવું છે કે બાળપણથી જ આહારમાં ધ્યાન રાખવામાં આવે તો આગળ જતા ડાયાબિટીસ, કેન્સર જેવી ગંભીર બિમારીને દૂર રાખવામાં મદદ મળે છે. ડોક્ટર સુધીરનું કહેવું છે કે બાળકોની યાદશક્તિ વધારવા તેમના શરીરમાં પૂરતા વિટામિન જાય તે જરૂરી છે. આ માટે તમે વિટામીનયુક્ત એવા શ્રેષ્ઠ આહારને બાળકની દિનચર્યામાં સામેલ કરો.

એવોકાડો

જો તમે તમારી યાદશક્તિ વધારવા માંગતા હો, તો તમારે તમારા આહારમાં એવોકાડોનો સમાવેશ કરવો જોઈએ. આ ખાવાથી લોહીનો પ્રવાહ સામાન્ય રહે છે . વિટામિન ઇ અને મોનોઅનસેચ્યુરેટેડ ચરબીથી ભરપૂર, આ ફળ મગજના કોષોનું રક્ષણ કરે છે.

પાલક

પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન A, C અને K હોય છે. પાલકનું સેવન કરવાથી બાળકોને જલદી ચશ્મા આવતા નથી અને મગજનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે . પાલકમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો હોય છે, જે યાદશક્તિ સુધારવામાં મદદ કરે છે.

બ્લુબેરી

તણાવ ઓછો કરવા અને યાદશક્તિને તેજ બનાવવા માટે તમે બ્લુબેરીનું સેવન કરી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ મગજમાં ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડે છે.

કોળાના બીજ

કોળાના બીજનો જરૂર મુજબ તમારા આહારમાં કોળાના બીજનો સમાવેશ કરો. કારણ કે તેમાં વિટામિન, ઝીંક અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કોળાના બીજ ખાવાથી યાદશક્તિ વધે છે.

બદામ

બદામને વિટામિન ઈનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન ઈ હૃદય રોગ અને અલ્ઝાઈમર જેવી બીમારીઓથી લડવામાં મદદ કરે છે. બદામમાં પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો જોવા મળે છે. તેમાં પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે જે આપણને શરીરના દરેક રોગથી બચાવે છે.

Related Post