Health Tips: દાઝવાની સમસ્યામાં ટૂથપેસ્ટનો ઉપયોગ ત્વચા માટે લાભકારક કે નુકસાનકારક, જાણો..

Health Tips: દાઝવાની સમસ્યામાં ટૂથપેસ્ટનો ઉપયોગ ત્વચા માટે લાભકારક કે નુકસાનકારક, જાણો..
Email :

મહિલાઓ રસોડામાં કામ કરતા અનેક વખત ગરમ વસ્તુઓના સ્પર્શમાં આવતા દાઝી જાય છે. પરંતુ આ સમસ્યાને નાની ગણીને, ઘણી સ્ત્રીઓ તેને નજરઅંદાજ કરે છે અને આગળ જતાં આ ભાગ પર ફોલ્લા થઈ જાય છે.કેટલીક વખત આ ફોલ્લામાં પાણી ભરાતા સોજો આવે છે. સામાન્ય દાઝવાની સમસ્યા કેટલીક વખત ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

દાઝવાની સમસ્યામાં ટૂથપેસ્ટનો ઉપયોગ

સોશિયલ મીડિયામાં આવતી ભ્રામક માહિતીની જાળમાં ફસાઈ આજકાલ મહિલાઓ દાઝવાની સમસ્યામાં ટૂથપેસ્ટનો ઉપચાર કરે છે. એટલે કે ગરમ વસ્તુઓને સ્પર્શ કરતા દાઝી જતા તરત બાથરૂમમાં ઉપયોગ કરાતી ટૂથપેસ્ટ લગાવી દે છે. તેમને લાગે છે કે ટૂથપેસ્ટ લગાવવાથી બળતરામાં રાહત મળશે પરંતુ તેઓ અજાણ છે કે ખરેખર આમ કરવાથી રાહત નહી નુકસાન થાય છે. ચાલો જાણીએ કે કેમ દાઝી જતા તે સ્થાન પર કેમ ટૂથપેસ્ટ ના લગાવવી જોઈએ.

ટૂથપેસ્ટનો ઉપયોગ ત્વચા માટે નુકસાનકારક

ટૂથપેસ્ટનો ઉપયોગ દાંત સાફ કરવા માટે થાય છે. તે આપણ સૌ જાણીએ છીએ. ત્યારે એ પણ સમજવું જોઈએ કે દાંત સાફ કરવા માટેની ટૂથપેસ્ટમાં કેટલાક નિશ્ચિત રસાયણો રહેલા હોય છે. ટૂથપેસ્ટનું pH સ્તર ત્વચા માટે યોગ્ય નથી.
બજારમાં મળતી મોટાભાગની ટૂથપેસ્ટમાં મેન્થોલ, ફ્લોરાઇડ અને ડિટર્જન્ટ જેવા રસાયણોનું મિશ્રણ હોય છે. જ્યારે દાઝી ગયાના ભાગ પર ટૂથપેસ્ટ લગાવવામાં આવે તો આ રસાયણોના લીધે ત્વચાને નુકસાન થઈ શકે છે. આમ કરવાથી ત્વચા પર લાલાશ કે સોજો આવી શકે છે. ખાસ કરીને જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય તેમણે આવા નુસખાઓથી દૂર રહેવું જોઈએ. 
ટૂથપેસ્ટમાં ગ્લિસરોલ રસાણયને કારણે ટૂથપેસ્ટ ડ્રાય થતી નથી. આ રસાયણો ત્વચાના સંપર્કમાં આવતા સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો માટેએલર્જીનું કારણ બની શકે છે. જો આ લોકો ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છો તો તેમની ત્વચા પર ફંગશ તેમજ ફોલ્લીઓ પણ જોવા મળી શકે છે. કેટલાક કિસ્સામાં સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને એટલી બધી ખંજવાળ આવે છે કે લોહી નીકળવા લાગે છે.

દાઝવા પર શું લગાવવું

દાઝયા તે સ્થાન પર ટૂથ પેસ્ટ લગાવવી તમને થોડા સમય માટે રાહત મળી શકે છે. પરંતુ તેમાં રહેલ રસાયણનો કારણે આગળ જતા તે નુકસાનકારક સાબિત થાય છે. એટલે નિષ્ણાત પણ દાઝી જવાના ઘરેલુ ઉપચાર તરીકે ત્વચા પર એલોવેરા જેલ લગાવવાની સલાહ આપે છે. એલોવેરામાં હાજર ગુણધર્મોના કારણે દાઝી જવા પર જેલ લગાવવાથી તે કાળી પડતી નથી અને ઠંડક પણ આપે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Related Post