Health News: 4 કપ કરતા વધારે ચા પીનારા આ પોસ્ટ ખાસ વાંચે

Health News: 4 કપ કરતા વધારે ચા પીનારા આ પોસ્ટ ખાસ વાંચે
Email :

ભારતના મોટભાગના ઘરોમાં ચા વગર દિવસની શરૂઆત થતી નથી. કેટલાક ઘરોમાં દિવસ દરમિયાન બેડ ટીથી શરૂઆત થયા બાદ રાતના ડીનર પછી પણ લગભગ ચારથી પાંચ વખત ચા બનતી હોય છે. રાષ્ટ્રીય પક્ષી મોરની જેમ જાણે ચા એક રાષ્ટ્રીય પીણું બની ગઈ છે. કોઈના પણ ઘરે મહેમાન આવે ત્યારે ચા સાથે જ તેમની આગતા સ્વાગતા કરવામાં આવે છે. જો કે આજે ગ્રીન ટી, બ્લેક ટી જેવા જુદી-જુદી વેરાયટી પણ બજારમાં છે. છતાં મોટાભાગના લોકોને દૂધની ચા જ વધુ પસંદ હોય છે.

ચા ના રસિયા રાખો ધ્યાન

શરીરને સ્ફૂર્તિ મળે માટે સવારે ચાનું સેવન કરવાનું પ્રચલિત છે. છતાં પણ એવા ચાના રસિયા ભારતમાં જોવા મળશે જેઓ ચોમાસું હોય કે શિયાળો કોઈપણ ઋતુ હોય દિવસની 4 થી 5 કપ ચા ગટકાવી જાય છે. ઉનાળાની ગરમીમાં પણ ચા ના રસિકો મુખેથી સાંભળ્યું હશે 'બોસ ચા તો પીવી જ પડશે, નહીંતર માથું ફાટશે'. જો કે કોરોના બાદથી લોકોમાં ફિટનેસને લઈને જાગૃકતા વધી છે અને સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા ચાનું સેવન કરવાનું ઘટાડયું છે. પરંતુ શું ખરેખર દરરોજ ચા પીવી નુકસાનકારક છે ? અને જો ચા વગર રહી ના શકાય તો કેટલી વખત ચાનું સેવન કરવું ? આવા અનેક સવાલો લોકોના મનમાં થાયછે.

વધુ પડતી ચાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર દવે જણાવે છે કે આજે કેટલાક લોકો ચા એક આદત નહી પરંતુ વ્યસન બની છે. ચાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ડોક્ટર દવેના જણાવ્યા મુજબ શરીરને ઉર્જાવાન કરવા અને સુસ્તી દૂર કરવા ચાનું સેવન લાભકારક છે. પરંતુ જો વધુ પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો તંદુરસ્ત આરોગ્ય માટે ખતરો બને છે. આપણામાં કહેવાય છે કે અતિ હંમેશા નુકસાનકારક બને છે. ચાનું અતિશય સેવન આરોગ્યનું દુશ્મન બને છે. જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તેમનામાં બ્લડ સુગરનું સ્તર વધવા અને હાડકાં નબળા પડવાનું જોખમ વધવાની સંભાવના રહે છે. વધુ ચાનું સેવન આર્યનની ઉણપ પેદા કરે છે અને તેના કારણે લોકોને એનિમિયાની તકલીફ ઉદભવી શકે છે. 

ડોક્ટરનું સૂચન કયારે પીવી ચા

દિવસમાં 4 થી 5 કપ ચા પીતા રસિયાઓ માટે ડોક્ટરે સલાહ આપી છે. ડોક્ટરના સૂચન મુજબ ચામાં કેફીનનું તત્ત્વો હોવાથી તેનું વધુ સેવન શરીરમાં એસિડીટીનું પ્રમાણ વધારે છે. આ ઉપરાંત ઊંઘ ન આવવી, બેચેની, હૃદયના ધબકારા વધવા અને માથાનો દુખાવા જેવી સમસ્યાનો પણ શિકાર થઈ શકીએ છીએ. એટલે સામાન્ય રીતે દિવસમાં 2 થી 3 કપ ચા નું સેવન લાભકારક રહેશે. ખાસ કરીને ચાનું સેવન કરતી વખતે લગભગ 2 થી 3 કલાકનો સમયગાળો રાખવો. લોકોએ મોટાભાગે સવારના સમયે જ ચાનું સેવન કરવું જોઈએ. અને ખાસ કરીને રાત્રે સૂવાના 2 કલાક પહેલા ચાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ભલે તમે હેલ્થ કોન્સિયસ હોવ હર્બલ ટી કે ગ્રીન ટી લેતા હોવ છતાં તેને મર્યાદિત માત્રામાં પીવાથી સ્વાસ્થ્યમાં સમસ્યા નહી સર્જાય.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post