Health : Covid 19નું નવું વેરિએન્ટ JN.1ના લક્ષણો શું છે, સાવધાની જરૂરી

Health : Covid 19નું નવું વેરિએન્ટ JN.1ના લક્ષણો શું છે, સાવધાની જરૂરી
Email :

દુનિયામાં એકબાજુ કેટલાક દેશો વચ્ચે યુદ્ધ સ્થિતિનો માહોલ છે. દરમિયાન યુદ્ધ અસરની જેમ ઘાતક કોવિડ-19નો ફરી કહેર જોવા મળ્યો છે. મે મહિનાની શરૂઆતમાં સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસ સામે આવ્યા હતા. હવે આ દેશો બાદ ચીન, થાઈલેન્ડ અને ભારતમાં પણ ધીરે-ધીરે કોવિડ પગ પેસારો કરી રહ્યો છે. ત્યારે લોકોમાં ફરી કોરોનાનો ખોફ તોળાવા લાગ્યા છે. વર્ષ 2020 કોરોનાએ સર્જેલ તબાહી લોકો ભૂલ્યા નથી. અને એટલે જ ભારતમાં Covid કેસમાં થઈ રહેલા વધારાએ ચિંતા ઊભી કરી છે.

કોવિડ-19 વાયરસનું નવું સ્વરૂપ

કોવિડ-19નું આ નવું વિરેએન્ટ કેટલું ખતરનાક છે અને દર્દીમાં કેવા લક્ષણો છે તેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે. આ સાથે એમ પણ કહ્યું છે કે કોવિડ-19થી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરી છે.

JN.1 એ કોરોનાવાયરસનું એક નવું સ્વરૂપ છે, જે ઓમિક્રોન સાથે જોડાયેલું છે. JN.1 વિશે સૌથી મોટી ચિંતા તેની ઝડપથી ફેલાવાની ક્ષમતા છે. આ પ્રકાર એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ખૂબ જ સરળતાથી ફેલાઈ શકે છે, તેથી તેના કેસ ઝડપથી વધે છે. તે BA.2.86 નામના જૂના પ્રકાર પરથી ઉતરી આવ્યું છે, જેને પિરોલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકાર સૌપ્રથમ 2023 ના અંતમાં ઓળખાયો હતો. આ પછી તે અમેરિકા, યુકે, ભારત, સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં ઝડપથી ફેલાઈ ગયો.

કોવિડના નવા વેરિએન્ટના લક્ષણો

કોવિડનું નવું JN.1 વેરિઅન્ટમાં ઘણા લક્ષણો છે, જેમાંથી મોટાભાગના લક્ષણો અગાઉના ઓમિક્રોન સ્ટ્રેનમાં જોવા મળતા લક્ષણો જેવા જ છે. સામાન્ય લક્ષણોમાં સૂકી ઉધરસ, વહેતું અથવા બંધ નાક, માથાનો દુખાવો, ગળામાં દુખાવો અને તાવનો સમાવેશ થાય છે. આનાથી સંક્રમિત ઘણા લોકો થાક અનુભવવાની ફરિયાદ પણ કરે છે. કેટલાક કિસ્સાઓમાં, સ્વાદ કે ગંધની ભાવના પણ ખોવાઈ જાય છે. JN.1 વેરિઅન્ટમાં વધુ જોવા મળતું લક્ષણ ઝાડા છે, જેને ઝાડા કહેવાય છે. એકંદરે, જ્યારે લક્ષણો મોટાભાગે હળવાથી મધ્યમ હોય છે, ત્યારે સતર્ક રહેવું મહત્વપૂર્ણ છે.

સલામતી રાખવી જરૂરી

સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19ના નવા વેરિએન્ટને વધુ ખતરનાક ના હોવાનું ગણાવતા તકેદરારી રાખવાની સલાહ આપી હતી. હજુ સુધી વધુ પ્રમાણમાં કેસ સામે ના આવતા સરકાર દ્વારા કોઈ ચોક્કસ માર્ગદર્શિક જાહેર કરાઈ નથી. છતાં લોકોએ કોરોના સમયની ગાઇડલાઈનનું જાતે જ પાલન કરવું જોઈએ. લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું. આ સાથે કોરોના જેમ માસ્ક ફરજીયાત હતો તેમ માસ્ક પહેરવાની શરૂઆત કરવી જોઈએ. ખાંસી કે છીંક ખાતી વખતે, તમારા મોં અને નાકને રૂમાલ રાખવો જ જોઈએ. જેથી વાયરસ બીજા લોકો સુધી ન પહોંચે. સાબુ ​​અને પાણીથી સારી રીતે હાથ ધોવાનું ચાલુ રાખો અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરો. જો તમને તાવ, ખાંસી અથવા ગળામાં દુખાવો જેવા લક્ષણો લાગે, તો ઘરે જ રહો અને જરૂર પડ્યે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. આ સરળ પગલાં અપનાવીને તમે પોતાની જાતને અને અન્ય લોકોને સુરક્ષિત રાખી શકો છો.

Leave a Reply

Related Post