Health Tips : શાકભાજીના આ જ્યુસનું સેવન, ફટાફટ ઘટાડશે Belly Fat

Health Tips : શાકભાજીના આ જ્યુસનું સેવન, ફટાફટ ઘટાડશે Belly Fat
Email :

આરોગ્ય તંદુરસ્તા રાખવા આપણે શું નથી કરતા. સવારે ઉઠીએ ત્યારથી યોગ, પ્રાણાયામ અને સ્ટ્રેચિંગ તેમજ વોકિંગ જેવી કસરત કરતા હોઈએ છીએ. ત્યારપછી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા પૌષ્ટિક આહારનું સેવન કરીએ છીએ. પરંતુ છતાં પણ મહિલાઓને પ્રેગનન્સી અને મેનોપોઝના કારણે વધી ગયેલ વજન ઉતરતું નથી. જો તમે પણ શરીરની વધારાની ચરબી (Belly Fat)થી પરેશાન છો તો આ ચિંતા છોડી દો. રોજિંદા વપરાશમાં ઉપયોગ લેવાતા આ શાકભાજી શરીરની વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરશે.

આજે બિનઆરોગ્યપ્રદ આહાર અને જીવનશૈલીને કારણે પેટની ચરબી વધવાની સમસ્યાથી લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં તમે પોતાની દિનચર્યામાં આ શાકભાજીના જયુસને સામેલ કરો. ફટાફટ ઉતરશે પેટની ચરબી (Belly Fat). આ શાકભાજી તમને બજારમાં સરળતાથી મળી જશે અને તમે તેનો નિયમિત ઉપયોગ પણ કરી શકશો.

દૂધીનો રસ : ગરમીમાં દૂધીના શાકનું બજારમાં વધુ વેચાણ થાય છે. દૂધીમાં 96% પાણી રહેલું હોવાથી તે શરીરને હાઇડ્રેટ કરે છે. એટલે જ્યારે પણ તેનું શાક બનાવવામાં આવે છે ત્યારે પાણી ઉમેરવાની જરૂરત પડતી નથી. અને એટલે જ પેટની ચરબી ઘટાડવા માટે દૂધીનો રસ વધુ ફાયદાકારક છે. દૂધીના રસના સેવનથી શરીરમાં ઝેરી તત્વો દૂર થાય છે અને ચયાપચયને પણ વેગ આપે છે , જેના કારણે ચરબી ઝડપથી બળે છે. એટલું જ નહીં, દૂધીમાં કેલરી પણ ઓછી હોય છે, જે પેટની ચરબી ઘટાડવામાં ફાયદાકારક છે.

પાલકનો રસ : જો તમને દૂધીનો સ્વાદ ના પસંદ આવતો હોય તો તમે બેલી ફેટ ઘટાડવા પાલકનો રસ લઈ શકો છો. પાલક વિટામિન એ, સી, કે, આયર્ન, ફોલેટ્સ, ફાઇબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે . આ રસ પીવાથી ચયાપચય ઝડપી બને છે અને ચરબી ઝડપથી બળે છે. એટલું જ નહીં, તે પાચન માટે પણ ખૂબ ફાયદાકારક છે. પાલકના જયુસમાં તમે એક કાકડી, એક ચમચી લીંબુનો રસ, અડધો ઇંચ આદુ અને કાળું મીઠું બ્લેન્ડરમાં નાખીને મિક્સ કરીને પી શકો છો.

કારેલાનો રસ : કારેલાનો રસ ફક્ત પેટની ચરબી ઘટાડવામાં જ ફાયદાકારક નથી, પરંતુ તે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ રસ શરીરના ઝેરી તત્વોને સાફ કરે છે, જે ચયાપચય માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત, તે ખાંડને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. કારેલાના બીજ કાઢીને તેમાં ફુદીના અને અડધા લીંબુના રસ સાથે ભેળવીને સવારે આ રસ પીવો.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Reply

Related Post